Author: gujarat

છેલ્લાં 11 વર્ષમાં ઇન્દિરા બ્રિજથી લઇને વાસણા બેરેજ સુધી સાબરમતી નદીમાંથી 500થી વધુ લોકોના જીવ બચાવ્યાવિશ્વ આત્મહત્યા નિવારણ દિવસના અવસર પર અમદાવાદ શહેરના ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલી જીવનરક્ષક કામગીરી નોંધપાત્ર છે. ઘણીવાર વ્યક્તિ એક ક્ષણની નિરાશામાં જીવનનો અંત લાવવાનો નિર્ણય લે છે, પરંતુ એ જ સમયે મદદનો હાથ લંબાય તો અનેક સપના, અનેક પરિવારો અને અનેક આશાઓ ફરી જીવંત બની શકે છે. અમદાવાદ ફાયર વિભાગની સેવાકથા માનવતા માટે પ્રેરણારૂપ છે.છેલ્લાં 11 વર્ષમાં અમદાવાદના ઇન્દિરા બ્રિજથી લઇને વાસણા બેરેજ સુધી અમદાવાદ ફાયર વિભાગના જવાનો દ્વારા પોતાનો જીવ જોખમમાં મૂકી પાણીમાં કૂદીને કે પછી કોઇપણ રીતે રેસ્ક્યૂ કરીને અંદાજે 500થી વધુ…

Read More

ગુજરાતથી કરી શરૂઆત, હવે વર્લ્ડ ચેમ્પિયનશિપની તૈયારીAhmedabad, પશ્ચિમ રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર ઓફિસ, અમદાવાદમાં કાર્યરત જનરલ આસિસ્ટન્ટ શ્રી મનોજ કુમાર અને શ્રીમતી અંજુ દેવીની પુત્રી પૂજા કુમારીએ કોમ્બેટ રેસલિંગમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે. બિહારમાં જન્મેલી પૂજા હાલમાં કર્ણાટકમાં એમબીએ કરી રહી છે અને તેણે અમદાવાદ (ગુજરાત)થી પોતાની રમતગમત કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે રેસલિંગની તાલીમ પંજાબથી મેળવી હતી.પૂજાએ એપ્રિલ 2024માં શ્રીલંકામાં યોજાયેલી એશિયન ચેમ્પિયનશિપ અને મે 2024માં નેપાળમાં યોજાયેલી સાઉથ એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ગર્વથી ભારતીય ધ્વજ લહેરાવ્યો હતો. તાજેતરમાં, ગોરખપુરમાં યોજાયેલી રાષ્ટ્રીય સ્પર્ધામાં, તેણે ફરી એકવાર ગોલ્ડ મેડલ જીતીને લંડનમાં યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય…

Read More

પબ્લિક સ્પીકિંગ માત્ર શબ્દો બોલવાનો વિષય નથી, પરંતુ શ્રોતાઓ સાથે અર્થપૂર્ણ જોડાણ બનાવવાનો વિષય છે.અમદાવાદ,GLS યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ કોમર્સ દ્વારા Speaker’s Forum – Speak to Lead હેઠળ એક રસપ્રદ પબ્લિક સ્પીકિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. આ વર્કશોપનું માર્ગદર્શન શ્રી નિવિદ દેસાઈ, પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ, Writing Studio, IIT ગાંધીનગરે આપ્યું. તેઓ યુવાનોને પ્રભાવશાળી વાતચીત શીખવવામાં જાણીતા છે.વર્કશોપની શરૂઆત ખૂબ ઉત્સાહ સાથે થઈ. શરૂઆતમાં શ્રી દેસાઈએ વિદ્યાર્થીઓને પોતાનો પબ્લિક સ્પીકિંગનો અનુભવ શેર કરવા કહ્યું – સારો પણ અને નકારાત્મક પણ. આ વાતચીતથી વિદ્યાર્થીઓ આરામ અનુભવી શક્યા અને વાતાવરણ ભાગીદારી ભર્યું બન્યું.શ્રી દેસાઈએ કહ્યું કે “સારો સ્પીકર પહેલા સારો શ્રોતા હોય છે.” તેમણે સમજાવ્યું…

Read More

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના તમામ આશા વર્કર તથા આશા ફેસીલીટર બહેનોને સરકારી કર્મચારી તરીકે નિમણૂક કરી માસિક વેતનમાં વધારો કરવામાં આવે તેવી માંગ સાથે ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.ગુજરાત સરકાર દ્વારા આશા વર્કર તથા આશા ફેસીલીટર બહેનોની નિમણૂક કરવામાં આવી છે, ત્યારથી લઇને અત્યાર સુધી અનેક રોગ,માતા તથા બાળકને લગતી તમામ પ્રકારની સેવા આશા વર્કર તેમજ આશા ફેસીલેટર બહેનો દ્વારા આપવામાં આવે છે.જેમાં સગર્ભા સ્ત્રીની ૯ મહિના સુધી સંભાળ લેવી,૦ થી ૫ વર્ષ સુધીના બાળકોની સંભાળ લેવી, માતા તથા બાળકોને રસીકરણ અપાવવું, સ્ત્રી તથા પુરુષોને કુટુંબ નિયોજનનો લાભ અપાવવો, મલેરિયા, ટીબી, ડેન્ગ્યુ,…

Read More

અમદાવાદ, ભારતની અગ્રણી અંડરગ્રાઉન્ડ પાવર ટ્રાન્સમિશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇપીસી કંપની રાજેશ પાવર સર્વિસીઝ લિમિટેડે (આરપીએસએલ) આજે જાહેરાત કરી હતી કે કંપનીને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (ડીજીવીસીએલ) તરફથી રૂ. 143.11 કરોડનો ટર્નકી કોન્ટ્રાક્ટ મળ્યો છે.આ કોન્ટ્રાક્ટમાં ડીજીવીસીએલ હેઠળના વલસાડ શહેર, વલસાડ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય વિસ્તારોમાં એસઆઈ (સિસ્ટમ ઇમ્પ્રુવમેન્ટ) સ્કીમ હેઠળ હાલના 11/22kV એચટી ઓવરહેડ નેટવર્કને અંડરગ્રાઉન્ડ કેબલ/એમવીસીસી સિસ્ટમમાં ફેરવવાની કામગીરી સામેલ છે.આ કોન્ટ્રાક્ટ જટિલ અંડરગ્રાઉન્ડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં અમદાવાદ હેડક્વાર્ટર સ્થિત કંપનીની નિપુણતા દર્શાવે છે અને ઇપીસી સેગમેન્ટમાં તેની લીડરશિપનો પુનરોચ્ચાર કરે છે.આ અંગે રાજેશ પાવર સર્વિસીઝ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કુરાંગ પંચાલે જણાવ્યું હતું કે આ…

Read More

નડિયાદ, સાબરમતી નદીમાં પુર આવતા ખેડા અને માતર તાલુકાના નદી કિનારે આવેલા ગામોમાં ખેડૂતોને રાતા પાણી એ રોવાનો વારો આવ્યો છે.મોટા ભાગના સીમાડાઓના ખેતરમાં પાણી છલોછલ ભરાઇ ગયુ હોવાને કારણે ડાંગરનો પાક નિષ્ફળ જવાની સ્થિતિ સર્જાઇ છે.આણંદ જિલ્લામાં તારાપુર અને ખંભાત તાલુકાના ૧૪ ગામોને પણ ઉપરથી પાણી છોડવાને કારણે વ્યાપક અસર થવા પામી છે. આ વિસ્તારના નીચાણવાળા ખેતરોમાં પૂરના પાણી ફરી વળતાં ખેતી પાકોને વ્યાપક નુકશાન થવા પામ્યું છે.ખેડા માતર તાલુકાના ગામડાઓમાં મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. હાલમાં આ વિસ્તારમાં ડાંગરનુ વાવેતર કર્યું હતુ. તેમજ આ પાક પણ તૈયાર થઇ ગયો હોય તેવી સ્થિતીમાં હતો.ત્યારે ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને…

Read More

પાલનપુર, અતિભારે વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના સુઇગામ તાલુકાના તમામ ગામોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ત્રીજા દિવસે પણ સુઇગામ તાલુકાના નડાબેટ સહિત ૧૦ ગામો સંપર્ક વિહોણાં છે.પૂરની સ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા એનડીઆરએફ, એસડીઆરએફ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા પાણીમાં ફસાયેલા ૧૬૭૮ લોકોનું સફળતા પૂર્વક રેસ્ક્યું તથા સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે હજુ પણ નવ જેટલા ગામો સંપર્ક વિહોણા છે.સરહદી વિસ્તારના ગામોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતાં સુઇગામ તાલુકાના ૧૦ જેટલા ગામો હજુ પણ સંપર્ક વિહોણાં છે.જ્યારે મોટાભાગના તાલુકામાં વરસાદ પડ્યાના ત્રણ દિવસ થવા છતાં અંધારપટ છવાયેલો છે. જોકે વરસાદ બંધ થતાં તંત્ર દ્વારા અલગ અલગ ટીમો બનાવી બચાવ અને રાહત કામગીરી…

Read More

પાટણ, પાટણ સાંતલપુર તાલુકામાં બે અલગ-અલગ ગામમાં નદીમાં નહાવા ગયેલા કુલ ૧૨ યુવકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં નળિયા ગામ નજીક પસાર થતી ખારી નદીમાં ૯ યુવકો ડૂબ્યા હતા.જેમાંથી ૪નો આબાદ બચાવ થયો છે. જ્યારે બે યુવકોનાં મોત થયા છે જ્યારે ૩ યુવકો લાપત્તા છે. આ ઉપરાંત રણમલપુરા ગામ પાસેની નદીમાં ત્રણ યુવાનો ડૂબ્યા હતા. જેમાંથી બેનો બચાવ થયો છે. જ્યારે એક લાપત્તા છે જેની શોધખોળ ચાલી રહી છે.નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધતા યુવકો ડૂબ્યા હોવાનું મનાય છે. મંગળવારે બપોરે યુવકો ખારી નદીમાં નહાવા માટે ગયા હતા. તે દરમિયાન નદીમાં પાણીનો પ્રવાહ વધતા નવ યુવકો તણાઈ ગયા હતા.…

Read More

અમદાવાદ, મિલકત વેચતા ઉશ્કેરાયેલા પુત્રએ માતા પર પાઇપ વડે હુમલો કરી લોહીલુહાણ કરી નાંખી જેથી માતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી. આ મામલે માતાએ મેઘાણીનગર પોલીસ મથકમાં પુત્ર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ૬૨ વર્ષિય જમનાબહેન ભૂપેન્દ્રભાઇ પટણી પરિવાર સાથે રહે છે.જમનાબહેનનો મોટો દીકરો વિજય તેની પત્ની કાજલ અને બાળકો સાથે પંજાબ સોસાયટીમાં રહે છે. વિજય અને કાજલ અવાર નવાર મિલકત બાબતે જમનાબહેન સાથે માથાકૂટ કરતા હતા.અગાઉ પણ મારામારી થતા બન્ને સામે પોલીસ મથકમાં જમનાબહેને અરજી પણ આપી હતી. ચાર દિવસ પહેલાં જમનાબહેને એક દુકાન વેચી ત્યારે ૮ સપ્ટે.ના રોજ રાત્રે ૧૦.૩૦…

Read More

અમદાવાદ, મણિનગરમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ધો.૧૦ના વિદ્યાર્થીની હત્યાની ઘટનાના ત્રણ સપ્તાહ પછી પણ ઓફલાઈન શિક્ષણ શરૂ થયું નથી. સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ ક્યારથી શરૂ થશે તે અંગે પણ કોઈ સ્પષ્ટતા નથી.આમ, વિદ્યાર્થીઓને હજુ કેટલાક દિવસ ઓનલાઈન શિક્ષણ મેળવવું પડે તેમ છે. હત્યાની ઘટના બાદ જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ સ્કૂલ પર તૈનાત કરવામાં આવી હતી. જેમની સમક્ષ અનેક વાલીઓ દ્વારા પ્રવેશ રદ કરવવા માટે અરજી કરી હતી.અધિકારીઓના કહેવા પ્રમાણે સ્કૂલમાંથી અંદાજે ૫૦૦ જેટલા પ્રવેશ રદ થવાની શક્યતા છે. સેવન્થ ડે સ્કૂલમાં ધો.૧૦ના વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થીએ હત્યા કરી દેતા સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાયો હતો.ઘટનાના પગલે મોટી સંખ્યામા લોકો સ્કૂલ કેમ્પસ પર ધસી…

Read More