દુર્ઘટનાના ઘાવોને આરોગ્ય મંદિર અને શિક્ષણ મંદિરના સંકલ્પમાં ફેરવી,આરોગ્ય ક્ષેત્રે નવા યુગની તેમજ શિક્ષણની નવી આશાઓનું નિર્માણ થશે : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા
ગત વર્ષે ૧૨ જૂન ૨૦૨૫ના રોજ અમદાવાદની દુઃખદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ દિવંગતોને પ્રથમ વરસીએ આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ અણધારી ઘટનાથી શોકગ્રસ્ત બનેલા પરિવારજનો પ્રત્યે આરોગ્ય મંત્રીશ્રીએ હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી હતી.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના મેઘાણીનગર,અમદાવાદ સ્થિત ન્યૂ મેન્ટલ કેમ્પસ ખાતે દુર્ઘટનાગ્રસ્ત ઇમારતોને દૂર કરી આધુનિક આરોગ્ય મંદિર અને શિક્ષણ મંદિરના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વાકાંક્ષી આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આ સંદર્ભે આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે,દુઃખદ વિમાન દુર્ઘટના બાદ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ અને પરિવારજનો માટે તાત્કાલિક રહેઠાણ અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. હવે આ સમગ્ર વિસ્તારને આધુનિક આરોગ્ય મંદિર અને શૈક્ષણિક મંદિર તરીકે નિર્માણ કરવાનો સંકલ્પ રાજ્ય સરકારે કર્યો છે.
ન્યૂ મેન્ટલ કેમ્પસમાં વિમાન દુર્ઘટનાથી નુકસાન પામેલી ઇમારતોને દૂર કરી નીચે મુજબના નવા પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવશે…..
મુખ્ય આયોજન
Øપેરાપ્લેજિયા અને સ્પાઈન હોસ્પિટલ,રિહેબિલિટેશન સેન્ટર,ફિઝિયોથેરાપી કોલેજ અને ૫૦૦ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ…
અંદાજિત ખર્ચ : રૂ. ૨૯૫ કરોડ,અંદાજે ૨૫,૦૦૦ ચો.મી. જમીનનો ઉપયોગ થશે.
Øમેરિડ પી.જી.વિદ્યાર્થીઓ માટે ૫૧૦ યુનિટ ધરાવતા નવા હોસ્ટેલ બ્લોક્સ જી+૭ ઊંચાઈના અંદાજે ૮ બ્લોક્સનું નિર્માણ અંદાજિત ખર્ચ:રૂ.૧૯૨ કરોડ…..

