અફઘાનિસ્તાને ૬ અલગ અલગ સ્થળોએથી હુમલા કર્યા(એજન્સી)કાબુલ, અફઘાન સરકારના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે કાબુલમાં એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે ૧૧ ઓક્ટોબર અફઘાન સુરક્ષા દળો અને પાકિસ્તાની સેના વચ્ચે થયેલી અથડામણમાં ૫૮ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા અને ૩૦ ઘાયલ થયા. અફઘાન અધિકારીઓએ એમ પણ જણાવ્યું હતું કે અફઘાન સુરક્ષા દળોના ૨૦ થી વધુ સભ્યો ઘાયલ થયા અથવા શહીદ થયા.મુજાહિદના જણાવ્યા મુજબ, આ કાર્યવાહીમાં અફઘાન દળોએ અસંખ્ય શસ્ત્રો પણ જપ્ત કર્યા. તાલિબાન પ્રવક્તાએ પાકિસ્તાની સૈન્ય અને સરકાર પર ઇસ્લામિક સ્ટેટ – ખોરાસન પ્રાંતના આતંકવાદીઓને તેમની ધરતી પર તાલીમ અને આશ્રય આપવાનો આરોપ મૂક્્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ આતંકવાદીઓને કરાચી…
Author: gujarat
Gujarat government ministers oath ceremony: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મંત્રીમંડળના વિસ્તરણની ચાલતી ચર્ચાઓ પર હવે પૂર્ણવિરામ મૂકાઈ ગયો છે. નક્કી થઇ ગયું છે કે શુક્રવારે (17મી ઓક્ટોબર) ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારના મંત્રીમંડળના વિસ્તરણનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ 11:30 વાગ્યે યોજાશે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્યના મંત્રીમંડળમાં સામેલ થનારા મંત્રીઓને હોદ્દા અને ગોપનીયતાના શપથ અપાવશે. કોને કોને મંત્રી પદ મળશે તે ગુપ્ત રખાયું મળતી માહિતી અનુસાર રાજ્યમાં યોજાનાર મંત્રીમંડળના વિસ્તરણમાં આજે સાંજે ગવર્નર આચાર્ય દેવદત્ત ગુજરાત પહોંચશે તે સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ રાત્રે ગુજરાત આવી પહોંચશે. આ ઉપરાંત આ દરમિયાન કેન્દ્રિય ગૃહ…
દિવાળી – કાળી ચૌદસના તહેવારોમાં મહુડી દર્શને આવનારા યાત્રિકોને વાહન વ્યવહાર માટે સુલભતા થશે-20કરોડના ખર્ચે 4.5 કિમીનો રોડ સિમેન્ટ કોન્ક્રીટ ફોર લેન કરાયોમુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં રાજ્યના રોડ નેટવર્કને વધુ સંગીન બનાવવા સિમેન્ટ કોન્ક્રીટ રોડ નિર્માણનો માર્ગ મકાન વિભાગનો અભિગમમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસિદ્ધ જૈન તીર્થ ક્ષેત્ર મહૂડીને પીલવાઈ સાથે જોડતા4.45કિલોમીટર રોડને રૂપિયા20કરોડના ખર્ચે ફોર લેન થવાની કામગીરી પૂર્ણ થતા આ માર્ગનું રવિવારે લોકાર્પણ કર્યું હતું.આ માર્ગ ચારમાર્ગીય થવાથી મહૂડી તીર્થ ક્ષેત્રના દર્શને આવતા શ્રદ્ધાળુઓને વાહન યાતાયાતમાં વધુ સારી સુવિધા મળશે અને સમય તથા ઇંધણની બચત પણ થશે. એટલું જ નહીં,અમદાવાદ-ગાંધીનગરથી વિજાપુરને જોડતા આ મુખ્ય માર્ગ ના વિસ્તૃતિકરણને કારણે ટ્રાફિકજામ થવાની સમસ્યા…
BJP internal faction conflict: તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ રથ સ્વાગત કાર્યક્રમ બુહારી ગ્રામ પંચાયત દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં ભાજપના ધારાસભ્ય અને તેના પુત્રએ હંગામો કરી ભયનું વાતાવરણ ઊભું કર્યાના આક્ષેપ સાથે ગામના સરપંચ, તા.પં.સભ્ય અને જિ.પં.ના અઘ્યક્ષે ભાજપ મોવડી મંડળને લેખિત ફરિયાદ કરી હતી. જે પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભાજપમાં આંતરિક જૂથવાદની લડાઈ જાહેરમાં આવી ગઈ છે. ફરિયાદમાં ધારાસભ્ય વગર આમંત્રણે આવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. ‘હું એકલો જ બોલીશ, હું જ અહીંનો નરેન્દ્ર મોદી છું’ વાલોડ તાલુકા ભાજપમાં ચાલતા જૂથવાદની લડાઈ હવે ત્રણ પેઢીના પારિવારિક સંબંધમાં પ્રવેશતા ખટરાગ ઉભો…
અત્યાર સુધીમાં મેટ્રોમાં અંદાજે ૧૦ કરોડથી વધુ નાગરીકોએ મુસાફરી કરીAhmedabad, આજનું ગુજરાત માત્ર ઔદ્યોગિક વિકાસ માટે જ નહીં,પણ અદ્યતન માળખાગત સુવિધાઓ માટે પણ દેશભરમાં મોડેલ તરીકે ઊભરી રહ્યું છે. ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ ગુજરાતની પ્રગતિની જીવંત સાબિતી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સબળ નેતૃત્વમાં આ પ્રોજેક્ટ અમદાવાદ,ગાંધીનગર અને સુરત જેવા મહાનગરોમાં લાખો નાગરિકોના રોજીંદા જીવનને વધુ સરળ બનાવે છે.સમયની સાથે કદમ મિલાવતું ગુજરાત,વિકસિત ભારતના સંકલ્પનું સાકાર સ્વરૂપ બનીને ઊભરી રહ્યું છે. ગુજરાત હવે માત્ર ઔદ્યોગિક વિકાસ માટે જ નહીં,પરંતુ અદ્યતન માળખાગત સુવિધાઓ માટે પણ દેશભરમાં મોડેલ તરીકે ઓળખાય છે. આ પ્રગતિની જીવંત સાબિતી છે – ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ.અમદાવાદ મેટ્રોની…
Gujarat cabinet portfolio allocation: ગુજરાત રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા હવે અંતિમ તબક્કે પહોંચી ગઈ છે. આવતીકાલે, 17મી ઓક્ટોબરના રોજ મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીમંડળની શપથવિધિ સમારોહ યોજાવાનો છે. આ સમારોહ બાદ તરત જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં નવી કેબિનેટની બેઠક યોજાશે, જેમાં નવા મંત્રીઓને તેમના વિભાગો અને ખાતાઓ ફાળવવામાં આવશે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ, આજે મુખ્યમંત્રી સિવાયના લગભગ તમામ વર્તમાન મંત્રીઓના રાજીનામા લેવામાં આવશે. એવી ધારણા છે કે, માત્ર ત્રણથી ચાર વર્તમાન મંત્રીઓને જ તેમના હોદ્દા પર જાળવી રાખવામાં આવશે, જ્યારે બાકીના મંત્રીઓને હટાવીને નવા ચહેરાઓને તક આપવામાં આવશે. આથી રાજ્ય સરકારમાં મોટા પાયે પરિવર્તન થવાનું નિશ્ચિત બની ગયું છે.…
ભગવાન ઘંટાકર્ણની આરતી,પૂજા-અર્ચના કરીને રાજ્યના નાગરિકોની સુખ-સમૃદ્ધિ,શાંતિ અને વિકાસ માટે પ્રાર્થના કરીમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ જૈન તીર્થ સ્થળ મહુડી જિનાલયમાં ભગવાન ઘંટાકર્ણની આરતી,પૂજા-અર્ચના કરી ને રાજ્યની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં ચાલી રહેલા વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં વિકાસ રથના પ્રસ્થાન માટે મહુડીની હતા તે દરમ્યાન તેમણે મહુડી તીર્થ ક્ષેત્રમાં ભગવાન ઘંટાકર્ણના દર્શન કર્યા હતા તેમજ ભગવાન ઘંટાકર્ણની આરતી,પૂજા-અર્ચના કરીને રાજ્યના સૌ નાગરિકોની સુખ-સમૃદ્ધિ,શાંતિ અને વિકાસ માટે પ્રાર્થના કરી હતી.
રાજકોટ, રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ડેડરવા ગામમાં છેલ્લા કેટલાક સમયથી હડકાયા શ્વાનનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે, જેના કારણે સમગ્ર ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. આ ગંભીર ઘટનામાં એક જ હડકાયા શ્વાને એક જ દિવસમાં બાળકો સહિત ૧૫થી વધુ લોકોને બચકાં ભર્યા હોવાનું સામે આવ્યું છે. આ બનાવના કારણે સ્થાનિકોમાં ભારે દહેશત ફેલાઈ છે અને તંત્રની બેદરકારી સામે રોષ જોવા મળી રહ્યો છે.મળતી માહિતી મુજબ, ડેડરવા ગામમાં એક શ્વાન હડકાયું થતાં તેણે આતંક મચાવ્યો હતો. હડકાયા બનેલા આ શ્વાને રસ્તા પર જઈ રહેલા બાળકો અને વડીલો સહિત ૧૫થી વધુ લોકોને નિશાન બનાવીને બચકાં ભર્યા હતા.આ ઘટના બાદ ઈજાગ્રસ્ત બનેલા તમામ…
Gujarat Ministers Resignation: ગુજરાત રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા હવે અંતિમ તબક્કે પહોંચી ગઈ છે. આવતીકાલે, 17મી ઓક્ટોબરના રોજ મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીમંડળની શપથવિધિ સમારોહ યોજાવાનો છે. આ સમારોહ બાદ તરત જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં નવી કેબિનેટની બેઠક યોજાશે. મળતી માહિતી પ્રમાણે આજે ત્રણ કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની બેઠક મળશે. આ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સિવાયના તમામ મંત્રીઓ રાજીનામું આપી શકે છે. આવતી કાલે નવા મંત્રીમંડળની શપથવિધિ સમારોહ પહેલા ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આજે 16મી ઓક્ટોબરના રોજ સીએમ ભૂપેન્દ્ર પટેલ સિવાયના તમામ મંત્રીઓ એક સાથે રાજીનામા આપી…
વિદ્યાર્થીઓ ગાંધીજીના આદર્શોને આત્મસાત કરી આત્મનિર્ભર ભારતના સંવાહક બને: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુસૌપ્રથમ વખત ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા અભ્યાસની સાથે સાથે સામાજિક પ્રવૃતિના આધારે વિદ્યાર્થિઓને સુવર્ણ ચંદ્રકથી સન્માનિત કરાયારાષ્ટ્રપતિ મહોદયા દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં ગુજરાત વિદ્યાપીઠનો ૭૧મો દીક્ષાંત સમારોહ સંપન્નરાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠનો ૭૧મો દીક્ષાંત સમારોહ રાષ્ટ્રપતિ મહોદયા દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં વિદ્યાપીઠ પરિસરમાં યોજાયો હતો.વિદ્યાપીઠના કુલાધિપતિ અને ગુજરાત તેમજ મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે સ્નાતકોને પદવી એનાયત કરવાની ઘોષણા કરી હતી. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. રાષ્ટ્રપતિશ્રીના દ્વારા ૭ વિદ્યાશાખાઓના ૧૮ વિભાગોના ૭૧૩ જેટલા વિદ્યાર્થીઓએ પદવી એનાયત કરાઈ હતી.સૌપ્રથમ વખત ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા…
