મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટ બારની ચૂંટણી શુદ્ધિકરણ માટેનો ઐતિહાસિક જંગ બની રહેશે કે પછી ચૂંટણીની પૂર્વ સંધ્યાએ સત્તાની સીન્ડીકેંટ રચાશે ?! વકીલોમાં પ્રસરેલું ચિંતાનું મોજું ?!
પ્રમુખ પદ ઉપર ઈશ્વરભાઈ દેસાઈઅને હેમંતભાઈ નવલખા વચ્ચે કાંટાળી ટકકર વચ્ચે તેઓ સેક્રેટરી કોને પસંદ કરશે ?!
તસ્વીર મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટ બારની છે ! જયાં મેટ્રો મેજીસ્ટ્રેટ કોર્ટ બારની ચૂંટણી યોજાવા જઈ રહી છે ! ચૂંટણી પ્રચારનો અંતિમ અને આખરી તબકકો ચાલી રહ્યો છે ! ડાબી બાજુથી ઉપપ્રમુખ પદના ઉમેદવાર શ્રી અશ્વિનભાઈ પટેલની તસ્વીર છે ! ઉપપ્રમુખ પદ ઉપર શ્રી અશ્વિનભાઈ પટેલ સફળ થયેલા ઉમેદવાર છે ! તેઓ બારના કાર્યક્રમોમાં વકીલોના પ્રશ્નો રજુ કરવામાં હર હંમેશ કર્મશીલ રહ્યા છે ! ફોજદારી બારની પ્રતિષ્ઠા વકીલોમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે !
ત્યારે સાવધાનીથી તડજોડની શતરંજની બાજી રમવાની જરૂર છે ! બારના ૮૦૦૦ વકીલ મતદારો છે માટે જુની સીન્ડીકેંટ બનાવી ચૂંટણી જીતવાનો પ્રયત્ન કરવાને બદલે જુના કિંગમેઈકરો સાથે બેસીને વ્યુહ ઘડશે તો શ્રી અશ્વિનભાઈ પટેલ સફળતાની વધુ નજીક હશે !
ઉપપ્રમુખ પદના બીજા ઉમેદવાર શ્રી હસમુખભાઈ ચાવડા છે ! તેઓ ફોજદારી બારના કથિત સત્તાના સોદાગરોથી સુમાહિતગાર છે ! લાયબ્રેરીના શુદ્ધિકરણની ચર્ચાએ જોર પકડયું છે તેનાથી તેઓ માહિતગાર હશે જ ?! અને તેમનો તેમના જ કથિત ટેકેદારો ઉંટિયા તરીકે ઉપયોગ કરી હરાવવાની ચાલ ન રમે તેનું ધ્યાન રાખે તથા બધાંને સાથે રાખીને ચૂંટણી જીતવાનો પ્રયાસ સરાહનીય છે ! શ્રી હસમુખભાઈ ચાવડાના ટેકેદારો બધાં જ જુથોમાં જોવા મળે છે !
એ જોતાં તેઓ ચૂંટણીની વેતરણી પાર કરશે એવી સંભાવના છે ! ઉપપ્રમુખ પદ ઉપર જુના જોગી શ્રી મિતેષભાઈ પંડયા ચૂંટણી લડી રહ્યા છે ! મેટ્રો બારમાં તેઓ વર્ષાેથી નેતૃત્વ કરતા આવેલા છે ! તેઓ ફોજદારી બારના વ્યુહાત્મક પ્રચારથી માહિતગાર છે ! તેઓ “બે ગ્રુપ” માં ચાલે છે ! તેથી તેમની જીત હંમેશા સરળ બને છે !
મજબુત બાર બનાવવા માટનો અને બારના કથિત શુદ્ધિકરણની ચિંતા કરી કંઈક પ્રગતિશીલ નિર્ણયો બારમાં કરાવશે તો એ વધુ યોગ્ય લેખાશે ! શ્રી મિતેષભાઈ પંડયાનો પ્રચાર વેગીલો છે ! પરંતુ મતદારોની સંખ્યા અને મત વિભાજન બન્ને મુદ્દા પર ધ્યાન આપવાની જરૂર છે !
મેટ્રો બારના વકીલો વિચારે કે હોઈકોર્ટમાં બારના પ્રશ્નો મુકવા માટે વિવેકશીલતા, પ્રતિષ્ઠા અને કાબેલિયત જરૂરી છે ! માટે પાર્ટી પોલીટીકલથી અને ડીનર ડીપ્લોમસીથી ઉપર ઉઠીને વકીલ મતદારો મતદાન કરે એ જરૂરી છે ! વકીલ મતદારોને ભ્રમિત ઘેન માં રહીને મતદાન ન કરે પણ જાગૃતિપૂર્વક અને સીનીયરોની સલાહ લઈ મતદાન કરશે તો મેટ્રો બારની ગરિમા ઉજાગર થશે !
આખરી તસ્વીર ગુજરાત બાર કાઉÂન્સલના સભ્ય શ્રી ભરતભાઈ ભગતની છે ! તેઓ મેટ્રો બારમાં શુદ્ધિકરણ સાથે સોદાબાજી કરશે તો આગામી બાર કાઉÂન્સલની ચૂંટણીમાં તેમની સામે અનેક ઉમેદવારો મેદાને આવશે ?! તેવી ચર્ચાએ પણ જોર પકડતા શ્રી ભરતભાઈ ભગત પોતાની શીટ બચાવે છે કે સત્તાના અંગારા પર ચાલે છે ?! એ જોવાનું રહે છે ?! ( તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા )
બ્રિટીશ વૈજ્ઞાનિક થોમસ હેનરી હકસેલ કહ્યું છે કે, “કોણ સાચું એનહીં શું સાચું એ વધુ મહત્વપૂર્ણ છે”!! ગ્રીક વૈજ્ઞાનિક એરીસ્ટોટલ કહે છે કે, “ડાહ્યા માણસોનું લક્ષ્ય આનંદ નિશ્ચિત કરવાનું નહીં, દુઃખ અટકાવવાનું હાય છે”! મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટ બારમાં એટલે કે, ફોજદારીકોર્ટ બાર એસોસીએશનના ૮૦૦૦ થી વધુ બુÂધ્ધજીવી વકીલો તેમના પ્રતિનિધિઓને ચૂંટવા જઈ રહ્યા છે !
આ ૮૦૦૦ થી વધુ બુÂધ્ધજીવી વકીલો જો તેમની બુÂધ્ધ પ્રતિભા સાથે જોડાયેલ આત્માનો અવાજ સાંભળી મતદાન કરશે તો વકીલો સાથે સત્તાનું કથિત રાજકારણ ખેલતા ઉમેદવારોના સુપડા સાફ થઈ જશે ! ગુજરાત બાર કાઉÂન્સલની આગામી ફેબ્રુઆરીએ યોજાનારી સંભવિત ચૂંટણીને ધ્યાનમાં રાખી ફોજદારી બારમાં ચૂંટણી લડાઈ રહી હોવાની ચર્ચાએ જોર પકડયું છે !

