Author: gujarat

મહેસાણાના મોઢેરા,ખેડાના સુખી અને બનાસકાંઠાના મસાલી બાદ કચ્છનું ધોરોડો રાજ્યનું ચોથું સોલાર વિલેજ81રહેણાકમાં કુલ177કિલોવોટ ક્ષમતાના સોલાર રૂફટોપ સ્થાપિત, દરેક વીજ વપરાશકર્તાને વાર્ષિક₹16,064નો આર્થિક લાભ થવાનો અંદાજયુનાઇટેડ નેશનલ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO)દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ તરીકે પ્રતિષ્ઠિત કચ્છના ધોરડો ગામનું100%સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે. આગામી20સપ્ટેમ્બર, 2025ના રોજ ભાવનગર ખાતે આયોજિત ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મહેસાણાના મોઢેરા,ખેડાના સુખી અને બનાસકાંઠાના મસાલી ગામ બાદ,ધોરડો રાજ્યનું ચોથું સોલાર વિલેજ બન્યું છે.દરેક ઘરમાં વાર્ષિક₹16હજારથી વધુનો લાભપ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બીજલી યોજના હેઠળ ધોરડો ગામના100%રહેણાંક હેતુના વીજજોડાણોનું સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે. આ કામગીરીના લીધે સોલાર…

Read More

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખજાનચી સ્વામી શ્રી ગોવિંદ દેવગિરિ મહારાજે હાજરી આપી‘ધર્મ’ અને ‘ધમ્મ’ આ બંને શબ્દો અને તેના ગહન ખ્યાલ,ભારતભૂમિની વિશ્વને દેન: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત·જે હું મારા માટે ઈચ્છું,તે જ બીજા માટે કરું તે ધર્મ.’·જેનો અમલ કરવાથી વ્યવસ્થા અને સંસાર ટકી જાય,તે જ ધર્મ છે·ઈશ્વરના સદગુણોને જાણવાથી અને અનુસરવાથી ઈશ્વર મળે છેડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને ઇન્ડિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત ૯મી આંતરરાષ્ટ્રીય ધર્મ-ધમ્મ પરિષદ ૨૦૨૫નો આજે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રાંગણમાં શુભારંભ થયો હતો.આ પ્રતિષ્ઠિત પરિષદનું ઉદ્ઘાટન ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે કર્યું હતું,જેમાં કેન્દ્રીય મંત્રીશ્રી,આંતરરાષ્ટ્રીય મહેમાનો અને વિવિધ ધર્મના અગ્રણીઓ ઉપસ્થિત…

Read More

‘સહી પોષણ દેશ રોશન’ના સંકલ્પ સાથે થશે સુપોષિત ગુજરાતનું નિર્માણરાજ્યને સુપોષિત બનાવવા, બાળકો, મહિલાઓ અને કિશોરીઓનાપોષણ સ્તરમાં સુધારો કરવા રાજ્ય સરકાર કટીબદ્ધGandhinagar, કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર મહિનાને ‘પોષણ માસ’ તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે તેનું આઠમું સંસ્કરણ યોજાઈ રહ્યું છે. સરકાર, નાગરીકો અને સંસ્થાઓના અથાગ પ્રયત્નોના પરીણામે પોષણ અભિયાન સાચા અર્થમાં જન આંદોલન બન્યું છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યનાં બાળકો, માતાઓ અને કિશોરીઓને વધુ સુપોષિત બનાવવા અનેક પોષણલક્ષી યોજનાઓ અમલી બનાવી છે. આ વર્ષે દેશભરમાં તા. ૧૭ સપ્ટેમ્બરથી ૧૬ ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન પોષણ માસની ઊજવણી કરવામાં આવી રહી છે.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સહી પોષણ…

Read More

ગરબે ઘૂમતી વખતે ખેલૈયાઓ તાલ અને રીધમ સાથે બરાબર ઘૂમી શકે તે માટે તબલાં, ઢોલકને સરખાં કરવામાં આવી રહ્યા છે.(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) માં આધ્યશક્તિના આરાધના પર્વ નવરાત્રી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સંગીત કલાકારો સાથે સંગીત વાદ્યોનું રિપેરિંગ તેમજ વેચાણમાં વિક્રેતાઓ વ્યસ્ત બન્યા છે.ભરૂચ સહિત જિલ્લામાં ખૂબ મોટા પાયે વિવિધ સ્થળે ગરબા આયોજનો થનાર છે.જેમાં વિવિધ ગરબા વૃંદો ગરબાની રમઝટ બોલાવશે.ત્યારે નવરાત્રી પૂર્વે હાર્મોનિયમ, તબલા, ઢોલક વિગેરે સંગીત વાદ્યોની મરામતની કામગીરી કારીગરોએ આરંભી દીધી છે. ગરબે ઘૂમતી વખતે ખેલૈયાઓ તાલ અને રીધમ સાથે બરાબર ઘૂમી શકે તે માટે તબલાં, ઢોલકને સરખાં કરવામાં આવી રહ્યા છે.ભરૂચના હાજીખાના વિસ્તારમાં…

Read More

સુરત, સુરતની લાજપોર સેન્ટ્રલ જેલ મોટાભાગે વિવાદોમાં આવતી રહે છે. ફરી એકવાર આ જેલ વિવાદમાં સપડાઈ છે. લોજપોર સેન્ટ્રલ જેલામાં હત્યાના આરોપમાં ૪૨ વર્ષીય હેમંત ઉર્ફે ડૈની પાંનચંદ્ર મંગરોલિયા સજા ભોજવી રહ્યો હતા. આ કેદીએ ગત ૧૭ સિપ્ટેમ્બરની રાત્રે હાઈ સુરક્ષાવાળા યાર્ડ નંબર ૪૨ માં આત્મહત્યા કરી લીધી હોવાનું પ્રકાશમાં આવ્યું છે.આખરે શા કારણે તેને આત્મહત્યા કરી? આ દરમિયાન જેલ પોલીસ શું કરી રહી હતી તે પણ એક સવાલ છે.વિગતે વાત કરવામાં આવે તો, ૨૦૧૭ માં સુરતના કતારગામ પોલીસ સ્ટેશન દ્વારા હત્યાના કેસમાં હેમંતની ધરપકડ કરવામાં આવી હતી. તે ૨૦૧૭થી સુરતના આ લાજપોર સેન્ટ્રલ જેલમાં સજા ભાગવી રહ્યો હતો. થોડા…

Read More

ભુજ, કચ્છના ભુજમાં સાળી પર જીવલેણ હુમલો કરનાર બનેવીને સાત વર્ષની સજા અને દંડ ફટકારવામાં આવ્યો. દિનારા ગામમાં બનેલી આ ઘટનામાં પીડિતાએ પોતાની આંખોની દ્રષ્ટિ ગુમાવી હતી. ભુજ તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા દિનારા ગામમાં વર્ષ ૨૦૨૧માં સાળીના હત્યા કરવાનો બનેવીએ પ્રયાસ કર્યાે હતો.સાળી તેની બહેનને પોતાના વિરુદ્ધ ઉશ્કેરતી હોવાની શંકામાં સાળીના માથા ઉપર કુહાડીનો ઘા મારીને હત્યાનો પ્રયાસ કર્યાે હતા. જેથી મામદ અમીન સમા નામના વ્યક્તિની કોર્ટે હત્યાના પ્રયાસના ગુનામાં ચાર વર્ષ બાદ ચુકાદો આપ્યો છે અને આરોપીને સાત વર્ષની સાદી કેદની સજા અને રૂપિયા પાંચ હજારનો દંડ ફટકાર્યાે છે.કેસની વાત કરવામાં આવે તો, ઓગસ્ટ ૨૦૨૧માં આરોપી મામદની પત્ની હવાબાઈ…

Read More

અમદાવાદ , ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધો.૯થી ૧૨માં વિદ્યાર્થી સંખ્યા જળવાતી ન હોય તેવી શાળાઓએ વર્ગ ઘટાડા માટે દરખાસ્ત કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જણાવાયું હતું.જેના પગલે શહેરની ૧૬ શાળાઓ દ્વારા વર્ગ ઘટાડા માટે દરખાસ્ત કરાઈ હતી. આ દરખાસ્ત મળ્યા બાદ હવે શનિવારના રોજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે વર્ગ ઘટાડા માટેનું હીયરિંગ શરૂ કરવામાં આવશે.જેમાં આ શાળાઓના વર્ગ ઘટાડા અંગેની કાર્યવાહી કરાશે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એક બાજુ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ગ વધારા માટેની કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જ્યારે બીજી બાજુ જે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થી સંખ્યા જળવાતી ન…

Read More

અમદાવાદ , વિશાલા સર્કલ નજીક ગઇ મોડી રાતે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. કારચાલકે પૂરઝડપે આવીને રિક્ષાને ટક્કર મારતા રિક્ષા પલટી જતા રિક્ષાચાલક ઘાયલ થયો હતો. તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત બાદ લોકોનું ટોળું ભેગું થતાં કાર ચાલકને ઝડપીને પોલીસને સોંપવામાં આવ્યો હતો. કારચાલક પોલીસકર્મી હોવાનું જણાયું છે.કારચાલક પણ નશાની હાલતમાં હતો. કારમાંથી બીયરની બોટલ પણ મળી આવી હતી. આ મામલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.વિશાલા સર્કલ પાસે સિટીગેટ બિલ્ડિંગની સામે બરફની ફેક્ટરી નજીક એક કારચાલકે પૂર ઝડપે આવીને રિક્ષાચાલકને ટક્કર મારી હતી જેથી રિક્ષા પલટી ખાઈને પડી ગઈ હતી. રિક્ષાચાલક ઈજાગ્રસ્ત…

Read More

Bogus Farmer in Gujarat: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ‘બોગસ ખેડૂત’નો મુદ્દો ચર્ચામાં છે. સામાન્ય ભાષામાં કહીએ તો, બોગસ ખેડૂત એટલે એવો વ્યકિત, જે કાયદેસર ખેડૂત ન હોવા છતાં ખોટા પુરાવા ઊભા કરીને ખેતીની જમીન ખરીદે છે. કોણ કહી શકાય ખેડૂત? ગુજરાતમાં દરેક વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકતી નથી. જમીન સુધારા કાયદા અનુસાર – 1 જુલાઈ 1957ના રોજ જેમને ગણોત તરીકે જમીન ફાળવવામાં આવી હતી, અથવા જેમના બાપદાદા પાસે ખેતીલાયક જમીન હતી અને તે વારસામાં મળેલી છે, એવા લોકોને જ “ખેડૂત” માનવામાં આવે છે. આ કાયદાને ગુજરાત ગણોત અને ખેતીની જમીન વહીવટધારા કહેવામાં આવે છે. આ જોગવાઈઓને કારણે રાજ્ય બહારના ખેડૂત…

Read More

અમદાવાદ, અમદાવાદમાં રહેતા અને ચાંગોદરમાં ફાર્મા રો મટિરિયલનો પ્લાન્ટ ધરાવતા સાગર દેસાઇને મળી ગયેલા પ્રિઝમ એલાયન્સના સંચાલકો અને એક બ્રોકરે સાથે મળી ૮.૫૪ કરોડનો ચૂનો લગાવ્યો હતો. આ ટુકડીએ ઉધારમાં માલ લઇને ચૂકવણી ન કરતાં સાગર દેસાઇએ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ વધુ તપાસ આદરી છે.અમદાવાદના પોશ મલ્હાર બંગલોઝમાં રહેતા સાગર અનિલ દેસાઇ ચાંગોદરમાં અલ્કોવ ઇન્ટરનેશનલ ડ્રગ નામની કંપની ધરાવે છે. તેમની માતા અમીબેન અને બહેન પ્રિયંકા દેસાઇની બે અન્ય કંપનીઓનું સંચાલન પણ તેઓ જ કરે છે. ત્રણેય કંપનીઓની રજિસ્ટર્ડ ઓફિસ પ્રહલાદનગર ક્રોસ રોડ નજીકની ઇસ્કોન એલિગન્સ બિલ્ડિંગમાં છે.ફેબ્›આરી ૨૩માં બ્રોકર પરાગ શાહે સાગર દેસાઇનો સંપર્ક કરી પ્રિઝમ એલાયન્સ પ્રા.…

Read More