Author: gujarat

Girnar Gorakhnath Temple: ગિરનારના ગોરખનાથ મંદિરથી મોટા સમાચાર સામે આવ્યા છે. મોડી રાત્રે 5500 પગથિયા ઉપર આવેલા મંદિરમાંથી અજાણ્યા શખસો દ્વારા ગોરખનાથના મંદિરમાંથી મૂર્તિની તોડફોડ કરી જંગલ વિસ્તારમાં ફેંકી દેવામાં આવી હતી. સમગ્ર ઘટનાથી ભાવિ ભક્તોમાં રોષ ભભુક્યો છે અને પ્રતિમાની તોડફોડ કરનાર સામે કડક સજાની માંગ કરવામાં આવી રહી છે. શું હતી ઘટના? સમગ્ર બાબતે શેરનાથ બાપુએ જણાવ્યું કે, ગિરનાર પર 5500 પગથિયા ઉફર ગિરનાર ગોરખનાથનું મંદિર આવેલું છે. રવિવારે (5 ઓક્ટોબર) વહેલી સવારે 3 થી 4 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. જેમાં મૂર્તિ તોડનાર અસામાજિક તત્ત્વોએ સૌથી પહેલાં પૂજારીના રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. પરંતુ,…

Read More

Ashwamedh Mahayagya Jamnagar 2026: અશ્વમેધ મહાયજ્ઞ મહોત્સવ – 2026… સ્થળ: જામનગર – ખંભાળિયા બાયપાસ, એરપોર્ટ રોડ સામે તારીખ: 12 થી 20 ફેબ્રુઆરી 2026 ભારતનો ગૌરવ – યુગોનો સંગમ ૫૫૫૫ કુંડ ધરાવતો અશ્વમેધ મહાયજ્ઞ ભારતની આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક ચેતનાનું સર્વોત્તમ અને ભવ્ય આયોજન છે। આ યજ્ઞ ૫૫૫૫ વર્ષ બાદ ફરી એ જ મહાભારત યુગના દિવ્ય મુહૂર્તે આયોજિત થવાનો છે —જે આધુનિક ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત અનુભવી શકાયો છે। જે શુભ મુહૂર્તે ભગવાન શ્રીકૃષ્ણે યુધિષ્ઠિર દ્વારા અશ્વમેધ યજ્ઞ કરાવ્યો હતો, તે જ શુભ મુહૂર્તે આજે ૫૫૫૫ વર્ષ બાદ ફરી આ અશ્વમેધ મહાયજ્ઞ ૫૫૫૫ યજ્ઞકુંડો સાથે સંપન્ન થવાનો છે। કાર્યક્રમની વિશેષતાઓ (USP)…

Read More

અમદાવાદ મ્યુનિ. શાસકોએ પરત કરેલી દરખાસ્ત ફરીથી રજૂ કરવા કમિશનરની સૂચના-મ્યુનિ.ની ભૂલના કારણે અપમૃત્યુ થશે તો કમિશનર જ જવાબદાર અધિકારીઓ સામે ફરિયાદ કરશે ગોતા, સતાધાર, રાણિપ, ચાંદખેડા, સાબરમતી, નિકોલ, નરોડા, સહિતના વિસ્તારોમાં રખડતી ગાયો અને રખડતા પશુઓ મામલે લેખિતમાં પણ મોટાપાયે ફરિયાદો આવી રહી છે.(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના જરાપોળ જંકશન પર બની રહેલા ફ્‌લાયઓવર ના કામ માં બેદરકારી દાખવવા બદલ મ્યુનિસિપલ અધિકારી ને શો-કોઝ નોટિસ આપવામાં આવી છે. મ્યુનિસિપલ અધિકારીઓની બેદરકારી બદલ કોઈ નાગરિક નું મૃત્યુ થશે તો કમિશ્નર જ જે તે અધિકારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરશે તેવી ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત શાસક પક્ષ ઘ્‌વારા પરત મોકલવામાં આવેલી ખાનગી…

Read More

સૌજન્ય: દિલીપ પટેલ Gujarat BJP President List and SEBC Castes: કેશુભાઇ પટેલ – 1980 થી 1983 મકરંદ દેસાઇ – 1983 થી 1985 ડો. એકે પટેલ – 1985 થી 1986 શંકરસિંહ વાઘેલા – 1986 થી 1991 કાશીરામ રાણા – 1991 થી 1996 વજુભાઇ વાળા – 1996 છી 1998 રાજેન્દ્રસિં રાણા – 1998 થી 2005 વજુભાઇ વાળા – 2005 થી 2006 પરસોત્તમ રૂપાલા – 2006 થી 2010 આરસી ફળદુ – 2010 થી 2016 વિજય રૂપાણી – ફેબ્રુઆરી 2016 થી ઓગષ્ટ 2016 જીતુ વાઘાણી – ઓગષ્ટ 2016 થી જુલાઇ 2020 સીઆર પાટીલ – જુલાઇ 2020 થી સપ્ટેમ્બર 2025 સૌથી વધારે OBC કોળી હોવા…

Read More

આરબીઆઈએ નિકાસકારો માટે વિવિધ પગલાં જાહેર કર્યાં(એજન્સી)મુંબઈ, અમેરિકાના ૫૦ ટકા ટેરિફનો સામનો કરવા માટે નિકાસકારો માટે રિઝર્વ બેન્કે અનેક પગલાં જાહેર કર્યા છે. આ પગલામાં પેપરવર્કમાં ઘટાડો, નાના નિકાસકારો અને આયાતકારો માટે કમ્પ્લાયન્સનો બોજ હળવો કરવાનો સમાવેશ છે.આરબીઆઈના ગવર્નર સંજય મલ્હાત્રાએ કહ્યું હતું કે દેશના અર્થતંત્ર માટે નિકાસ મહત્વનો ભાગ છે.આરબીઆઈએ કરેલી જાહેરાતમાં ભારતીય નિકાસકારો માટે આઈએફએસસીમાં ફોરેન કરન્સી એકાઉન્ટ રિપેટ્રિએશનનો સમયગાળો એક મહિનાથી વધારીને ત્રણ મહિના કરાયો છે.જાન્યુઆરીમાં આરબીઆઈએ નિકાસકારોને ભારતની બહાર બેન્કમાં ફોરેન કરન્સી એકાઉન્ટ્‌સ શરૂ કરવાની મંજૂરી આપી હતી જેથી નિકાસ પ્રક્રિયાનું રિયલાઈઝેશન સારી રીતે પાર પડે. આ ખાતામાં રહેલા ફંડનો ઉપયોગ આયાતની ચૂકવણી માટે કરી શકાય…

Read More

Rhythms Foundation: રિધમસ ફાઉન્ડેશન દ્વારા આવનારા 5555 કુંડ અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ-2026 અંગે માહિતી આપવા માટે ખાસ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અંતર્ગત 9999 કિમી લાંબી ભારતભ્રમણ યાત્રા અને શ્રીમદ્ ભગવદ્ કથાનું નવ દિવસીય વિશ્વ સ્તરીય આયોજન થવાનું છે. આ પ્રેસ પરિષદનું આયોજન 5 ઑક્ટોબર, રવિવારના રોજ સાંજે 3 વાગ્યાથી 7 વાગ્યા સુધી જામનગરના સરકીટ હાઉસ, લાલ બંગલા ખાતે કરવામાં આવશે. કાર્યક્રમ દરમ્યાન હાજર પત્રકારોને મહોત્સવની વિસ્તૃત માહિતી આપવામાં આવશે. ફાઉન્ડેશન દ્વારા જણાવાયું છે કે પ્રસંગે ઉપસ્થિત સૌ માટે સાંજે 4 થી 5 વાગ્યા સુધી હાઇ ટી અને નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રિધમસ ફાઉન્ડેશનએ જણાવ્યું કે,…

Read More

દશેરાના દિવસે રાજ્યમાં ૪૪ હજાર ટુ વ્હીલર અને ૧૦ હજાર કારનું વેચાણ થયું હતું. એમાંથી ૬ હજાર ટુ વ્હીલર અને ૨૪૦૦ કારનું વેચાણ તો માત્ર અમદાવાદમાં જ નોંધાયું હતું. (એજન્સી)અમદાવાદ, સામાન્ય રીતે દશેરાના તહેવારનાં દિવસે લોકો નવા વાહનની ખરીદી મોટા પ્રમાણમાં કરતા હોય છે. એેમાં પણ આ વર્ષે તો સોને પે સુહાગા,જીએસટી ઘટતા બાઈકમાં ૧૦ હજાર અને કારમાં ૧ લાખ આસપાસ ફાયદો થઈ રહ્યો છેત્યારે દશેરાના દિવસે રાજ્યમાં ૪૪ હજાર ટુ વ્હીલર અને ૧૦ હજાર કારનું વેચાણ થયું હતું. એમાંથી ૬ હજાર ટુ વ્હીલર અને ૨૪૦૦ કારનું વેચાણ તો માત્ર અમદાવાદમાં જ નોંધાયું હતું. નવરાત્રી દરમિયાન સમગ્ર ગુજરાતભરમાં અધધધ ૩૩૦૦…

Read More

Cyclone Shakti update: શિયાળાની શરૂઆત પહેલાં સિઝનનું પહેલું વાવાઝોડું ‘શક્તિ’ ઝડપથી મહારાષ્ટ્રની તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે મુંબઈ અને ગુજરાત સહિતના જિલ્લામાં એલર્ટ જાહેર કર્યું છે. ‘શક્તિ’ વાવાઝોડું હાલમાં ગુજરાતના દ્વારકાથી 510 કિલોમીટરના અંતરે છે. તે હજુ પણ છેલ્લા 6 કલાકથી 13 કિ.મી. પ્રતિકલાકની ઝડપે જ આગળ વધી રહ્યું છે. જો કે, આ પહેલાં આ વાવાઝોડું મુંબઈ, રાયગઢ, ઢાણેસ સિંધુદુર્ગ, રત્નાગિરી અને પાલઘરમાં ભયાનક તબાહી મચાવી શકે છે. હાલ, વાવાઝોડાના કારણે પોરબંદરના દરિયામાં કરંટ જોવા મળ્યો છે, જેના કારણે તંત્ર દ્વારા 3 નંબરનું સિગ્નલ શરૂ કરવામાં આવ્યું છે. જાફરાબાદના દરિયાકાંઠે ‘શક્તિ’ નામના સંભવિત વાવાઝોડાની આગાહીને પગલે તંત્ર…

Read More

વીજ ગ્રાહકો પાસેથી ફયુઅલ સરચાર્જ પ્રતિ યુનિટ રૂ.ર.૪પના બદલે રૂ.ર.૩૦ વસૂલાશે-૧.૮૦ કરોડ ગ્રાહકોને પ્રતિ યુનિટ ૧પ પૈસાની રાહત મળશેવડોદરા, ગુજરાત સરકારે ૧લી સપ્ટેમ્બરના રોજ ચાર વીજ વિતરણ કંપનીના ગ્રાહકોને પ્રતિ યુનિટ ૧પ પૈસા ફયુઅલ સરચાર્જની રાહત અંગે જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ તા.૩૦મી સપ્ટેમ્બરના રોજ જીયુવીએનએલએ સરકારની જાહેરાતના અમલ અંગે સત્તાવાર કાર્યવાહી કરી છે.ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડે તેની ચાર વીજ વિતરણ કંપનીઓને સત્તાવાર જાણ કરી છે કે, ૧લી જુલાઈથી અમલમાં આવે તે રીતે વીજ ગ્રાહકો પાસેથી ફયુઅલ સરચાર્જ પ્રતિ યુનિટ રૂ.ર.૪પના બદલે પ્રતિ યુનિટ રૂ.ર.૩૦ વસૂલવા જીયુવીએનએલના કોમર્સ વિભાગ દ્વાર મધ્ય ગુજરાત વીજ કંપની, ઉત્તર ગુજરાત વીજ કંપની,દક્ષિણ…

Read More

Cough syrup child deaths Gujarat: રાજસ્થાનમાં કફ સિરપ પીવાથી થયેલા બાળકોના મોતના પડઘા હવે ગુજરાત સુધી પહોંચ્યા છે. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં કફ સિરપના વેચાણ અંગે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. તેમણે આરોગ્ય વિભાગ પાસેથી આ અંગે રિપોર્ટ માંગ્યો છે અને કેન્દ્રની માર્ગદર્શિકા તથા રાજસ્થાનના રિપોર્ટનો અભ્યાસ કરવા સૂચના આપી છે. આ આદેશનો હેતુ ગુજરાતમાં વેચાતા કફ સિરપની ગુણવત્તા અને સલામતી ચકાસવાનો છે. આરોગ્ય વિભાગને આપ્યા તપાસના આદેશ કેન્દ્રીય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગના અધિકારીઓને તાત્કાલિક ધોરણે પગલાં લેવા જણાવ્યું છે. તેમણે ખાસ કરીને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અને રાજસ્થાનમાંથી આવેલા રિપોર્ટ્સનો સંપૂર્ણ અભ્યાસ કરવાની સૂચના આપી છે. આ…

Read More