સુપ્રીમ લીડર અલી ખમેનીની હત્યા બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ વધુ ઉગ્ર બન્યું છે. યુએસ નેવીએ હિંદ મહાસાગરમાં ભારત નજીક અને શ્રીલંકાના દક્ષિણ કિનારે સબમરીન હુમલામાં ઈરાની યુદ્ધ જહાજને ડૂબાડી દીધું હતું. આ ભીષણ હુમલાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં યુદ્ધ જહાજ પર હુમલો કરવામાં આવ્યો છે. હિંદ મહાસાગરમાં આ હુમલા બાદ યુદ્ધનો વ્યાપ વધુ વધતો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી આ યુદ્ધ માત્ર મધ્ય પૂર્વ અને ખાડી વિસ્તારો પૂરતું જ સીમિત હતું.
હુમલા સમયે ઈરાની યુદ્ધ જહાજમાં અંદાજે 180 લોકો સવાર હતા. અત્યાર સુધીમાં 87 લોકોના મોત થયા છે. અનેક લોકો પાણીમાં ગાયબ થઈ ગયા છે. હુમલા બાદ તરત જ શ્રીલંકાના નૌકાદળે યુદ્ધ જહાજમાં સવાર ઈરાનીઓના જીવ બચાવવા માટે ઓપરેશન શરૂ કર્યું હતું. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ વોર દ્વારા 20 સેકન્ડનો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. તે ઈરાનના યુદ્ધ જહાજને નિશાન બનાવતા બતાવે છે. થોડી જ સેકન્ડોમાં જહાજમાં જોરદાર વિસ્ફોટ થાય છે અને પાણી કેટલાય ફૂટ ઉંચે ઉછળતું જોવા મળે છે.
ઈરાની યુદ્ધ જહાજ આઈઆરઆઈએસ દેના ભારતથી ઈરાન પરત ફરી રહ્યું હતું ત્યારે હિંદ મહાસાગરમાં તેના પર હુમલો થયો હતો. તેણે તાજેતરમાં વિશાખાપટ્ટનમ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય ફ્લીટ રિવ્યુ 2026માં ભાગ લીધો હતો. અમેરિકી રક્ષા સચિવ પીટર હેગસેથે જણાવ્યું હતું કે હિંદ મહાસાગરમાં એક અમેરિકન સબમરીન એ ઈરાની યુદ્ધ જહાજને ડૂબાડી દીધું હતું જે માનતા હતા કે તે આંતરરાષ્ટ્રીય જળસીમામાં સુરક્ષિત છે. તેના બદલે, તેણી ટોર્પિડો દ્વારા ડૂબી ગઈ હતી – શાંત મૃત્યુ. વિશ્વયુદ્ધ 2 પછી પ્રથમ વખત, દુશ્મન જહાજ ટોર્પિડો દ્વારા ડૂબી ગયું હતું. તે યુદ્ધની જેમ – જ્યારે અમે હજી પણ યુદ્ધ વિભાગ હતા – અમે જીતવા માટે લડી રહ્યા છીએ.”

