Author: gujarat

Ahmedabad Delhi flight fare Diwali vacation: દિવાળીના તહેવારોનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. દિવાળીના વેકેશનમાં છેલ્લી ઘડીએ બહાર ફરવા જવાનું આયોજન કરી રહ્યા હોવ તો તોતિંગ એરફેર અને ટ્રેનોમાં લાંબા વેઇટિંગનો સામનો કરવો પડશે. હાલ અમદાવાદ-દિલ્હીનું વન-વે એરફેર રૂપિયા 25 હજારે પહોંચી ગયું છે, જ્યારે અમદાવાદથી ઉત્તર ભારત તરફ જતી મોટાભાગની ટ્રેનમાં 25 ઓક્ટોબર સુધી ‘રિગ્રેટ’ એટલે કે ટિકિટ માટે અસમર્થતા દર્શાવી દેવામાં આવી છે. અમદાવાદ-દિલ્હીનું વિમાન ભાડું ₹25000ની નજીક, ટ્રેનોમાં ‘રિગ્રેટ’ આગામી 18 ઓક્ટોબરથી દિવાળીના તહેવારોનો પ્રારંભ થશે અને તેને લઇને જુલાઇથી જ બૂકિંગનો ધસારો શરૂ થઇ ગયો હતો. અમદાવાદ-દિલ્હીનું વન-વે એરફેર સામાન્ય દિવસોમાં રૂપિયા 4500ની આસપાસ હોય છે…

Read More

ગોધરા, પંચમહાલ જિલ્લાનું પ્રખ્યાત ધાર્મિક તથા પ્રવાસનસ્થળ પાવાગઢ ડુંગર ધોધમાર વરસાદની ઝાપટામાં ભીંજાઈ ગયું હતું. વહેલી સવારથી જ વરસેલા ભારે વરસાદને કારણે શ્રદ્ધાળુઓને માતાજીના દર્શન માટેની યાત્રામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.ભારે વરસાદને કારણે રોપ-વે સેવા તાત્કાલિક બંધ રાખવી પડી હતી, જેના કારણે યાત્રાળુઓને પગથિયાં પરથી જ દર્શનાર્થી ચઢાણ કરવું પડ્યું.પગથિયાં પરથી પાણીના તીવ્ર પ્રવાહ વહેતા થતાં શ્રદ્ધાળુઓ માટે અવરજવર કઠિન બની ગઈ હતી. તેમ છતાં, પ્રકૃતિના આ અનોખા રમણીય દ્રશ્યોમાં યાત્રાળુઓ માતાજીના દર્શન કરીને ધન્યતા અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરતા જોવા મળ્યા હતા.વરસાદના કારણે પાવાગઢના પગથિયાં પાણીથી છલકાઈ ગયા હતા અને આસપાસનો વિસ્તાર ઘેરા વાદળોથી ઢંકાઈ જવાથી અદ્ભુત નજારો…

Read More

NCRB Gujarat crime report: શાંત અને સમૃદ્ધ ગુજરાતની જાણે શાંતિ હણાઇ છે, કારણ કે, એક જ વર્ષમાં રાજ્યમાં 232 છમકલાં થયાં છે. ધાર્મિક મુદ્દે જ નહીં, જાતિવાદના મુદ્દે પણ ગુજરાતમાં તોફાન થયાં છે. પાણી અને વિજળીના પણ બે જૂથો વચ્ચે મોટી તકરાર થઈ હોવાનુ પોલીસ ચોપડે નોધાયું છે. ટૂંકમાં નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરોના અહેવાલ પરથી ગુજરાતની કાયદા વ્યવસ્થાની સ્થિતિ ઉજાગર થઈ છે. શહેરો-ગામડામાં જૂથવાદનું બીજ રોપાયું ગુજરાતમાં નાની સરખી બાબતે પણ ઝઘડા વધવા માંડ્યા છે. એટલુ જ નહીં, શહેરો અને ગામડાઓમાં જૂથવાદ અને જાતિવાદનુ બી રોપાયુ છે જેના કારણે તોફાન થવા માંડ્યાં છે. વધતાં જતાં તોફાન-રમખાણો, છમકલાંએ શાંત ગુજરાતની ઓળખ…

Read More

રાજકોટ, રાજકોટની સોનીબજારમાંથી ત્રણ વરસ પહેલા પકડાયેલા અલ-કાયદાના ત્રણ આતંકીને સેશન્સ કોર્ટે અંતિમ શ્વાસ સુધીની સખત કેદની સજા અને રૂ.૧૦ હજારનો દંડ ફટકાર્યાે છે.૨૬ જુલાઈના રોજ અમદાવાદ એટીએસને બાતમી મળી હતી કે પશ્ચિમ બંગાળના વતનીઓ અમન સિરાજ મલિક (ઉં.૨૩), અબ્દુલ શકુરઅલી શેખ (ઉં.૨૦) અને સૈફ નવાઝ અબુ શાહીદ (ઉં.૨૩) રાજકોટની સોનીબજારમાં મજૂરીકામ કર છે અને સાથે મસ્જિદમાંથી દેશવિરોધી જેહાદી પ્રચાર કરે છે.આ ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ એ.ટી.એસ.ના ડી.એસ.પી.ને રાજકોટ ખાતે તપાસ કરવા મોકલાયા હતા અને ૩૧ જુલાઈ ૨૦૨૩ના રોજ અબ્દુલ શકુરઅલી શેખ અને અમન સિરાજ મલિકને રાજકોટ રેલવે સ્ટેશન, પાર્સલ ઓફિસ પાસેથી પકડી પાડવામાં આવ્યા હતા.આ સમયે અબ્દુલ શકુરઅલી શેખ…

Read More

Diwali cyber fraud risk online shopping payment: નવરાત્રિ પૂર્ણ થઈ અને દિવાળી માટે બજારો સજ્જ થઈ રહી છે. આવા તબક્કે જ દિવાળીમાં સાયબર ક્રાઈમમાં 60 ટકા જેવો ઉછાળો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિક બજારોમાંથી ખરીદીની સાથોસાથ જ સારી સ્કીમ્સની ઓફર સાથે ઓનલાઈન માર્કેટ પણ ધમધમવાની છે. બજારો સજ્જ બની રહી છે સાથે જ 100 પ્રકારના ગુનાના ઈન્ટરનેશનલ ફ્રોડ નેટવર્ક સાથે સાયબર ગઠિયાઓ સક્રિય થવાની તૈયારીમાં છે. દિવાળીમાં સાયબર ક્રાઈમ 60% વધી શકે છે ઓનલાઈન શોપિંગની આડઅસર ગણો કે લોભામણી લાલચમાં લોકોને ફસાવવાના કારસ્તાન, વર્ષ 2023માં નવરાત્રિ – દિવાળી દરમિયાન સાયબર ક્રાઈમમાં 54 ટકા અને 2024માં 60 ટકાનો વધારો…

Read More

અમદાવાદ, બિસ્માર રોડ-રસ્તા, ટ્રાફિક-પાર્કિંગ અને દબાણના મુદ્દે કન્ટેમ્પ્ટ પિટિશનની સુનાવણીમાં હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે,‘રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને કારની કાચ પર બ્લેક ફિલ્મ હજુ પણ જોવા મળે છે.ફાસ્ટફૂડ શોપની બહાર મોડી રાત્રે ગ્રાહકોના વાહનોનો ભયંકર દબાણથી રોડ જામ થઇ જાય છે. ઓથોરિટી દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે એના ભાગરૂપે લોકોના મનમાં ભય વધ્યો છે. પરંતુ જો એકવાર ઓથોરિટી એની ઝુંબેશ અટકાવી દેશે તો પરિસ્થિતિ ‘જૈસે થે’ જેવી થઇ જશે. એટલે ઓથોરિટીએ વર્ષ કે બે વર્ષ સુધી આકરી કાર્યવાહી ચાલુ રાખવી જોઇએ.જેથી લોકોમાં ભયના કારણે પણ ટ્રાફિકના નિયમોનો અમલ કરવાની ટેવ પડી જાય. પેટ્રોલ પંપ અને ડિવાઇડર્સની નજીકથી…

Read More

Ahmedabad mental health cases increase: આજની ઝડપી અને તણાવપૂર્ણ જીવનશૈલીને કારણે અમદાવાદના નાગરિકોનું માનસિક સ્વાસ્થ્ય ગંભીર રીતે કથળી રહ્યું છે. છેલ્લા 5 વર્ષમાં શહેરમાં એન્ક્ઝાઇટી ડિસઓર્ડરના કેસોમાં 400 ટકા અને ડિપ્રેશનના કેસોમાં 300 ટકાનો વધારો નોંધાયો છે. આ આંકડાઓ શહેરી જીવનના વધતા માનસિક બોજ તરફ સ્પષ્ટ ઈશારો કરે છે. મનોચિકિત્સકોની સંખ્યામાં ધરખમ વધારો છતાં કેસ વધ્યા એક સમય હતો જ્યારે 30 વર્ષ પહેલાં અમદાવાદમાં આંગળીના વેઢે ગણી શકાય એટલા જ મનોચિકિત્સકો (Psychiatrists) હતા અને માનસિક તકલીફનો સ્વીકાર કરવો પણ મુશ્કેલ હતો. તેની સામે આજે ગુજરાતમાં અંદાજિત 511 અને એકલા અમદાવાદમાં અંદાજિત 411 પ્રેક્ટિસિંગ મનોચિકિત્સકો છે. આટલી મોટી સંખ્યામાં નિષ્ણાતો હોવા…

Read More

વડોદરા, વડોદરામાં સુભાનપુરા વિસ્તારમાં રહેતા એલઆઇસીના નિવૃત્ત ૭૩ વર્ષીય અધિકારીને ડિજિટલ એરેસ્ટના નામે દમદાટી આપી ઠગોએ તેર લાખ રૂપિયા ખંખેરી લીધા હોવાનું બનાવો બનતા તેમણે પોલીસને જાણ કરી છે.નિવૃત્ત અધિકારીએ પોલીસને કહ્યું છે કે, ગત તારીખ ૨૩મી એ બપોરે મને વિશાલ શર્મા નામના ટેલીફોન ડિપાર્ટમેન્ટના અધિકારી તરીકે ફોન આવ્યો હતો અને નવ નંબરનું બટન દબાવવા કહ્યું હતું. જે બટન દબાવતા મને સામેથી કહેવાય હતું કે તમારી સામે એફઆઇઆર થઈ છે અને દિલ્હીથી ખરીદેલા આ સીમ કાર્ડ ઉપરથી તમારા દ્વારા બરોડા બેંક દિલ્હીમાં એક સેવિંગ એકાઉન્ટ પણ ખોલવામાં આવ્યું છે.જેથી મેં આ બાબતનો ઇન્કાર કર્યાે હતો.ત્યારબાદ મારા ઉપર પોલીસ ઇન્સ્પેકટર ગોપેશ…

Read More

Jagdish Vishwakarma Gujarat BJP chief: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી રહેલા જગદીશ વિશ્વકર્મા, ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત થયા છે. શનિવારે, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે જાહેરમાં તેમના નામની જાહેરાત કરી. રાજ્ય પ્રમુખની ચૂંટણી માટે જગદીશ વિશ્વકર્મા એકમાત્ર ઉમેદવાર હતા, જેના કારણે એક દિવસ પહેલા તેમની નિમણૂક નિશ્ચિત થઈ ગઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અગાઉ પ્રદેશ પ્રમુખ પદ સંભાળી ચૂકેલા સીઆર પાટીલ પણ હાજર હતા. સીઆર પાટીલ કેન્દ્રમાં મંત્રી છે. 52 વર્ષીય જગદીશ વિશ્વકર્માને રાજ્યના સંગઠનાત્મક નેતા તરીકે નિયુક્ત કરીને, ભાજપે બે મોટા સંકેતો આપ્યા છે. પહેલો એ છે કે પાર્ટીનો સૌથી નાનો કાર્યકર પણ પાર્ટીનું સંચાલન કરી શકે…

Read More

છેલ્લાં 11 વર્ષથી અવિરત સેવા બજાવી રહેલાં કર્મનિષ્ઠ અને કર્મયોગી HTAT આચાર્ય નિવૃત્ત થતાં તેમનાં વિદાય સમારંભમાં ભાવુક દ્રશ્યો સર્જાયા-કીમ પ્રાથમિક શાળાનાં કર્મનિષ્ઠ અને કર્મયોગી આચાર્ય દિનેશચંદ્ર પટેલનો વિદાય સમારંભ યોજાયોસુરત, ઓલપાડ તાલુકાનાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કીમ પ્રાથમિક શાળામાં છેલ્લાં 28 વર્ષથી અવિરત સેવા બજાવી રહેલાં આચાર્ય દિનેશચંદ્ર પટેલ વય નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારંભ અત્રેની શાળાનાં પટાંગણમાં યોજવામાં આવ્યો હતો.સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ આ સમારંભમાં ગામનાં સરપંચ પ્રવિણભાઈ પટેલ, ઉપસરપંચ મનોજભાઈ શાહ, પંચાયત સભ્ય દિવ્યેશભાઈ પટેલ, બીટ નિરીક્ષક નગીનભાઈ પટેલ,બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર,…

Read More