(એજન્સી)નવી દિલ્હી, દુબઈમાં ઈન્ડિયન ઇÂન્સ્ટટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદના નવા આંતરરાષ્ટ્રીય કેમ્પસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મક્તોમે દુબઈ ઈન્ટરનેશનલ એકેડેમિક સિટી ખાતે ઈન્ડિયન ઇÂન્સ્ટટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદના પ્રથમ વિદેશી કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું.Inauguration was graced by H.E. Sheikh Hamdan bin Mohammed bin Rashid Al Maktoum, Crown Prince of Dubai, Deputy PM and Defence Minister of UAE, @dpradhanbjp, Hon. Minister of Education, GoI, several ministers, dignitaries from Dubai Govt, and Indian Embassy in UAE officials.બીજી પહેલમાં, ભારતના કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આઈઆઈટી દિલ્હી અબુ ધાબી ખાતે અટલ ઇન્ક્્યુબેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું, જે ભારતીય…
Author: gujarat
તીક્ષ્ણ હથિયારથી મોતને ઘાટ ઉતારી મૃતદેહ ગાડીમાં વિરાટનગર બ્રિજ નીચે મુકી દીધો, ત્રણની ધરપકડ કરાઈઃબીજા બિલ્ડરે આપી હતી હત્યાની સોપારીઆરોપીઓની ધરપકડ –હિંમાશું ઉર્ફે રાહુલ હરીશભાઇ રાઠોડ (રહે.હિરાવાડી, ચાર રસ્તા અમદાવાદ શહેર) ,પપ્પુ હિરાજી મેઘવાલ (રહે.જાવલ શીરોહી) એક કાયદાના સંધર્ષમાં આવેલ સગીરની અટકાયતઅમદાવાદ, અમદાવાદમાં જાણીતા બિલ્ડર અને પાટીદાર અગ્રણી હિંમત રૂડાણીની હત્યાનો સનસનીખેજ ખુલાસો થયો છે. આ હત્યામાં બીજા બિલ્ડરની સંડોવણી બહાર આવી છે. બિલ્ડર મનસુખ લખાણી ઉર્ફે જેકીની આ હત્યામાં સંડોવણી ખૂલી છે.૧૩ સપ્ટેમ્બરની મોડીરાત્રે વિરાટનગર બ્રિજ નીચેથી ઠક્કરનગર બ્રિજ પાસે આવેલી કૈલાસધામ વિભાગ ૧માં રહેતા પાટીદાર અગ્રણી અને બિલ્ડર હિંમતભાઈ રૂડાણીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરેલી લાશ મળી આવી…
આયોજકોની તૈયારીઓને આંચકો વડોદરામાં વરસાદથી આયોજકોની તૈયારીઓને ફટકો પડ્યો છે. વરસાદ એવા સમયે આવ્યો છે જ્યારે ગરબા મેદાનો માટેની અંતિમ તૈયારીઓ ચાલી રહી છે. ભારતીય હવામાન વિભાગે 23 સપ્ટેમ્બર સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની ચેતવણી જારી કરી છે. 19 સપ્ટેમ્બરના એલર્ટમાં ગુજરાતના એક ડઝન જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 20 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. નવરાત્રિ એ ગુજરાતનો સૌથી મોટો તહેવાર છે. આ પ્રસંગે યોજાતા ગરબા કાર્યક્રમોમાં ભાગ લેવાની તૈયારીઓ ખૂબ અગાઉથી શરૂ થઈ જાય છે. એકલા વડોદરામાં જ 771 ગરબા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાંથી 45 મોટા…
પાલડીમાં યુવકની ક્રુર હત્યા કરનાર સાત આરોપી ઝડપાયા- પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યુંAhmedabad પાલડીમાં નૈશલ ઠાકોરના હત્યારાઓને પોલીસે 48 કલાકમાં દબોચી લીધા હતા.અમદાવાદ, અમદાવાદના પાલડી વિસ્તારમાં નૈષલ ઠાકોરના હત્યાના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસે આ ઘટનમાં ૭ લોકોની અટકાયત કરી છે. જેમાંથી બે મુખ્ય આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. મહત્ત્વનું છે કે, આ આરોપીઓમાંથી ત્રણને પોલીસે આબુથી ઝડપી પાડ્યા છે. નિર્મમ હત્યાના કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ઝડપાયેલા ૭ આરોપીઓનું ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે.મળતી માહિતી મુજબ, પાલડી વિસ્તારમાં બે દિવસ પહેલાં અજાણ્યા શખસોએ નંબર પ્લેટ વિનાની કારથી નૈષલ ઠાકોર નામના વ્યક્તિને કચડી દીધી હતો. ત્યારબાદ આ શખસો…
7th Pay Commission Minimum Pension: રાજ્ય સરકારના જાહેર સાહસો, બોર્ડ અને કોર્પોરેશનમાં કાયમી ધોરણે સમાવિષ્ટ થયેલા કર્મચારીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકારના નાણા વિભાગે એક ઠરાવ પસાર કરીને આ કર્મચારીઓ માટે સાતમા પગારપંચ અનુસાર માસિક લઘુતમ પેન્શન રૂપિયા 9,000 સુનિશ્ચિત કર્યું છે. આ નિર્ણયનો અમલ 1ઓક્ટોબર 2025થી કરવામાં આવશે. રાજ્ય સરકારે આપી મોટી રાહત નાણા વિભાગ દ્વારા જારી કરાયેલા ઠરાવની પ્રસ્તાવનામાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે રાજ્ય સરકારમાંથી જાહેર સાહસોમાં કાયમી ધોરણે સમાવિષ્ટ થયેલા કર્મચારીઓને સાતમા પગારપંચ મુજબ લઘુતમ પેન્શન ચૂકવવા અંગેની બાબત સરકારની સક્રિય વિચારણા હેઠળ હતી. અગાઉ, રાજ્ય સરકારના અન્ય પેન્શનરોને સાતમા પગારપંચનો લાભ…
હોસ્પિટલની બેદરકારી સાબિત કરવાની જવાબદારી ફરિયાદી પર રહે છેનવી દિલ્હી, મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ સામેની ફરિયાદને ફગાવી દઈને દિલ્હીની કન્ઝ્યુમર કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતુ કે દર્દીમાં ઊભી થયેલી દરેક મેડિકલ જટિલતા માટે તબીબી બેદરકારીને જવાબદાર ગણી શકાય નહીં. દર્દીમાં તબીબી બેદરકારીને કારણે જટિલતા ઊભી થઈ છે, તેવું નિષ્કર્ષ કાઢવા માટે પૂરતા પ્રમાણમાં તથ્થો અને તબીબી પુરાવા રજૂ કરવા જરૂરી છે.બેદરકારી સાબિત કરવાની જવાબદારી ફરિયાદી પર રહે છે અને આ કેસમાં કોઈ નિષ્ણાત અભિપ્રાય રેકોર્ડ પર મૂકવામાં આવ્યા નથી.દિલ્હી રાજ્ય ગ્રાહક ફરિયાદ નિવારણ પંચે ૪ સપ્ટેમ્બરે આ ચુકાદો આપ્યો હતો. ફરિયાદમાં દાવો કરાયો હતો કે ૨૩ માર્ચ, ૨૦૧૬એ અકસ્માત થયા…
નરેન્દ્ર મોદી એવું કહેતા કે ‘ક’ કમલનો ક, ‘ક’ કઠલાલનો ક અને ‘ક’ કનુભાઈનો ક. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે આવા લાડ પામનાર કનુ ડાભીની અત્યારે પક્ષમાં સ્થિતિ ખૂબ કફોડી છે.એમા પણ આ મંત્રીનું નામ સાંભળીને સાંસદ ચિડાય અને ખોટાં ત્રાગાં કરે. સચિવાલયમાં થતી ચર્ચાઓ જો સાચી માનીએ તો એવા સમાચાર મળ્યા છે કે એક જિલ્લાનું પ્રતિનિધિત્વ કરીને રાજ્ય સરકારની કેબિનેટમાં સ્થાન પામેલા મંત્રી અને તેઓ જે જિલ્લામાંથી આવે છે એ જિલ્લાનાં સંસદ સભ્ય વચ્ચેનાં મતભેદો એવી ચરમ સીમાએ પહોંચ્યા છે કે એ બંને એકબીજા સાથે બોલતાં પણ નથી.સ્થાનિક અધિકારીની મુંઝવણ એવી છે થઈ ગઈ છે કે સરકારી કાર્યક્રમમાં પ્રોટોકોલ અનુસાર…
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી –અમદાવાદથી મુંબઈ સુધી રેલવે દ્વારા પ્રવાસ ટ્રેનમાં યાત્રીઓ સાથે રાજ્યપાલશ્રીનો સહજ સંવાદભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ સી. પી. રાધાકૃષ્ણન દ્વારા મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે રાજીનામું આપતાં ગુજરાતના રાજ્યપાલને વધારાનો હવાલો સોંપાયોAhmedabad, મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે વધારાનો હવાલો સંભાળવાની જવાબદારી સ્વીકારવા માટે ગુજરાતના માન. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ મુંબઈ સુધી જવા માટે રેલવે દ્વારા મુસાફરી કરી. આ મુસાફરીમાં લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજી પણ જોડાયા હતા. રાજ્યપાલશ્રીએ હવાઈ મુસાફરીને બદલે ટ્રેન દ્વારા અમદાવાદથી મુંબઈ જવાની અનુમતિ આપતા તારીખ 14સપ્ટેમ્બર2025ના રોજ રવિવારની તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં તેઓની ટિકિટ બુક કરાવવામાં આવી હતી.ટ્રેન ઉપડવાના નિર્ધારિત સમય પહેલા રાજ્યપાલશ્રી ગાંધીનગર રાજભવનથી…
આ યોજનામાં વાર્ષિક માત્ર રૂ.૨૦માં ૭૦ વર્ષની ઉંમર સુધી રૂ. ૨ લાખ સુધીનું વીમા કવરેજ ઉપલબ્ધબેંકમાં બચત ખાતુ ધરાવતા ખાતેદાર આ યોજનાનો લાભ લઇ શક્શેમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન’ અંતર્ગત ગુજરાતમાં ‘પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના’માં તા. ૨૭ ઓગસ્ટ-૨૦૨૫ની સ્થિતિએ રેકોર્ડબ્રેક કુલ ૨.૦૧ કરોડથી વધુ લાભાર્થીઓ જોડાયા છે.આ લાભાર્થીઓએ વાર્ષિક માત્ર રૂ.૨૦ ભરીને પોતાના આકસ્મિક મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં રૂ. ૧ થી ૨ લાખ સુધીનું વીમા સુરક્ષા કવચ લઈને પોતાના પરિવારની આર્થિક સુરક્ષા વધુ સુનિશ્ચિત કરી છે. આ યોજના અંતર્ગત આકસ્મિક મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં, ખાસ કરીને ઓછી આવક ધરાવતા તેમજ અસંગઠિત ક્ષેત્રના કામદારોને નજીવા દરે વ્યક્તિગત…
Bahucharaji made a municipality: રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને હજારો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર બહુચરાજીને હવે ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા આ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લામાં આવેલા બેચર-બહુચરાજી ગ્રામ પંચાયતના સ્થાનિક વિસ્તારને હવેથી નાના શહેરી વિસ્તાર તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. આ નિર્ણયની સાથે જ બહુચરાજી હવેથી ‘બેચર-બહુચરાજી મ્યુનિસિપાલિટી’ તરીકે ઓળખાશે અને કાર્યરત થશે. શહેરી વિકાસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, ‘ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટ, (1964નો ગુજરાત 34) 1963’ની કલમ 5(2) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને રાજ્ય સરકારે આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ જાહેરનામું…
