જૂનાગઢ, જૂનાગઢમાં અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીમાંથી વિદ્યાર્થીઓને મળવાપાત્ર શિષ્યવૃત્તિની રકમમાં ૪.૬૦ કરોડનું કૌભાંડ સામે આવ્યું છે. આ મામલે જૂનાગઢ પોલીસે ૧૨ શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકો સામે ગુનો નોંધીને ચાર સ્કૂલ સંચાલકોની ધરપકડ કરી છે.આ કૌભાંડનો પર્દાફાશ જૂનાગઢના નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીના કિશોર વલ્લભદાસ ભરખડાએ નોંધાવેલી ફરિયાદથી થયો હતો.જૂનાગઢ શહેર ડિવિઝન નાયબ પોલીસ અધિક્ષકના અધ્યક્ષસ્થાને એક તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી.તપાસ દરમિયાન, ફરિયાદી દ્વારા રજૂ કરાયેલા ૨૨૪૫ વિદ્યાર્થીઓના દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા હતા અને તમામ સંસ્થાઓની બેંક ખાતાની વિગતો પણ મંગાવવામાં આવી હતી.આ દસ્તાવેજોની તપાસના આધારે પાંચ આરોપીઓની ઓળખ થઈ હતી, જેમના ખાતામાં કૌભાંડની રકમ જમા થઈ હતી. આ…
Author: gujarat
વેપારીઓ અને વચેટિયાઓની મીલીભગતનો ભોગ ખેડૂતને બનવું પડે છેભાવનગર, ગુજરાતમાં કેળાની ખેતી કરતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. કેળાની ખેતી કર્યા બાદ પાકનો ભાવ નહીં આવતા ખેડૂતો લાચાર બન્યાં છે. ભાવનગરના મહુવામાં ૨૫ વિઘા જમીનમાં કેળાનો પાક લેનાર ખેડૂત આખરે હિંમત હાર ગયો અને કંટાળીને પોતાના ૨૫ વિઘા જમીનના ખેતરમાં કેળના પાક ઉપર ટ્રેકટર ફેરવીને પાકનો સંપૂર્ણ પણે નાશ કરી નાંખ્યો છે.ભાવનગરના મહુવામાં હાલમાં કેળાનો પાક લેનારા ખેડૂતો બેહાલ બની ગયાં છે. બાગાયતી ખેતી કરનારા ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે પોતાના ૨૫ વિઘાના ખેતરમાં કેળની ખેતી કર્યા બાદ કેળાનો પાક તૈયાર થઈ રહ્યો હતો. આ દરમિયાન પાકને ખરીદનાર નહીં…
Gujarat hotels couple room ban: રાજકોટમાં કેટલીક હોટલોમાં યુગલોને એકાંત પુરૂ પાડવા માટે એક-બે કલાક માટે રૂમ ભાડે અપાય છે. ઘણાં કિસ્સાઓમાં મોહજાળમાં ફસાવાતી છાત્રાઓ અને તરૂણીઓના હોટલના રૂમમાં જ શારીરિક શોષણ કરવામાં આવતું હોવાનું બહાર આવે છે. શહેરમાં જ્યારે કોઈપણ યુવતી કે તરૂણી ઉપર દૂષ્કર્મની ફરિયાદો નોંધાય છે, ત્યારે હોટલોના નામે અચૂક ચમકે છે. શહેરની કેટલીક હોટલોમાં કૂટણખાના ચાલતા હોવાનાં કિસ્સા પણ તાજેતરમાં બહાર આવ્યા છે. યુવતીઓના ચહેરા પરથી દુપટ્ટો હટાવી આધાર કાર્ડ સાથે મેચ કરાવવું જરૂરી રાજકોટ શહેરની કેટલીક હોટલો એકાંત પુરૂ પાડવા માટે બદનામ થઈ ગઈ છે. કેટલીક હોટલના સંચાલકો અને માલીકો પોલીસના કોઈ પણ ડરવગર નીતિ-નિયમો…
સામાન્ય નાગરિકોને પોતાના કાયદેસરના કામ કરાવવા માટે પણ લાંચ આપવી પડતી હોવાની કડવી વાસ્તવિકતા આ કિસ્સાથી સામે આવી છેઅમદાવાદ, અમદાવાદમાં ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ એસીબી (એન્ટિ-કરપ્શન બ્યુરો)એ દસ્ક્રોઈ મામલતદાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટરને રૂ. ૧૫,૦૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. આરોપી પરાગ બારોટ જમીન સંબંધિત કામગીરી માટે લાંચની માંગણી કરી રહ્યો હતો.આ ઘટનાએ ફરી એકવાર સરકારી કચેરીઓમાં ફેલાયેલા ભ્રષ્ટાચારના દૂષણને ઉજાગર કર્યું છે. સામાન્ય નાગરિકોને પોતાના કાયદેસરના કામ કરાવવા માટે પણ લાંચ આપવી પડતી હોવાની કડવી વાસ્તવિકતા આ કિસ્સાથી સામે આવી છે.એસીબીને મળેલી ફરિયાદ મુજબ, ફરિયાદીએ પોતાની જમીનની નોંધ પ્રમાણિત કરાવવા માટે દસ્ક્રોઈ મામલતદાર કચેરીમાં અરજી…
School tuition fee hike Gujarat: ખાનગી સ્કૂલોની ફીને લઈને સુપ્રીમ કોર્ટના તાજેતરના વચગાળાના હુકમનું યોગ્ય રીતે કે એકસમાન રીતે પાલન ન થતુ હોઈ પહેલીવાર ફી કમિટીએ જ સરકારને પત્ર લખવો પડ્યો છે. અમદાવાદ ઝોનની ફી રેગ્યુલેશન કમિટીના ચેરમેને પત્ર લખ્યું, ‘સુપ્રીમ કોર્ટના વચગાળાના હુકમ અનુસાર ફી ઉઘરાવવા મુદ્દે એક પરિપત્ર જાહેર કરવામાં આવે. જેથી અસમંજસતા દૂર થાય અને વાલીઓને પણ મૂંઝવણ ન રહે.’ ફી મુદ્દે ફરિયાદો થઈ અનેક ખાનગી સ્કૂલો દ્વારા ટર્મ ફી અને ટ્યુશન ફી સહિતની જુદી અનેક ફી લેવામા આવતી હોય છે અને આ મુદ્દે ફરિયાદો પણ થઈ ચૂકી છે. આ દરમિયાન અમદાવાદ ઝોનની ફી રેગ્યુલેશન કમિટીએ તાજેતરમં…
અમરેલીમાં સેટેલાઇટ સર્વેની ભૂલે જગતનો તાત ચિંતિત -આ માટે ખેડૂતોએ ૭/૧૨, ૮ના ઉતારા, બેંક પાસબુક, આધાર કાર્ડ અને તલાટી દ્વારા અપાયેલ વાવેતરના દાખલા જેવા તમામ દસ્તાવેજો જમા કરાવ્યા હતાઅમરેલી, રાજ્ય સરકાર દ્વારા ૨૦૨૫-૨૬ માટે ટેકાના ભાવે મગફળી, અડદ અને સોયાબીન સહિતના પાકોની ખરીદીની જાહેરાત બાદ ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી હતી. જોકે, આ ખુશી લાંબો સમય ટકી શકી નથી.ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ હવે સેટેલાઇટ સર્વેમાં પાક ન દેખાતો હોવાના મેસેજ આવતા ખેડૂતો, ખાસ કરીને અમરેલી જિલ્લાના ભમર ગામના ખેડૂતો ચિંતાતુર બન્યા છે અને સરકારી તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.થોડા દિવસો પહેલા જ્યારે સરકારે ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન…
સિક્રેટ ઓફિસમાંથી મળેલા ડિજિટલ પુરાવાની ચકાસણી હાથ ધરવામાં આવી છે-લેવિસ અને મેટ્રો ગ્રુપ પર ITના દરોડામાં ૨૫૦ કરોડથી વધુના બેનામી હિસાબો મળ્યામોરબી, મોરબીમાં લેવિસ અને મેટ્રો ગ્રુપ પર ITના દરોડાનો મામલે દિવસે દિવસે મોટા ખુલાસા થઈ રહ્યાં છે. બંને ગ્રુપની સિક્રેટ ઓફિસ હોવાનું સામે આવતા ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. સિક્રેટ ઓફિસમાંથી ડિજિટલ પુરાવા હાથ લાગતાં એનાલિસિસ શરૂ કરાયું.૧૨ બેંક લોકરની તપાસ હાથ ધરવામાં આવી છે. મંગળવારે શરૂ થયેલ સર્ચ હજુ શુક્રવાર રાત્રી સુધી ચાલે તેવી શક્્યતા છે. તપાસ દરમિયાન મળ્યા ૨૫૦ કરોડથી વધુના બેનામી હિસાબો મળ્યા છે. તપાસના બીજા જ દિવસે ૧૧ કરોડની રોકડ જપ્ત કરવામાં આવી…
પોલીસે આ પ્રકારના બનાવો અટકાવવા માટે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છેટ્રાફિક પોલીસ, હોમગાર્ડ અને ટીઆરબી સહિત ૪૦૦ જેટલા પોલીસ કર્મચારીઓ ટ્રાફિક વ્યવસ્થામા તૈનાત રહેશે.અમદાવાદ, આગામી ૨૨ તારીખે નવરાત્રિ શરૂ થશે. નવરાત્રિમાં રાત્રે ગરબા દરમિયાન મહિલાઓની છેડતીના બનાવો સામે આવતા હોય છે. ત્યારે પોલીસે આ પ્રકારના બનાવો અટકાવવા માટે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. બીજી તરફ આ સમયગાળામાં ચોર ટોળકી પણ સક્રિય થતી હોવાથી પોલીસે તેમને પકડવા માટેનો પ્લાન પણ તૈયાર કરી લીધો છે.અમદાવાદના ડીસીપી રિમા મુન્શીએ કહ્યું હતું કે, નવરાત્રિમાં પોલીસ દ્રારા લોકોની સલામતી અને સુરક્ષા, મહિલા સુરક્ષા, ટ્રાફિક અને કાયદા વ્યવસ્થાની જાળવણી માટે એકશન પ્લાન તૈયાર કરવામા આવ્યો છે.…
સુરત, છોકરાને નોકરી અપાવવાના બહાને ૨૨ લાખ રૂપિયાની લેતી-દેતી બાબતે એક પિતાને મરવા મજબૂર કરનાર બે ભેજાબાજોને મહિધરપુરા પોલીસે હાલ પકડી પાડ્યા છે.આ બનાવમાં એક બાપે પોતાના દીકરાનું ભવિષ્ય બનાવવા માટે દાગીના વેચીને પરિમલ જરીવાલા અને અશોક રાણા નામના બે ઇસમોને ૧૮ લાખ રૂપિયા આપ્યા હતા, છતાં યુવકને નોકરી ન મળતા પિતાએ પોતાના પૈસા પરત માંગ્યા ત્યારે આરોપીઓ તેને ત્રાસ આપતા હતા, જેથી આ પિતાએ જીવન ટૂંકાવ્યું હતું. હાલ આ બંને આરોપીઓ પોલીસના સકંજામાં આવ્યા છે.ઘટનાની વિગતવાર વાત કરીએ તો, સુરતના મહિધરપુરા વિસ્તારમાં એક ભોળા બાપને સુરતના બહેરામપુરા વિસ્તારમાં પરિમલ જરીવાલા (ઉંમર ૫૦) અને અશોક રાણા (ઉંમર ૪૮)એ દીકરાને જીસ્ઝ્રમાં…
ગરબા આયોજકોને મંજૂરી આપતા પહેલાં ફાયર સેફ્ટી NOC, પાર્કિંગ વ્યવસ્થા, સીસીટીવી કેમેરા, સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા, ઈલેક્ટ્રિકલ સર્ટિફિકેટ અને PWD ના મંજૂરી પત્ર જેવા તમામ નિયમોનું પાલન કરવું ફરજિયાત અમદાવાદ: નવરાત્રિ નજીક આવતા જ ગરબા આયોજકોએ પોલીસ પાસેથી મંજૂરી મેળવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં કુલ ૬૬ જેટલા મોટા ગરબાના આયોજકોએ મંજૂરી માટે અરજી કરી છે, પરંતુ પોલીસ દ્વારા નિર્ધારિત કડક SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) નું પાલન ન થવાને કારણે હજી સુધી એક પણ આયોજનને મંજૂરી આપવામાં આવી નથી.પોલીસના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે, ગરબા આયોજકોને મંજૂરી આપતા પહેલાં ફાયર સેફ્ટી NOC, પાર્કિંગ વ્યવસ્થા, સીસીટીવી કેમેરા, સિક્યુરિટી ગાર્ડની…
