રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ સોમવારે ભારતના વર્લ્ડ કપ વિજેતાઓને સન્માનિત કર્યા. મુંબઈમાં આયોજિત આ ભવ્ય સમારોહમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર, ભારતીય મહિલા દૃષ્ટિહીન ક્રિકેટ ટીમની કેપ્ટન દીપિકા ટીસી અને ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા સહિત ઘણા દિગ્ગજ ખેલાડીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ખેલાડીઓની સિદ્ધિઓની પ્રશંસા કરવામાં આવી હતી અને તેમના યોગદાનને દેશ માટે ગૌરવની વાત ગણાવી હતી.
રોહિતના નેતૃત્વમાં ભારત બન્યું વિજેતા, સૂર્યાએ એશિયા કપનો ખિતાબ જીત્યો
વર્ષ 2025 ભારતીય ક્રિકેટ માટે યાદગાર રહ્યું. રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ 12 વર્ષની લાંબી રાહ બાદ ચેમ્પિયન્સ ટ્રોફી પર કબજો કર્યો. દુબઈમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું. આ પહેલા ટીમ ઈન્ડિયાએ રોહિત શર્માના નેતૃત્વમાં T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. ભારતે 2025માં પાકિસ્તાનને હરાવીને એશિયા કપની ટ્રોફી પણ જીતી હતી.

