અમદાવાદ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા “આઉટ ઓફ ધ બોક્સ નોન-કન્વેન્શનલ મેનેજમેન્ટ” (પરંપરાગતથી હટીને બિન-પરંપરાગત સંચાલન) થીમ પર ‘બી.એન. દસ્તુર – એએમએ લર્નર્સ ફોરમ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ફોરમમાં નેતૃત્વ અને સંગઠનાત્મક કાર્યક્ષમતા પર નવા દ્રષ્ટિકોણ જાણવા માટે ઉત્સુક એવા વ્યાવસાયિકો, વિદ્યાર્થીઓ અને મેનેજમેન્ટ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી દિશાંક પંચાલે (સીનિયર મેનેજર,એએમએ)સ્વાગત પ્રવચન આપ્યું હતું. આ ઇન્ટરેક્ટિવ ફોરમમાં જાણીતા ટ્રેનર,કન્સલ્ટન્ટ અને લેખક શ્રી બી.એન. દસ્તુર સાથે ખાસ સંવાદ યોજાયો હતો.
કોર્પોરેટ પડકારો પ્રત્યેના તેમના વિશિષ્ટ અભિગમ માટે જાણીતા શ્રી દસ્તુરે ભારપૂર્વક જણાવ્યું હતું કે,આજના અસ્થિર વૈશ્વિક બજારમાં નેતાઓએ જડ અને પરંપરાગત માળખાઓમાંથી બહાર નીકળવાની જરૂર છે. તેમણે પ્રાયોગિક સમજ પૂરી પાડતા જણાવ્યું હતું કે, “અલગ રીતે વિચારવું” એ હવે માત્ર સર્જનાત્મક કવાયત નથી,પરંતુ ટકાઉ વિકાસ માટેની પાયાની જરૂરિયાત છે.

આ ફોરમનું સંચાલન એએમએએક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય અને એચડીએફસી બેંક લિમિટેડ (ગુજરાત અને ગોવાના બ્રાન્ચ બેંકિંગ હેડ)ના સીનિયર એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી થોમસન જોસ દ્રારા કરવામાં આવ્યું હતું. શ્રી જોસે કુશળતાપૂર્વક સંવાદનું માર્ગદર્શન કર્યું હતું અને “આઉટ ઓફ ધ બોક્સ”ના સૈધ્ધાંતિક ખ્યાલો અને બેંકિંગ તથા કોર્પોરેટ ક્ષેત્રમાં તેમના વાસ્તવિક ઉપયોગો વચ્ચેના અંતરને સમજાવ્યું હતું.

