Gujarat BJP cabinet reshuffle: ગુજરાતમાં શહેરી ચૂંટણીઓમાં મોટી જીત મેળવવા માટે, ભાજપે OBC કાર્ડ રમ્યું છે અને 52 વર્ષીય જગદીશ વિશ્વકર્માને પ્રદેશ પ્રમુખ તરીકે જાહેર કર્યા છે. વિશ્વકર્માએ ચાર્જ સંભાળ્યા પછી, રાજ્યની પ્લેઇંગ ઇલેવન (રાજ્ય ટીમ) આગામી થોડા દિવસોમાં રાજ્યના 42 જિલ્લા એકમોની ટીમો સાથે અંતિમ સ્વરૂપ આપવાની ધારણા છે. આ વચ્ચે, રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મંત્રીમંડળમાં ફેરબદલ પણ દિવાળી પહેલા થઈ શકે છે. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂકથી ફેરબદલની શક્યતા વધી ગઈ છે. એવી ચર્ચા છે કે મુખ્યમંત્રી સહિત લગભગ 12 ચહેરાઓને 17 લોકોની ટીમમાંથી બદલવામાં આવી…
Author: gujarat
બોપલ પોલીસની તત્પરતાથી ત્રણ લોકોના જીવ બચ્યાં-એક અધિકારીએ બેભાન પતિના મોંમાં આંગળી મૂકી ઉલ્ટી કરાવી. વારંવાર પ્રયત્ન કર્યો ત્યાં સુધી કે ઝેર બહાર આવવા લાગ્યું.અમદાવાદ, અમદાવાદ ગ્રામ્યના બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે લગભગ બપોરે ૨ વાગ્યે એક ઘટના બની હતી. દેવદર્શન એપાર્ટમેન્ટ નજીક પેટ્રોલિંગ દરમિયાન બોપલ પોલીસને રસ્તા કિનારે કંઈક અજીબ લાગ્યું હતું.રસ્તા પર એક સ્ત્રી બેસીને આક્રંદ કરી રહી હતી. તેની બાજુમાં અંદાજે ૧૧ વર્ષનો દીકરો રડી રહ્યો હતો. તેના ખોળામાં પતિ બેભાન હાલતમાં પડ્યા હતા. દ્રશ્ય અત્યંત કરુણ લાગતું હતું. ભય, નિરાશા અને નિષ્પ્રભ લાગણી એકસાથે છલકાતી હતી. આ દ્રશ્ય જોઈને પોલીસ તાત્કાલિક દોડી ગઈ હતી. જાણકારી મળી…
Gujarat DA hike 2025: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના હિતમાં એક મહત્ત્વનો નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ 1 જુલાઈ 2025થી આપવાનો નિર્ણય કર્યો છે. સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જે કર્મયોગીઓ છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કરવામાં આવેલ છે. આ મોંઘવારી ભથ્થાની 3 માસની એટલે કે 1 જુલાઈ 2025 થી 30 સપ્ટેમ્બર 2025 સુધીની તફાવતની રકમ એક હપ્તામાં ચૂકવવામાં આવશે. આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના પંચાયત…
ડિજિટલ એરેસ્ટના નામે ૭૦ વર્ષીય વૃદ્ધ પાસેથી ગઠિયાએ ૩ લાખ ખંખેરી લીધા -એકાકી જીવન જીવતા વૃદ્ધ ત્રણ લાખ આપ્યા પછી પીપીએફના નાણાં ઉપાડવા આવ્યા ત્યારે ભાંડો ફૂટ્યોઅમદાવાદ, મણિનગર વિસ્તારમાં નિવૃત્તિ બાદ એકલવાયું જીવન વ્યતીત કરતા વૃદ્ધને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો અને તમારા વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધાયો છે તેમ કહીને વૃદ્ધને ચાર દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખવામાં આવ્યા હતા. ઠગ ટોળકીએ વૃદ્ધ પાસેથી રૂપિયા ૩ લાખ પડાવી લીધા અને વધુ રૂપિયા ૭ લાખની માગણી કરીને ધમકી આપવા લાગ્યા હતા.જોકે, વૃદ્ધ બાકીના રૂપિયાની વ્યવસ્થા કરવા પીપીએફ ખાતામાં રૂપિયા વિડ્રો કરવા બેંકમાં આવ્યા ત્યારે બેંક કર્મીની સતર્કતાથી વૃદ્ધ વધુ ઠગાતા બચી…
PM Modi First Oath Story: 7 ઓક્ટોબર 2001ના રોજ નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધી હતી. તે સમયે તેઓ વિધાનસભ્ય નહોતા, છતાં ભાજપના કેન્દ્રીય નેતૃત્વે કેશુભાઈ પટેલની જગ્યાએ તેમને રાજ્યની કમાન સોંપી હતી. આજથી 24 વર્ષ પહેલા ગાંધીનગરના સેક્ટર 17 સ્થિત ટાઉનહોલ ખાતે જાહેર સમારંભમાં મોદીએ શપથ લીધી હતી. સામાન્ય રીતે શપથ સમારોહ રાજભવનમાં યોજાય છે, પરંતુ મોદીએ લોકોની વચ્ચે ખુલ્લી જગ્યાએ શપથ લઈને નવો પરંપરાગત માપદંડ ગઢ્યો હતો. મોદીએ જૂની તસવીરો શેર કરી વડાપ્રધાન મોદીએ 7 ઑક્ટોબરના દિવસે સોશિયલ મીડિયા પર પોતાની પ્રથમ શપથગ્રહણની તસવીરો શેર કરી અને લખ્યું — “2001માં આજના જ દિવસે મેં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે…
મહિલા પોલીસકર્મીના હત્યા કેસમાં મોટો ખુલાસો: પરિણીત પ્રેમી જ નીકળ્યો હત્યારો(એજન્સી) અમદાવાદ અમદાવાદના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતી અને ગાંધીનગરમાં રહેતી મહિલા પોલીસકર્મી રિંકલ વણઝારાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. લગ્ન સંબંધને લઈને થયેલી તકરારમાં તેના જ પરિણીત પ્રેમી મોહન પારગીએ ગળું દબાવીને તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મોહન પારગીને અમરેલીથી ઝડપી પાડવામાં આવ્યો છે.આ અંગે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિતેજા વાસમ શેટ્ટીએ પત્રકાર પરિષદ યોજીને વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પોલીસકર્મી રિંકલ વણઝારાની હત્યા ગળું દબાવીને કરવામાં આવી હતી. આ હત્યા તેના પરિચિત મોહન પારગીએ જ કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે.પોલીસ અધિક્ષક રવિતેજા વાસમ શેટ્ટીએ વધુમાં…
Gujarati motel owners in USA: અમેરિકામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ ખાસ કરીને પટેલ સમુદાય દ્વારા ચલાવવામાં આવતા મોટેલ, ગેસ સ્ટેશન અને કન્વીનિયન્સ સ્ટોર્સમાં તાજેતરમાં વધી રહેલા ગુનાહિત બનાવોએ સમુદાયમાં ભયનો માહોલ ઊભો કર્યો છે. તાજેતરની ઘટનાઓ પેન્સિલવેનિયા: સુરતના બારડોલી તાલુકાના રાયમા ગામના વતની રાકેશ પટેલ (50)ને એલેગેની કાઉન્ટીમાં માલિકી ધરાવતી મોટેલમાં કામ દરમ્યાન માથામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી. ઉત્તર કેરોલિના અને દક્ષિણ કેરોલિના: આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં અનિલ પટેલ અને પંકજ પટેલ ગોળીબારમાં મોતભોગ્યા. એક કન્વીનિયન્સ સ્ટોરમાં લૂંટના પ્રયાસ દરમ્યાન એક ગુજરાતી મહિલા અને તેના પિતાનું પણ મોત થયું. સામાજિક નેટવર્ક અને અહેવાલો મુજબ, મોટા ભાગના હુમલાઓ મોટેલ, ગેસ સ્ટેશન…
મહાત્મા ગાંધીજીની ૧૫૬મી જન્મ જયંતિ નિમિત્તે ગાંધીનગર વિધાનસભા ખાતે તેમની પ્રતિમા-તૈલચિત્રને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરતાં મંત્રીશ્રી-મેયરશ્રી‘મેરા જીવન હી મેરા સંદેશ હૈ‘નો ભારત સહિત વિશ્વભરમાં સંદેશ આપનાર પૂજ્ય મહાત્મા ગાંધીજીની આજે ૧૫૬મી જન્મ જયંતિ નિમિત્તે ગાંધીનગર વિધાનસભા પટાંગણમાં સ્થિત તેમની ભવ્ય પ્રતિમા તેમજ ગૃહમાં તેમના તૈલચિત્ર સમક્ષ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ,સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા તેમજ ગાંધીનગરના મેયર શ્રી મીરાબેન પટેલે ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જન્મ જયંતિ નિમિત્તે મહાત્મા ગાંધીજીને યાદ કરતાં કહ્યું હતું કે,ગાંધીજીના જીવન પર અનેક પ્રકારના મૂલ્યવાન પુસ્તક લખાયેલા છે. તેમના અહિંસાના વિચારોથી પ્રેરીત થઈને યુનો દ્વારા તેમના જન્મ દિવસને‘વિશ્વ અહિંસા દિવસ‘તરીકે…
*ખેડૂતોને દિવેલાના ઊભા પાકમાં ઘોડિયા ઈયળ,પાન ખાનાર ઈયળ, ડોડવા કોરી ખાનાર ઈયળના ઉપદ્વવ ઘટાડવા અંગે લેવાના પગલાં અંગે માર્ગદર્શિકા જાહેર*ખેડૂતો પોતાના ઊભા પાકને રોગ-જીવાતથી બચાવી સારું ઉત્પાદન અને સારી આવક મેળવી શકે,તે માટે રાજ્યની તેલિબીયા સંશોધન કેન્દ્ર,સરદાર કૃષિનગર દાંતીવાડા યુનિવર્સિટી અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતો માટે વિવિધ રોગ-જીવતના ઉપદ્વવ ઘટાડવા અંગે લેવાના પગલાં અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત ચાલુ સિઝનમાં દિવેલાના ઉભા પાકમાં ઘોડિયા ઈયળ,પાન ખાનાર ઈયળ,ડોડવા કોરી ખાનાર ઈયળના ઉપદ્રવને અટકાવવા વિવિધ પગલા લેવા જણાવવામાં આવ્યું છે.*દિવેલાના ઊભા પાકમાં રોગ-જીવાતના ઉપદ્વવ ઘટાડવા અંગે લેવાના પગલાં અંગે માર્ગદર્શિકા*•કાતરા અને પાન ખાનારી ઈયળ (સ્પોડોપ્ટેરા)ના ઈંડાં અનુક્રમે શેઢા-પાળા…
Gujarat mass religious conversion Hindu to Muslim: ગુજરાતના ઈતિહાસમાં એક આખા ગામના મોટાભાગના લોકોને હિન્દુમાંથી મુસ્લિમ બનાવી ઇસ્લામ અંગીકાર કરાવી ધર્માંતરણ કરાવવાનો ગુજરાત સહિત દેશભરમાં ખળભળાટ મચાવનારો કેસ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આવ્યો હતો. મુસ્લિમ સમુદાયના લોકોએ ભરૂચ જિલ્લાના આમોદ ગામના મોટાભાગના લોકોને ઓછામાં ઓછા 37 થી વઘુ કુટુંબોના 100થી વધુ લોકોને બહુ પ્રિ-પ્લાનિંગ ખતરનાક ષડયંત્રના ભાગરૂપે મુસ્લિમમાં ધર્માંતરણ કરી દેવાયું હતું. આ વાતનો ખુલાસો ત્યારે થયો જયારે આ કેસના આરોપીઓએ પોતાની વિરૂદ્ધની ફરિયાદ રદબાતલ ઠરાવવા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ક્વોશિંગ પિટિશન દાખલ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન આરોપીઓના પાકિસ્તાન-કાશ્મીર અને વિદેશ કનેકશન ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાના ધર્માંતરણ કરાવવાના ષડયંત્રનો પર્દાફાશ થતા હાઇકોર્ટ…
