સુશાસનના 4 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નમો લક્ષ્મી યોજના હેઠળ ₹1000 કરોડથી વધુની અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત ₹161 કરોડથી વધુની આર્થિક સહાયની ચૂકવણીનમો લક્ષ્મી યોજના હેઠળ ધો-9થી 12માં અભ્યાસ માટે વિદ્યાર્થિનીઓને કુલ ₹50,000ની સહાય આપવામાં આવે છેનમો સરસ્વતી યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધો-11 અને 12 માટે કુલ ₹25,000ની સહાય આપવામાં આવે છે13 સપ્ટેમ્બર, 2025ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનને 4 વર્ષ પૂર્ણ થયા છે. આ દરમ્યાન મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ થયેલી ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ ધપાવી છે. વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત @2047ના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ સાથે રાજ્યના વિદ્યાર્થીઓને…
Author: gujarat
Rahul Gandhi Gujarat Assembly election plan: ગુજરાતમાં છેલ્લાં 30 વર્ષ કરતાં વધુ સમયથી કોંગ્રેસ સત્તા મેળવી શકતી નથી. હવે અહીં કોંગ્રેસને મજબુત કરવા ખુદ રાહુલ ગાંધીએ કમાન સંભાળી છે. થોડા સમય પહેલાં તેમણે સંસદમાં પણ પડકાર ફેંક્યો હતો કે, હવે ગુજરાત લઈને જ ઝંપીશું. તેના ભાગરૂપે આગામી સમયમાં ખુદ રાહુલ ગાંધી ગુજરાતમાં દરેક વિધાનસભા બેઠકદીઠ બે-બેદિવસ રોકાવાનો પ્રોગ્રામ બનાવી રહ્યા છે. મહિનામાં બેથી ત્રણવાર તેમની ગુજરાતની મુલાકાત રહેશે. રાહુલ ગાંધી તાલુકાના પ્રમુખના ઘરે જમશે અને રોકાશે કોંગ્રેસના સંગઠનમાં જડમૂળથી ફેરફાર થઈ રહ્યા છે. એઆઈસીસીના માર્ગદર્શન હેઠળ 10 દિવસની પ્રશિક્ષણ શિબિર જૂનાગઢમાં ચાલી રહી છે. શિબિરમાં આવેલા રાહુલ ગાંધીએ જિલ્લા અને…
એક સમયે દિવસનો 1 રૂપિયો કમાતા પાબીબેન આજે 300થી વધુ મહિલાઓને આપે છે રોજગારીવાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ (VGRC)માં પાબીબેન રબારી જેવી ખમીરવંતી મહિલાઓની સાફલ્ય ગાથા પ્રકાશિત થશેકચ્છના નાનકડા ગામના પાબીબેન રબારી આજે પ્રખ્યાત એન્ટરપ્રિન્યોર છે,શાર્ક ટેન્ક ઇન્ડિયામાં મળ્યું છે₹50લાખનું ભંડોળAhmedabad, ગુજરાતમાં કચ્છ જિલ્લો કળા અને હસ્તકળાની બાબતમાં હંમેશા અગ્રેસર રહ્યો છે. કચ્છના કુકડસર ગામમાં જન્મેલા પાબીબેન રબારીએ હસ્તકળા ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરી છે અને રબારી ભરતકામને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવી છે. ચોથા ધોરણમાં શિક્ષણ અધૂરું છોડી દેનારા પાબીબેન આજે સફળ એન્ટરપ્રિન્યોર છે અને અનેક મહિલાઓને રોજગારીની તકો આપે છે. ગુજરાતની આવી જ ખમીરવંતી મહિલાઓની સાફલ્ય ગાથા આગામી વાઇબ્રન્ટ ગુજરાત…
Gujarat police station ranking based on public service: ગુજરાતમાં હવે પ્રજાલક્ષી કામગીરીના આધારે પોલીસ સ્ટેશનોને રેન્કિંગ આપવામાં આવશે. રાજ્યના ડીજીપીએ જાહેર કરેલી નવી નીતિ વચ્ચે રાજ્યના એક લાખના પોલીસ દળ માટે નવો પડકાર આવ્યો છે. એક રિપોર્ટ અનુસાર, રાજ્યના શહેરી વિસ્તારમાં 2.83 લોકો વચ્ચે અને ગ્રામ્ય વિસ્તારોમાં 77,344ની વસ્તી વચ્ચે એક પોલીસ સ્ટેશન છે. સ્થિતિ એવી છે છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં 398 ચોરસ કિલોમીટર અને શહેરોમાં 60 ચોરસ કિલોમીટર વિસ્તારની સુરક્ષાની જવાબદારી એક પોલીસ સ્ટેશનના હવાલે હોય છે. સરેરાશ રેશિયા અનુસાર, ગુજરાતના પોલીસ સ્ટેશનોમાં સરેરાશ 110 આસપાસ કર્મચારીઓ ફરજ બજાવે છે. રાજ્યના પોલીસ વડાની સૂચનાથી પ્રજાલક્ષી કામગીરી કરાશે ગુજરાતના પોલીસ…
‘હિન્દી દિવસ– ૨૦૨૫’-કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે પાંચમાં અખિલ ભારતીય રાજભાષા સંમેલનનો શુભારંભકેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘હિન્દી દિવસ-૨૦૨૫’ અને ‘પાંચમાં અખિલ ભારતીય રાજભાષા સંમેલન’નો ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો.સમારોહના શુભારંભ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે હિન્દી ભાષા પ્રેમીઓને આવકારતા કહ્યું કે, ‘હિન્દી’ એ અન્ય ભારતીય ભાષાઓની હરીફ નથી પરંતુ મિત્ર છે. અગાઉ અખિલ ભારતીય રાજભાષા સંમેલન દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાતું હતું. જેમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા અને છેલ્લા પાંચ વર્ષથી આ કાર્યક્રમ દેશના વિવિધ ભાગોમાં યોજાઈ રહ્યો છે. પરિણામે,…
TET-1 and TET-2 exam announcement: રાજ્ય પરીક્ષા બોર્ડે સ્પેશ્યલ સ્પેશિયલ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ ટેટ-1 અને ટેટ-2ની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરીને આ વિશે માહિતી આપવામાં આવી છે. જે મુજબ, 12 ઓક્ટોબરે આ પરીક્ષા યોજાશે. 12 ઓક્ટોબરે યોજાશે સ્પે. ટેટ 1 અને 2ની પરીક્ષા મળતી માહિતી મુજબ, સ્પે. ટેટ-1ની પરીક્ષા 12 ઓક્ટોબરે સવારે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી રહેશે. જ્યારે સ્પે. ટેટ-2ની પરીક્ષા બપોરે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી રહેશે. પરીક્ષાનું આયોજન અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત જિલ્લામાં કરવામાં આવ્યું છે. શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને અન્ય બાબતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવનામાં આવશે. આ અંગે…
અમદાવાદ ખાતે નિવૃત્ત સનદી અધિકારી શ્રી સી.આર. ખરસાણ લિખિત પુસ્તક ‘સનદી સેવાની સફર’ તથા હિન્દી આવૃત્તિ ‘સિવિલ સેવા કા સફર’નો વિમોચન કાર્યક્રમ યોજાયોસનદી સેવામાં નાગરિકધર્મ જ સર્વોચ્ચ છે: શ્રી સી.આર. ખરસાણયુવા અધિકારીઓને સનદી સેવાના વ્યક્તિગત અનુભવોની સાથે સરકારી કાર્યપ્રણાલી અંગે આંતરદૃષ્ટિ આપતું પુસ્તક: શ્રી પ્રવીણ ક. લહેરીઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિવૃત્ત નાયબ કમિશનર અને વરિષ્ઠ સનદી અધિકારી શ્રી સી.આર. ખરસાણ લિખિત પુસ્તક ‘સનદી સેવાની સફર’તથા હિન્દી આવૃત્તિ ‘સિવિલ સેવા કા સફર’નો વિમોચન કાર્યક્રમ એએમએ ખાતે યોજાયો હતો.રાજ્યના પૂર્વ મુખ્યસચિવ શ્રી પ્રવીણ કે. લહેરીએ આ પુસ્તકને ભાવિ પેઢીના અધિકારીઓ માટે અમૂલ્ય અને પ્રેરણારૂપ ગણાવતાં કહ્યું કે સરકારી સેવાની મુશ્કેલીઓ, પડકારો અને જવાબદારીઓ…
Bapunagar road closure due to Namotsav: અમદાવાદના બાપુનગર વિસ્તારમાં સોનરિયા બ્લોક ગ્રાઉન્ડ ખાતે બુધવારે (17મી સપ્ટેમ્બર) નમોત્સવ કાર્યક્રમ યોજાશે. જેને લઈને પોલીસે વિવિધ રૂટનું ડાયવર્ઝન આપ્યું છે. 17મી સપ્ટેમ્બરના રોજ બાપુનગર જનરલ હોસ્પિટલથી સોનરીયા બ્લોક સુધીનો માર્ગ તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે. પોલીસે વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગની પણ જાહેરાત કરી છે. વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગ બાપુનગર જનરલ હોસ્પિટલથી સોનરીયા બ્લોક (શેઠ સી.એલ. સ્કૂલ ત્રણ રસ્તા) સુધીનો માર્ગ બંધ હોવાથી સોનરીયા બ્લોક ત્રણ રસ્તાથી રામીની ચાલી સર્કલ થઈ રખિયાલ ચાર રસ્તા તરફ જઈ શકાશે. જ્યારે પ્રકાશ પેટ્રોલ પંપથી લક્ષ્મી નારાયણ સોસાયટી થઈ એસ.બી.આઈ. બેન્ક ત્રણ રસ્તા તરફ જઈ શકાશે.…
ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’ ઉદયપુર ખાતે યોજાયોગુજરાત-રાજસ્થાન જેવા રાજ્યોની સાંસ્કૃતિક આદાન-પ્રદાન,પ્રવાસન વિકાસ થકી દેશના આર્થિક સશક્તીકરણમાં અગ્રણી ભૂમિકા :- પંજાબના રાજ્યપાલ શ્રી ગુલાબચંદ કટારિયાઆ પ્રી-નવરાત્રિ બંને રાજ્યો વચ્ચેના અતૂટ સંબંધને વધુ મજબૂત બનાવશે :- ગુજરાત પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાકાર્યક્રમમાં જોવા મળી ગુજરાતની કલા,સંસ્કૃતિ,વ્યંજન અને પરંપરાની ઝલકગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’-૨૦૨૫ ઉદયપુર ખાતે યોજાયો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘એક ભારત,શ્રેષ્ઠ ભારત વિઝન’ હેઠળ “વસુધૈવ કુટુંબકમ”ની ભાવનાને આગળ ધપાવતા ગુજરાત અને રાજસ્થાન વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાનના ઉદ્દેશ્ય સાથે રવિવારે ઉદયપુરના ફીલ્ડ ક્લબ સંકુલમાં યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત કલ્ચરલ પ્રોગ્રામ૨૦૨૫માં સંસ્કૃતિઓનો અનોખો સંગમ…
Snake bite prevention and treatment: ચોમાસા સાથે જ વરસાદી પાણી, ભીંજાયેલા ખેતરો અને ઘરઆંગણે ભેજવાળું વાતાવરણ સાપોને બહાર આવવા મજબૂર કરે છે. આ જ કારણ છે કે દર વર્ષે ચોમાસા દરમિયાન સાપ કરડવાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. ભારતમાં સર્પદંશની સ્થિતિ આંકડાઓ મુજબ, દેશમાં દર વર્ષે આશરે 40 લાખ લોકોને સાપ કરડે છે અને અંદાજે 50 હજાર લોકોનાં મોત થાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા કહે છે કે વિશ્વભરમાં દર વર્ષે એક લાખથી વધારે લોકોનું જીવન સાપના ઝેરને કારણે ખોવાય છે, જેમાં અડધા કેસો ભારતમાંથી હોય છે. ગુજરાતમાં વધતા કેસ ગુજરાતમાં દર વર્ષે હજારો લોકોને સાપ કરડે છે. ચોમાસા દરમિયાન…
