Author: gujarat

ગાંધીનગર, ગાંધીનગર શહેરમાં ચેઈન સ્નેચિંગની ઘટનાઓ વધી રહી છે ત્યારે કુડાસણમાં ઘર નજીક શાકભાજી લેવા માટે જઈ રહેલી મહિલાના ગળામાંથી ૧.૭૫ લાખ રૃપિયાનો સોનાનો દોરો તોડીને બાઈક ઉપર આવેલો ચેઇન સ્નેચર ફરાર થઈ ગયો હતો.જે સંદર્ભે ઇન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.પાટનગર ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે હવે ચેઇન સ્નેચરો પણ સક્રિય થયા છે. આ સ્થિતિમાં કુડાસણમાં વધુ એક મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલ ઝડપની ઘટના બહાર આવી છે.આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે કુડાસણમાં આવેલી સમન્વય રેસીડેન્સીમાં રહેતા રૃપલબેન જીગ્નેશભાઈ તન્ના તેમના ઘર નજીક શાકભાજી લેવા માટે…

Read More

Gujarat pollution crisis: ગુજરાતમાં ઔદ્યોગિકીકરણ અને વધતાં જતા વાહનો કારણે પ્રદુષણની સમસ્યા વધુને વધુ ઘેરી બની રહી છે. પર્યાવરણની દુહાઈ દેવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ સહિત અન્ય શહેરોમાં હવા-પાણીનુ પ્રદુષણ વકર્યુ છે. લોકસભામાં રજૂ કરાયેલાં રિપોર્ટ મુજબ, છેલ્લાં પાંચેક વર્ષમાં કુલ મળીને રૂા. 957 કરોડનો ધુમાડો કરાયો છે છતાં પણ ગુજરાતમાં પ્રદુષણને કાબૂમાં લઈ શકાયુ નથી. પર્યાવરણવિદોએ તો ચિંતા વ્યક્ત કરી છેકે, જો આ પરિસ્થિતીમાં સુધારો નહી આવે તો દિલ્હી-હરિયાણા જેવી દશા થાય તે દિવસો હવે દૂર નથી. અમદાવાદમાં પ્રદુષણનું પ્રમાણ વધ્યું ઔદ્યોગિક વિકાસની આંધળી દોટમાં જાણે પ્રદુષણ પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં છે. આજે અમદાવાદ જેવી…

Read More

આરતી અને હાર્દિક મોડાસિયા યુકે યુનિવર્સિટીમાં પ્રવેશ માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને મફત એડમીશન અપાવીને મદદ કરે છેઅમદાવાદ: અમદાવાદના આરતી અને હાર્દિક મોડાસિયાની યુનાઇટેડ કિંગડમ (યુકે)માં કરેલી સફર એક હિંમત, દ્રઢતા અને દૂરંદેશીની એક અનોખી વાર્તા છે. વર્ષ 2022માં જ્યારે તેઓ યુકે પહોંચ્યા, ત્યારે તેમને જીવન નિર્વાહ ચલાવવા માટે નાની-મોટી નોકરીઓનો સામનો કરવો પડ્યો હતો. આજે, માત્ર ત્રણ વર્ષમાં, તેઓએ ‘ આવીયોર‘ નામની કંપની સ્થાપી છે, જે યુકેમાં સત્તાવાર રીતે નોંધાયેલ છે અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને તેમની યુકેની સફર વધુ સરળ બનાવવા માટે મદદ કરે છે.આરતી મોડાસિયા તેમના પ્રારંભિક દિવસોને યાદ કરતા કહે છે, “પહેલા બે-ત્રણ મહિના સૌથી મુશ્કેલ હતા. બધું અજાણ્યું હતું,…

Read More

Ahmedabad hoarding workers accident: અમદાવાદના સાઉથ બોપલમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આજે રવિવારે (28 સપ્ટેમ્બર) બિલ્ડિંગના સાતમા માળે હોર્ડિંગ લગાવતી વખતે 3 શ્રમિક નીચે પટકાયા હોવાના સામે આવ્યું છે. શ્રમિકોને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં બેના મોતની આશંકા છે, જ્યારે એક ગંભીર હોવાનું જણાય છે. મળતી માહિતી મુજબ, અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં ત્રણ શ્રમિક હોર્ડિંગ લગાવતા હતા, ત્યારે થાંભલાના વાયર સાથે હોર્ડિંગ અથડાતા દુર્ઘટના બની હતી. જેમાં ત્રણેય શ્રમિકો સાતમા માળની ઊંચાઈએથી નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. – Advertisement -

Read More

પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો હડતાળની ચીમકીઅમદાવાદ । પ્રતિનિધિ, અમદાવાદ મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા AMCમાં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા, AMCના ક્રમચારીઓને સુરત મહાનગરપાલિકાના ધોરણે પગાર આપવા, ફાયર બ્રિગેડના કર્મચારીઓ માટે ૨૪ કલાકના બદલે ૮ કલાકનો અમલ કરવા,મ્યુનિ. સંચાલિત હોસ્પિટલોમાં વર્ગ- ૩ અને વર્ગ-૪માં તેમજ RWAમાં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા, AMCના કર્મચારીઓને કાયમી કરવા, સહિતની ઘણાં સમયથી પડતર માંગણીઓ નહીં સતોષાતાં AMC દાણાપીઠના પટાંગણમાં મહાદેવના મંદિર પાસે મંગળવારથી પ્રતીક ઉપવાસનો પ્રારંભ કરાયો છે. વિવિધ માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી પ્રતીક ઉપવાસ કરવા સહિત વિવિદ કાર્યક્રમો સાથે શાંતિપૂર્ણ આંદોલન કરવામાં આવશે.જો પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો શાંતિપૂર્વક આંદોલન…

Read More

ગૃહમંત્રીની સુરત-રાજકોટની બેઠકો બાદ અટકળો તેજ-ગાંધીનગર, છેલ્લાં એકાદ અઠવાડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસને જોતાં રાજકીય માહોલ ગરમાયો છે. એટલુ જ નહીં, ફરી એકવાર અમિત શાહ ગુજરાતના ત્રણ દિવસીય મુલાકાતે આવ્યાં છે.અમિત શાહે દર વર્ષની જેમ નવરાત્રિના પાવન પ્રસંગે આ વર્ષે પણ મારા પૈતૃક ગામ માણસા ખાતે બહુચર માતા મંદિરમાં માતાજીના દર્શન-પૂજા કરીને સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી. ગાંધીનગરના માણસા ખાતે સોની સૂર્યાબેન ડાહ્યાલાલ વિદ્યાસંકુલના નવા મકાનનું ઉદ્ઘાટન કર્યું. ₹10 કરોડના ખર્ચે બનેલ આ ઇમારત અત્યાધુનિક સુવિધાઓ અને સ્માર્ટ સ્કૂલિંગથી સજ્જ છે.માણસાના પરમ પૂજ્ય મૌનીજી મહારાજના માર્ગદર્શન હેઠળ ‘સૌને શિક્ષણ’ ના મંત્ર સાથે શરૂ થયેલ…

Read More

મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લાઓના અધિક અને નાયબ ચૂંટણી અધિકારીઓનો વર્કશોપAhmedabad, ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર શ્રી જ્ઞાનેશ કુમારના માર્ગદર્શનમાં ભારતના ચૂંટણીપંચ દ્વારા મતદારયાદી સુધારણા માટે જાહેર કરાયેલી માર્ગદર્શિકાના સુચારું અમલીકરણ માટે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી હારીત શુક્લાના અધ્યક્ષસ્થાને વર્કશોપનું આયોજન કરાયું હતું. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓના અધિક અને નાયબ ચૂંટણી અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. મતદારયાદી સુધારણા અંગેની પોતાના સંબોધનમાં મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે,રાજ્યભરમાં મતદાર યાદી સઘન સુધારણા હેઠળ કુલ ત્રણ તબક્કામાં કામગીરી કરવામાં આવશે. રાજ્યના કોઈપણ નાગરિકોceo.gujarat.gov.inવેબસાઈટ પરથી મતદાર યાદીમાં તેમના નામ અંગે ખરાઈ કરી શકે છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન સમયબદ્ધતા અને ચોક્કસાઈ પર તેમણે ભાર…

Read More

Bahiyal Violence: છેલ્લા કેટલાક સમયથી દેશમાં અલગ અલગ સ્થાનો પર મુસ્લિમો દ્વારા I Love Mohmmad ના બેનર હેઠળ પ્રદર્શનો યોજવામાં આવી રહ્યા છે.પોતાના ધર્મને ને આરાધ્યને પ્રેમ કરવો કે દર્શાવવો તે કોઈ અપરાધ નથી.તે દરેક ધર્મના લોકોનો અધિકાર છે.પરંતુ આરાધ્યના નામે હિંસા આચરવી કે હિંસક પ્રદર્શન યોજવા તે જરૂર ગુનાહિત પ્રવૃત્તિ છે.જયારે તમે તમારા આરાધ્ય પ્રત્યે પ્રેમ કે સન્માન દર્શાવો છો અને સાથે હિંસા કે સીન્સ સાથે જોડાયેલ સ્લોગન ના બેનર લઈને પણ જુલુસ કાઢો છો ત્યારે સમાજમાં એક ખોટો મેસેજ જરૂર જાય છે.અને દેશમાં અરાજકતા ફેલાવવાના આરોપ પણ લાગે છે.તે પણ યાદ રહેવું જોઈએ.ધર્મ કોઈપણ હોય પરંતુ હિંસાને તો…

Read More

અડાલજ હત્યા કેસમાં સાયકો કિલર રાજકોટથી ઝડપાયો-પોલીસે 4 ટીમો બનાવી આરોપીને 4 દિવસમાં જ ઝડપી લીધો(એજન્સી)ગાંધીનગર, ગાંધીનગરમાં નર્મદા કેનાલ પાસે થયેલી વૈભવ મનવાણી નામના મોડલની હત્યા કરનાર સાયકો કિલર હત્યારો ઝડપાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમારની ધરપકડ કરી લીધી છે. અંબાપુર નર્મદા કેનાલ પાસે ૨૦ સપ્ટેમ્બરે એક યુવક પર છરીથી હુમલો કરી હત્યા કરી હતી. મૃતક યુવક પોતાના બર્થ ડે નિમિત્તે યુવતી સાથે મોડીરાત્રે નર્મદા કેનાલ નજીક બર્થ ડે ઉજવણી કરી રહ્યો હતો.આ દરમિયાન એક અજાણ્યો શખસ લૂંટ કરવાના ઇરાદે પહોંચ્યા હતા. જ્યાં અચાનક ગાડીમાં ઘુસી આવીને યુવકને છરી બતાવી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ…

Read More