Author: gujarat

(જી.એન.એસ) તા. 8 નવી દિલ્હી, દિલ્હીમાં એવા વાહનો માટે કામચલાઉ રાહત આપવામાં આવી છે જે તેમના માન્ય આયુષ્યના અંત સુધી પહોંચી ગયા છે. 10 વર્ષથી વધુ જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષથી વધુ જૂના પેટ્રોલ વાહનો 1 નવેમ્બર સુધી જપ્ત કરવામાં આવશે નહીં. મંગળવારે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) ની બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આનો અર્થ એ છે કે આવા અંતિમ જીવનકાળના વાહનો 1 નવેમ્બર સુધી દિલ્હીના રસ્તાઓ પર કાર્યરત રહી શકે છે. આ સમયગાળા દરમિયાન, આવા વાહનો જપ્ત કરવામાં આવશે નહીં, અને તેમને રિફ્યુઅલ કરવા પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. આવા વાહનો, જેને એન્ડ-ઓફ-લાઇફ (EOL)…

Read More

રાજ્યમાં નેશનલ રૂરલ લાઈવલી હુડ મિશન અન્વયે લોન સહાય કામગીરીની સહકારી બેંકોના અધ્યક્ષો સાથે સમીક્ષા યોજતા મુખ્યમંત્રીશ્રી (જી.એન.એસ) તા. 8 ગાંધીનગર, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની કો-ઓપરેટીવ બેંકોને ગ્રામીણ સ્વ સહાય જૂથ સખી મંડળો લોન-ધિરાણ આપવાની પ્રક્રિયામાં સરળતા સાથે વધુ ગતિ લાવવાનો અનુરોધ કર્યો છે. મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં સહકારી બેંકોના અધ્યક્ષો અને ગુજરાત લાઈવલી હુડ પ્રમોશન કંપની તથા મહિલા-બાળ વિકાસ, ગ્રામ વિકાસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓની સમીક્ષા બેઠકના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતાં આ અનુરોધ કર્યો હતો. ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલ, સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા તથા ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજી હળપતી પણ આ બેઠકમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું…

Read More

તિથિ ચતુર્દશી (ચૌદસ) – 25:39:18 સુધી નક્ષત્ર મૂળ – 28:50:35 સુધી કરણ ગરજ – 13:13:46 સુધી, વાણિજ – 25:39:18 સુધી પક્ષ શુક્લ યોગ બ્રહ્મ – 22:08:30 સુધી વાર બુધવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 06:00:18 સૂર્યાસ્ત 19:29:03 ચંદ્ર રાશિ ધનુ ચંદ્રોદય 18:30:59 ચંદ્રાસ્ત 29:07:59 ઋતુ વર્ષા હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1947 વિશ્વાવસુ વિક્રમ સંવત 2082 કાળી સંવત 5126 પ્રવિષ્ટા / ગત્તે 25 મહિનો પૂર્ણિમાંત અષાઢ મહિનો અમાંત અષાઢ દિન કાળ 13:28:44 અશુભ સમય દુર મુહુર્ત 12:17:43 થી 13:11:38 ના કુલિક 12:17:43 થી 13:11:38 ના દુરી / મરણ 17:41:13 થી 18:35:08 ના રાહુ કાળ 12:44:41 થી 14:25:47 ના કાલવેલા/અર્ધ્યામ 06:54:14 થી 07:48:09 ના યમ ઘંટા 08:42:03 થી 09:35:58 ના યમગંડ 07:41:24…

Read More

વિશ્વ આખાને સ્તબ્ધ કરનારી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાત સરકારનો ઉન્નત માનવીય અભિગમ – મોતનો મલાજો જાળવીને એક એક માનવ અંગો – નશ્વર અવશેષોની અંતિમ વિધિ સરકારે સુનિશ્ચિત કરી મુસ્લિમ મૃતકના અવશેષોને દફન કરતી વેળાએ કુરાન શરીફની આયતો વંચાઈ – હિન્દુ મૃતકના અવશેષોની અંતિમ વિધિ વાડજ સ્મશાનમાં તેમજ અસ્થિ વિસર્જન સાબરમતી નારાયણ ઘાટ ખાતે થયા ૧૯ મૃતકોના નશ્વર અવશેષોની અંતિમવિધિ સરકારે કરી–કુલ ૨૬ મૃતકોના નશ્વર અવશેષો મળી આવ્યા હતા, ૭ મૃતકોના નશ્વર અવશેષો પરિજનોએ મેળવીને અંતિમ વિધિ કરી વિશ્વ આખાને સ્તબ્ધ કરનારી અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ક્રેશ સાઇટ ખાતે મળી આવેલા માનવ અંગોની ડી.એન.એ. સેમ્પલ મેચિંગ પ્રક્રિયા બાદ તમામ નશ્વર અવશેષોની…

Read More

(જી.એન.એસ) તા. 9 અમદાવાદ, આજથી (9 જુલાઈથી 11 જુલાઈ સુધી) ત્રણ દિવસ અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી કાપ રહેશે. અમદાવાદ શહેરમાં આવેલા શેઢી કેનાલના દરવાજાનું રિપેરિંગ શરૂ થઈ રહ્યું છે. જેના કારણે શેઢી કેનાલના 3 ઝોનના 17 વોર્ડમાં પાણી કાપ રહેશે. ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં અસર થશે. 3 દિવસ સુધી મણીનગર, ઈસનપુર, ઈન્દ્રપુરી, અમરાઈવાડી, હાટકેશ્વર, બાપુનગર, ઠક્કરનગર સહિત 17 વોર્ડમાં રહેતા લોકોને પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના વોટર કમિટીના ચેરમેન દિલિપ બગડિયાએ આ અંગે જણાવ્યું છે કે, શેઢી કેનાલમાં હાલ દરવાજાનું રિપેરિંગ કામ ચાલી રહ્યુ છે. જેના કારણે પાણીનું લેવલ ડાઉન કરવામાં આવ્યુ છે. તેથી…

Read More

આજે બેંકિંગ, વીમા, પોસ્ટલ અને બાંધકામ જેવા જાહેર સેવા ક્ષેત્રોના 25 કરોડથી વધુ કામદારો દેશવ્યાપી હડતાળ અથવા ભારત બંધનું એલાન (જી.એન.એસ) તા. 9 નવી દિલ્હી, આજે 9 જુલાઈ, બુધવારના રોજ દેશવ્યાપી હડતાળ થવાની તૈયારી છે, કારણ કે ઔપચારિક અને અનૌપચારિક ક્ષેત્રોના 25 કરોડથી વધુ કામદારો 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના સંયુક્ત મંચ દ્વારા બોલાવવામાં આવેલા ભારત બંધમાં જોડાવા માટે તૈયારી કરી રહ્યા છે. આ હડતાળને કારણે બેંકિંગ, વીમા, પરિવહન, વીજળી અને પોસ્ટલ કામગીરી સહિતની આવશ્યક સેવાઓ ખોરવાઈ જવાની ધારણા છે, જેમાં ખેડૂત જૂથો અને ગ્રામીણ કામદાર સંગઠનોનો વધારાનો ટેકો મળશે. હડતાળ પાછળ શું છે? સંયુક્ત ટ્રેડ યુનિયન ફોરમે કહ્યું કે આ…

Read More

મેષ આજે મિત્રો તમારો પરિચય કોઈક ખાસ વ્યક્તિ સાથે કરાવશે જે તમારા વિચારો પર નોંધપાત્ર અસર છોડશે. ઘરના મોરચે તમારૂં જીવન શાંત અને ગમે તેવું રહેશે. લાંબા સમયથી કોઈક સાથે ચાલતો તમારો વિવાદ આજે ઉકેલવાનો પ્રયાસ કરો કેમ કે આવતી કાલે કદાચ બહુ મોડું થઈ જશે. તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો-તમારી શૈલી અને કામ કરવાની નવી રીતો તમને નિકટથી જોનારા લોકોમાં રસ જગાડશે. પ્રવાસને કારણે તમે નવા સ્થળો જોઈ શકશો તથા મહત્વના લોકો ને મળી શકશો. તમારા જીવનસાથીને કારણે તમે આજે તકલીફમાં હો એવું તમને લાગ્યા કરશે. વૃષભ આજના દિવસે મનોરંજનમાં રમતગમતની પ્રવૃત્તિઓ તથા બાહ્ય કાર્યક્રમોનો સમાવેશ…

Read More

રાજ્યમાં માર્ગો-પુલો-હાઇવેની સ્થિતિની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી કામોમાં ગુણવત્તા જળવાય-પ્રજાજનોના જન જીવનમાં માર્ગોની મરામતોમાં વિલંબને કારણે રૂકાવટ ન આવે તે સુનિશ્ચિત કરવાના દિશાનિર્દેશો (જી.એન.એસ) તા. 7 ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદથી હાઇવે અને ગ્રામીણ તથા શહેરી માર્ગોને જ્યાં નુકસાન થયેલું છે ત્યાં યુદ્ધના ધોરણે રિપેર કરીને રસ્તાઓ પુનઃ પુર્વવત બનાવવા તાકીદ કરી છે. વિકાસની ધોરીનસ અને નાગરિક જીવનમાં રોજિંદા યાતાયાત માટે અતિ મહત્વના એવા રોડ નેટવર્કની તત્કાલ મરામત હાથ ધરાય તેવા દિશાનિર્દેશો પણ મુખ્યમંત્રીશ્રીએ ઉચ્ચસ્તરીય બેઠકમાં આપ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારો તેમજ નગરો-મહાનગરો સહિત નેશનલ હાઈવે, રાજ્ય…

Read More

અમદાવાદ શહેરમાં અસરગ્રસ્ત માર્ગોની મરામત કામગીરી યુધ્ધના ધોરણે શરૂ (જી.એન.એસ) તા. 7 અમદાવાદ, રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના મોટા રોડ/રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને નુકશાન થયું છે. નાગરિકોને યાતાયાતની સુવિધામાં કોઈપણ પ્રકારની તકલીફના પડે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ કામગીરી સત્વરે પૂર્ણ કરવા આદેશો આપ્યા છે, જેના ભાગરૂપે અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દ્વારા અસર પામેલ માર્ગોના મરામતની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરાઈ છે. અમદાવાદ શહેરમા ક્ષતિગ્રસ્ત થયેલા તમામ નાના મોટા રોડ, રસ્તાઓ રિપેરિંગ, રિસરફેસિંગ, મેટલવર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોટ મિક્સ પ્લાન્ટમાંથી…

Read More

‘આત્મનિર્ભર ભારત’: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી PMFME યોજના હેઠળ ધમધમી રહ્યો છે દેશનો ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ ગુજરાતમાં પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઑફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝીસ (PMFME)નું સફળ અમલીકરણ, કુલ 675 લાભાર્થીઓ (જી.એન.એસ) તા. 7 ગાંધીનગર/સુરત, એક કૃષિપ્રધાન દેશ તરીકે ભારત પાસે ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે અગ્રેસર બનવાની ઉજળી તકો રહેલી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ કેન્દ્ર સરકારે ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગને પ્રાથમિકતા આપતાં વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે, જે પૈકી એક  મહત્વની યોજના છે- પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઑફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝીસ (PMFME) યોજના. 29 જૂન, 2020ના રોજ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય દ્વારા PMFME યોજના શરૂ…

Read More