(એજન્સી)અમદાવાદ, પશ્ચિમી એશિયા દેશોમાં યુદ્ધની સ્થિતિને કારણે આ દસકનું સૌથી મોટું સંકટ ઊભું થયું છે. આ પરિસ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ક ફ્રોમ હોમ અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેની અપીલની ભારે અસર થઈ છે. રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી એવી ગુજરાત યુનિવર્સિટીએ કાર પુલિંગનો અંગે સત્તાવાર પરિપત્ર જાહેર કર્યો છે.
પ્રધાનમંત્રી મોદીની અપીલને પગલે ગુજરાત યુનિવર્સિટીએ મહત્ત્વનો નિર્ણય કર્યો છે. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ અને સંલગ્ન કોલેજોમાં કાર બાઇક પુલિંગનો નિર્ણય કર્યો છે.
આ અંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇંધણ બચાવવાની અપીલ છે તેને ધ્યાનમાં રાખીને ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીઓ અને અધિકારીઓ માટે કાર, બાઇક પુલિંગનો નિર્ણય કરવામાં આવ્યો છે
એનો મતલબ એ છે કે જે પણ કર્મચારી અધિકારી કાર લઈને આવતા હોય તે તેમની સાથે નજીકમાં કે, આસપાસ રહેતા કર્મચારી અને અધિકારીને સાથે લઈને આવે જેનાથી વાહનનો વપરાશ ઘટે તો ઇંધણની પણ બચત થઈ શકશે. આ મામલે ઝડપથી પરિપત્ર જાહેર કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીના અધ્યાપકો તેમજ યુનિવર્સિટી સંલગ્ન ૨૮૦ જેટલી કોલેજોમાં આ નિર્ણય કરશે.
ગુજરાત યુનિવર્સિટીમાં અત્યારે વર્ક ફ્રોમ હોમનો કોઈ નિર્ણય લેવાયો નથી. કારણ કે, હાલમાં ટિચિંગ સ્ટાફનું વેકેશન ચાલી રહ્યું છે. યુનિવર્સિટીની ફાઇનલ પરીક્ષા ચાલી રહી છે જેના કારણે નોન ટિચીંગ સ્ટાફને વર્ક ફ્રોમ હોમ ન આપી શકાય. પરીક્ષા બાદ સ્થિતિને ધ્યાનમાં રાખીને વર્ક ફ્રોમ હોમનો નિર્ણય કરવામાં આવશે.
મહત્વનું છે કે, યુનિવર્સિટીમાં હાલ જે કોઈ પ્રોફેસર આવે છે તેઓ પોતાનું વાહન લઈને આવે છે. જો નજીક રહેતા પ્રોફેસર કે કર્મચારીઓ અધિકારીઓ સમજીને એક જ વાહનનો ઉપયોગ કરે એ જરૂરી છે.

