Author: gujarat
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) (પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં દશેરાના પાવન દિવસે પ્રશાસન દ્વારા અસામાજિક તત્વો તેમજ આરોપીઓ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો પર દાદાનું બુલડોઝર ફર્યું હતું.સિગ્નલ ફળિયા વિસ્તાર નજીક આવેલા નાગા તલાવડી વિસ્તારમાં સરકારી જમીન પર લાંબા સમયથી ગેરકાયદે દબાણ કરવામાં આવી રહ્યા હતા. નગરપાલિકા તથા પ્રશાસનને વારંવારની રજૂઆતો છતાં અસામાજિક તત્વો દ્વારા દબાણો વધતા જતા હતાં.ગુરવાર ની વહેલી સવારે ગોધરા નગરપાલિકા, મહેસૂલ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, પોલીસ વિભાગ તથા મધ્ય ગુજરાત વીજ કંપનીના સંયુક્ત તંત્ર દ્વારા આ દબાણો દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી. પોલીસ ના કડક બંદોબસ્ત વચ્ચે સરકારી જમીન પર…
દારૂ પરમીટ મુદ્દે પોરબંદર ટોપ-૧૦માં અગાઉ ૨,૨૦૦ લોકો પાસે હતીપોરબંદર, લીકર પરમીટ કઢાવવા અને રિન્યુ કરાવવામાં રોગી કલ્યાણ સમિતિ દ્વારા યુનિટ દીઠ ભાવમાં ૫ ગણો વધારો કરવામાં આવતા છેલ્લા બે વર્ષમાં પરમીટ ધારકોની સંખ્યા અડધી થઈ છે.જેમના નામ પર સમગ્ર રાજ્યમાં દારૂબંધીની નીતી અમલમાં છે તે મહાત્મા ગાંધીજીની ૨ ઓકટોબરે જન્મજયંતી છે. ત્યારે તેઓના જન્મસ્થળ પોરબંદરમાં ગાંધીજીની દારૂબંધીની નીતિને સફળતા મળી હોય તેમ દારૂના પરમીટ ધારકોની સંખ્યા બે વર્ષમાં અડધી થઈ છે. ૨ વર્ષ પૂર્વે ૨૨૦૦ થી વધુ લોકો નશાબંધી ખાતાની આરોગ્ય પરમિટ વર્ષોથી ધરાવતા હતાઅને ફેમિલી ડોકટરની સલાહ મુજબ આલ્કોહોલનું સેવન કરી આરોગ્ય સારૂ રાખતા હતા. આ પરમીટ કઢાવવા…
Dussehra Celebration in Ahmedabad: દશેરાનું પર્વ આજે (ગુરુવાર) અમદાવાદ શહેરમાં ભવ્ય ધામધૂમથી ઉજવાશે. આ અવસરે વિવિધ વિસ્તારોમાં પરંપરાગત રાવણ દહનના કાર્યક્રમો યોજાશે, જ્યાં હજારો લોકો ઉમટી પડશે. મુખ્ય સ્થળોએ ભવ્ય આયોજન શહેરના ખોખરા રેલવે ગ્રાઉન્ડ, અમરાઈવાડી નાગરવેલ હનુમાન મંદિર, સાબરમતી ડી-કેબિન, તેમજ ભાડજ સ્થિત ઈસ્કોન મંદિર ખાતે વિશાળ રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે. ખોખરા રેલવે ગ્રાઉન્ડ ખાતે લગભગ છ દાયકાથી વધુ સમયથી આ પરંપરા ચાલી રહી છે. અહીં 45 ફૂટ ઊંચા રાવણના પુતળાનું દહન સાંજે કરવામાં આવશે. અમરાઈવાડી ખાતેના નાગરવેલ હનુમાન મંદિર પાસે પણ એટલી જ ઊંચાઈનું રાવણ પુતળું દહન કરાશે. અહીં નવ દિવસની રામલીલા બાદ અંતિમ દિવસે રાવણ દહન સાથે…
અમદાવાદ, કોઈ વ્યક્તિ કોઈ અંતરિયાળ વિસ્તારમાં જાય અથવા તો આવા વિસ્તારમાં કોઈ બિલ્ડીંગની અંદર જાય તો મોબાઈલ નેટવર્ક જતું રહે એવું ઘણીવાર બનતું હોય છે. જેના કારણે અજાણતાં જ આવી વ્યક્તિઓ કેટલીક વાર મોટી મુશ્કેલીઓમાં મૂકાઈ જતા હોય છે.આની ગંભીર નોંધ લઈને સરકાર હવે નિયમો કડક બનાવવા વિચારણા કરી રહી છે અને એવી જોગવાઈ લાગુ કરવા માંગે છે કે જેથી ટેલિકોમ કંપનીઓ માત્ર મોબાઈલ ટાવર ઊભા કરીને છૂટી ન જઈ શકે પરંતુ વાસ્તવિક રીતે દરેક જગ્યાએ કવરેજ મળે તે સુનિશ્ચિત કરવાની તેમની જવાબદારી બને.સરકારે જે વિચારણા હાત ધરી છે તે મુજબ ટેલિકોમ કંપનીઓએ તેમના સર્વિસ ઓબ્લિગેશન અંતર્ગત મોબાઈલનો ઉપયોગ કરી…
Surendranagar car accident: સુરેન્દ્રનગર જિલ્લાના સરા-ધ્રાંગધ્રા રોડ પર આજે (પહેલી ઓક્ટોબર) ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક કાર પલટી ખાઈ પાણીમાં ખાબકતા કારમાં સવાર બે મહિલા અને એક પુરુષ સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યાં હતા. મૃતકો મૂળી તાલુકાના દાધોડિયા ગામના એક જ પરિવારના સભ્યો હોવાનું સામે આવ્યું છે, જેના પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર, સરા-ધ્રાંગધ્રા રોડ પરથી પસાર થઈ રહેલી કાર અચાનક નિયંત્રણ ગુમાવી પલટી મારીને પાણીના ખાડામાં ખાબકી હતી. અકસ્માત એટલો ભયાવહ હતો કે, કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યાં હતા. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ બબુબેન જેજરિયા…
સાદા સાત્વિક ભોજન સાથે યુવાન ખેલૈયાઓએ દરરોજ ૮-૧૦ ગ્લાસ પાણી, નારિયેળ પાણી અને લીંબુ પાણી પીવું જોઈએ.નવરાત્રીના મોડી રાતના નાસ્તાઓ કેલેરી વધારીને આરોગ્ય બગાડે છે(એજન્સી)અમદાવાદ, નવરાત્રીમાં જો ફાસ્ટફૂડ બંધ કરીને સાત્વિક ભોજન સાથે ગરબા રમવામાં આવે તો ફૂડ ઈન્ટેકમાં ૪૦ ટકાનો ઘટાડો કરીને વજનમાં ત્રણ કિલોનો ઘટાડો સરળતાથી થાય છે. પરંતુ નાસ્તા કે ફાસ્ટફૂડનું અસાવધાનીથી સેવન કરવામાં આવતા ૬પ ટકા લોકો વજન વધારાની ફરિયાદો કરતા જોવા મળ્યા છે.તાજેતરમાં થયેલા હેલ્થશોટ્સના એક સર્વેમાં ૧૦૦૦ લોકોના નવરાત્રીના ઉપવાસ અને તેમની શારીરિક પ્રવૃત્તિનો અભ્યાસ કરવામાં આવ્યો હતો જેમાં ૭ર ટકા લોકોએ જણાવ્યું હતું કે, તેમનું વજન ૧ કિલોથી ૩ કિલો સુધી ઘટયું. આ…
Gujarat suicide and crime statistics: ગુજરાતમાં દરરોજ સરેરાશ 25 લોકો આત્મહત્યા કરીને જીવન ટૂંકાવે છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના અહેવાલ પ્રમાણે આત્મહત્યા માટે બીમારી સૌથી મોટું જવાબદાર પરિબળ છે. બીમારીને કારણે દરરોજ સરેરાશ પાંચ વ્યક્તિ આત્મહત્યા કરે છે. બીજી તરફ હત્યાના 30 ટકા જેટલા કેસમાં સામાન્ય બોલાચાલી જવાબદાર હોવાનું સામે આવ્યું છે. 2025નું વર્ષ પૂરું થવામાં હવે 3 મહિના બાકી છે ત્યારે છેક નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો દ્વારા વર્ષ 2023માં ગુજરાતમાં ગુનાખોરી-આત્મહત્યાના કેસનું ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. આ અહેવાલ પ્રમાણે આત્મહત્યા કરનારામાં 6260 પુરુષ, 2685 મહિલા જ્યારે 3 ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે. ગરીબીને કારણે 67, બેરોજગારીને કારણે 207 લોકોએ…
પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજરે અમદાવાદ ડિવિઝનના બે કર્મચારીઓને સંરક્ષા પુરસ્કારોથી સન્માનિત કર્યારેલ્વે ના સંચાલનમા સંરક્ષા સર્વોપરી છે અને દરેક કર્મચારીની સજગતા અને સતર્કતા આ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર શ્રી વિવેક કુમાર ગુપ્તાએ અમદાવાદ ડિવિઝનના બે રેલ્વે કર્મચારીઓને તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે સંરક્ષા પુરસ્કારથી સમ્માનિત કર્યા. આ પુરસ્કાર ઓગસ્ટ 2025 દરમિયાન ફરજ પર રહેલી સતર્કતા અને સમયસર સંભવિત અકસ્માતોને ટાળવામાં મુખ્ય ભૂમિકા ભજવવા બદલ આપવામાં આવ્યા હતા.પુરસ્કાર પ્રાપ્ત કરનારા કર્મચારીઓ (૧) શ્રી મનીષ કુમાર, પોઈન્ટ્સમેન – જાટ પીપલી, 28.08.2025 ના રોજ ફરજ પર હતા ત્યારે ડાઉન ગાડી નંબર E/BCN/GIMB LC-29 પસાર થઇ રહી હતી જેનું…
અમદાવાદ મંડળ પર “વેસ્ટ ટુ આર્ટ ઇન્સ્ટોલેશન” અને RRR પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું.“સ્વચ્છતા હી સેવા” (SHS) અભીયાન 2025, જે 17 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રવ્યાપી સ્તરે શરૂ થઈ હતી, 2 ઓક્ટોબર, 2025ના રોજ ગાંધી જયંતિના અવસરે પૂર્ણ થશે. આ અભિયાન હેઠળ, પશ્ચિમ રેલ્વેનો અમદાવાદ મંડળ નિરંતર નવીનતા અને પર્યાવરણીય જાગૃતિમાં સતત અગ્રણી ભૂમિકા ભજવી રહ્યો છે.અભીયાનના છઠ્ઠા દિવસે, તારીખ 22.09.2025 ના રોજ, કચરામાંથી કલા સ્થાપનો” થીમ હેઠળ અમદાવાદ મંડળના વિવિધ સ્થળોએ “કચરા સામગ્રીના સર્જનાત્મક ઉપયોગ પર કેન્દ્રિત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસનો હેતુ આરઆરઆર ઘટાડો, પુનઃઉપયોગ અને રિસાયકલની ભાવનાને પ્રોત્સાહન આપવાનો હતો.ડીઝલ શેડ, સાબરમતી અને કોચિંગ ડેપો, ભુજ ખાતે કચરા…
