પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે PCB એ શ્રીલંકા સામે આગામી ત્રણ મેચની T20 શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે. નિયમિત કેપ્ટન સલમાન અલી આગાના નેતૃત્વમાં કુલ 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. પાકિસ્તાન માટે T20Iમાં સૌથી વધુ વિકેટ લેનાર સ્પિનર શાદાબ ખાનની આ ટીમમાં વાપસી થઈ છે. 27 વર્ષીય શાદાબ, જે આ વર્ષે જૂનમાં પાકિસ્તાન માટે છેલ્લી વખત રમ્યો હતો, તેણે આ વર્ષની શરૂઆતમાં ખભાની સર્જરી કરાવી હતી. નેશનલ ક્રિકેટ એકેડમીમાં સફળ પુનર્વસન કાર્યક્રમ પછી, તે હાલમાં ઓસ્ટ્રેલિયામાં બિગ બેશ લીગ (BBL) માં રમી રહ્યો છે. જ્યારે બાબર આઝમ ખરાબ પ્રદર્શન બાદ ટીમમાંથી બહાર થઈ ગયો છે.
ટીમમાં બીજું નવું નામ અનકેપ્ડ વિકેટકીપર-બેટ્સમેન ખ્વાજા નાફે છે. 23 વર્ષનો જમણો હાથનો બેટ્સમેન તાજેતરમાં જ પાકિસ્તાન શાહીન ટીમનો ભાગ હતો. તેણે 32 ટી20 મેચ રમી છે અને તેનો સ્ટ્રાઈક રેટ 132.81 રહ્યો છે.
પાકિસ્તાનની ટીમ જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં શ્રીલંકા જવા રવાના થશે, ત્રણેય T20 મેચો 7, 9 અને 11 જાન્યુઆરીએ રંગીરી દાંબુલા ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ (RDICS), દામ્બુલા ખાતે રમાશે.

