શરૂઆતમાં પાયલોટ તરીકે ઓગણજ સર્કલ થી ઋષિ દાધીચી બ્રિજ સુધીનો ૧૦.૨૩ કિ.મી.નો રોડ સ્ટ્રેચ પસંદ કરાયો છે.ઓગણજ સર્કલથી રામોલ ટોલ પ્લાઝાઃ રાહદારીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈ પહોળી ફુટપાથ તૈયાર થશે(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્રાફિકની સરળતાની સાથે સાથે રોડને સુશોભિત કરવા માટે પણ પ્રયત્ન કરવામાં આવી રહયા છે. શહેરના એરપોર્ટ સર્કલથી ઈÂન્દરાબ્રિજ સુધી આઈકોનીક રોડ બનાવ્યા બાદ હવે અન્ય ૧૦ જેટલા સ્થળે આઈકોનીક રોડ બનાવવામાં આવી રહયા છે.શહેરનો મહત્તમ ટ્રાફિક પૂર્વથી પશ્ચિમ તરફ અવરજવર કરે છે જેને ધ્યાનમાં લઈ કોર્પોરેશન દ્વારા ઈસ્ટ-વેસ્ટ કોરીડોર તૈયાર કરવામાં આવશે જે ઓગણજથી શરૂ થઈ રામોલ ટોલપ્લાઝા પાસે પૂર્ણ થશે જેના માટે અંદાજે રૂ.…
Author: gujarat
CAG report on Gujarat government financial management: ગુજરાત સરકારનું નાણાંકીય મેનેજમેન્ટ કંગાળ હોવાનું અવલોકન બુધવારે ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા કોમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. આ સાથે જ અંદાજપત્રના ખર્ચના હિસાબોનું બરાબર મેનેજમેન્ટ ન થતું હોવાનું જણાવવામાં આવ્યું છે. તેમ જ 2023-24ના વર્ષમાં ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા હિસાબોની ગુણવાા પણ કંગાળ હોવાનું અવલોકન કરવામાં આવ્યું છે. કેગના અહેવાલમાં નાણાંકીય શિસ્તનું પાલન કરવામાં ગુજરાત સરકારની સંખ્યાબંધ નબળાઈઓ પ્રત્યે ઘ્યાન દોરવામાં આવ્યું છે. ગુજરાત સરકારની મહેસૂલી આવક 11.71 ટકાના વધારા સાથે રૂા. 2,22,763 કરોડની થઈ છે. તેની સામે કુલ ખર્ચ રૂા. 2,47,632 કરોડનો થયો છે. આમ આવક…
Gujarat Construction Accidents CAG Report: ગુજરાતના મકાન અને અન્ય બાંધકામ ક્ષેત્રના કામદારોના કલ્યાણ અંગેના ભારત સરકારના કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના માર્ચ 2022ના પૂરા થતા વર્ષ માટેના રિપોર્ટ મુજબ સરકારના બાંધકામ ક્ષેત્રના કામદારોના કલ્યાણ બોર્ડે કલ્યાણ ભંડોળનું જ ગઠન કર્યુ ન હતું. આ સિવાય સરકારે જૂન 2011થી સલહાકાર સમિતિનું પણ ગઠન કર્યુ ન હતું. કેગના રિપોર્ટ મુજબ સાઠ વર્ષની ઉંમર પૂરી કરનારા લાભાર્થીને વૃદ્ધાવસ્થા પેન્શન આપવુ બોર્ડનું મુખ્ય કામોનું એક છતાં 2019થી વૃદ્ધાવસ્થા પેન્શન યોજના સ્થગિત રાખવામા આવી હતી. 2017 થી 2022 સુધીના છ વર્ષમાં રાજ્યમાં જુદી જુદી 280 બાંધકામ સાઇટો પર અકસ્માતની ઘટના બની હતી જ્યારે આ ઘટનાઓમાં 313 કામદારોના…
શહેરના રાજમાર્ગ ઉપર શટલ રીક્ષા સિવાય રેગ્યુલર મીટરથી રીક્ષાઓ દોડી રહી છે. -રીક્ષાઓમાં ફલેટ મીટર લાવ્યા પરંતુ તેનો અમલ કેટલો ?(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેર મેગાસીટી બની રહયુ છે. પરંતુ સુખ-સુવિધા તથા સગવડની બાબતમાં જે નિતિ- નિયમોનું પાલન થવુ જોઈએ તેમાં સંભવતઃ કચાશ જોવા મળી રહી છે. અમદાવાદ શહેરના રાજમાર્ગ ઉપર શટલ રીક્ષા સિવાય રેગ્યુલર મીટરથી રીક્ષાઓ દોડી રહી છે. રીક્ષાઓમાં ફલેટ મીટર લાવ્યા પરંતુ તેનો અમલ કેટલો ?રીક્ષાવાળાઓએ ફલેટ મીટર રૂપિયા ખર્ચીને ખરીદયા પરંતુ મોટેભાગે હાલમાં તે શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. ફલેગમીટર લગભગ કિસ્સાઓમાં બંધ હોય છે તેની પાછળ અનેક તર્ક-વિતર્કો છે. ઓટો રીક્ષાચાલકોનું કહેવુ છે કે પેસેન્જર…
Bayad-Ahmedabad highway accident: બાયડ-અમદાવાદ હાઈવે પર આંબલિયારા ગામ નજીક બુધવારે સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટનામાં બાઈક પર સવાર પતિ, પત્ની અને તેમના બાળકનું કરુણ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારે સાંજે 6 વાગ્યાના આસપાસ ઝાલોદ વિસ્તારનો એક પરિવાર બાઈક પર જઇ રહ્યો હતો. ત્યારે આંબલિયારા ગામ નજીક સામેથી પૂરપાટ ઝડપે આવતી એક બલેનો કાર સાથે બાઈકની ટક્કર થઇ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માત બાદ બાઈકમાં આગ લાગી ગઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં બાઈક ચલાવી રહેલા પુરુષનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે…
નડિયાદમાં દાંડી માર્ગની બિસ્માર હાલત- શહેર કોંગ્રેસે દર્શાવ્યો વિરોધ(પ્રતિનિધિ) નડિયાદ, ચોમાસાની શરૂઆત થતા જ નડિયાદ માંથી પસાર થતાં ડભાણથી ભૂમેલ તરફ જતા દાંડી માર્ગની દયનીય હાલત સામે આવી હતી.કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ રસ્તા પર મોટા-મોટા ખાડાઓ પડી ગયા છે, જેને કારણે વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિએ રોડ પર વિરોધ પ્રદર્શન યોજી તંત્ર સામે અનેક સવાલો ઉઠાવ્યા છે.નડિયાદના ડભાણથી ભૂમેલ તરફ જતા દાંડી માર્ગનું સમારકામ જાન્યુઆરી ૨૦૧૯માં રૂ. ૧૬.૭૫ કરોડના બજેટથી મંજૂર કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના આક્ષેપ મુજબ, તંત્ર દ્વારા કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા હોવા છતાં થોડા જ…
Fire Safety Certificate for Garba in Ahmedabad: અમદાવાદમાં ગરબા યોજવા ફાયર સેફટી સર્ટિફિકેટ ફરજિયાત લેવુ પડશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા નવરાત્રિ સંદર્ભમાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર બહાર પાડી છે. જેનો અમલ કરાશે. ગરબા આયોજકે આયોજનના સ્થળે બહાર નીકળવા માટે બે ઈમરજન્સી એકિઝીટ રાખવી પડશે. કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા આગામી નવરાત્રિ પર્વના સંદર્ભમાં 32 મુદ્દાની SOP જાહેર કરી છે. ફાયર સેફ્ટી સર્ટિફિકેટ લેવું ફરજિયાત આ SOPમાં લોકોની સલામતીના મુદ્દાને મહત્ત્વ અપાયુ છે. નવી માર્ગદર્શિકા મુજબ, ગરબા આયોજક ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કર્યા પછી ઈવેન્ટ શરૂ થવાના ત્રણ દિવસ પહેલા તેની હાર્ડ કોપી જમાલપુર ફાયર સ્ટેશન…
પંજાબના પૂર પ્રભાવિત લોકોની સહાયતા માટે જીવન જરૂરી ચીજ વસ્તુઓ વિશેષ રાહત ટ્રેન મારફતે મોકલવામાં આવીપંજાબઅનેછત્તીસગઢનાપૂરઆફતગ્રસ્તોનીમદદમાટેગુજરાતતરફથીમુખ્યમંત્રીરાહતનિધિમાંરૂ.પાંચ–પાંચકરોડનીસહાયનાચેકમોકલવામાંઆવ્યામુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં ગુજરાતે પંજાબના પૂર પીડિત લોકોની પડખે ઊભા રહિને મુશ્કેલીના સમયે જરૂરત મંદોની મદદ માટેઆપદ ધર્મ નિભાવવાની ગુજરાતની પરંપરાને આગળ ધપાવી છે.પંજાબમાં ભારે વરસાદને કારણે પૂરથી પ્રભાવિત લોકોની તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરવાના ઉમદા હેતુથી ગુજરાત સરકારની રાહત કમિશનરની કચેરીના સંકલન હેઠળ અન્ન નાગરિક પૂરવઠા વિભાગ,કૃષિ વિભાગ,આરોગ્ય વિભાગ જેવા વિવિધ વિભાગો દ્વારા જીવન આવશ્યક ચીજ વસ્તુઓ વિશેષ રાહત ટ્રેન મારફતે પંજાબ પહોંચાડવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે લોટ,ડુંગળી,બટાકા,ચોખા,સીંગતેલ,ખાંડ અને દૂધ પાવડર જેવી આવશ્યક વસ્તુ મળી કુલ ૪૦૦ ટન ખાદ્ય…
ઈતિહાસનું સ્વર્ણિમ પૃષ્ઠ: ૧ સપ્ટેમ્બર: ટી.પી. સ્કીમમાં ગુજરાતની અપાર સફળતા: સુરતની પ્રેરણાદાયક પહેલસુરતમાં બુલેટ ટ્રેન સ્ટેશન વિસ્તારના આયોજન માટે પ્રારંભિક ટી.પી. સ્કીમ નં ૬૧(કોસમાડા-છેડછા-ઓવિયાણ) ના નિર્ણયો માત્ર ૮ મહિનામાં જાહેર થયાસુરત શહેરના ૯૦૯ હેક્ટર ક્ષેત્રફળમાં મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટના માળખાગત વિકાસ માટે કુલ ૫ ટાઉન પ્લાનિંગ સ્કીમોનું આયોજનદેશના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનની પહેલી ટી.પી. સ્કીમ ના નિર્ણયો જાહેર: ૧૦૦ વર્ષ પહેલા આ દિવસે ભારતની પ્રથમ ટી.પી. અમલી બની હતી એ ઈતિહાસની વિરલ ઘટના:‘કોસમાડા-છેડછા-ઓવિયાણ માટેTPસ્કીમ નં ૬૧ના ઝડપી પ્રારંભિક નિર્ણયોથી સુનિયોજિત વિકાસને વેગ’Surat, દેશના મહત્વાકાંક્ષી ‘મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ’ પ્રોજેક્ટ અંતર્ગત સુરતમાં નિર્માણ પામતું બુલેટ ટ્રેન સ્ટેશન માત્ર ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ…
India 12-hour work bill: ગુજરાત વિધાનસભાએ બુધવારે એક બિલ પસાર કર્યું છે. આ અંતર્ગત, ફેક્ટરીઓ અને ઉદ્યોગોમાં કામના કલાકો હવે 9 કલાકથી વધારીને 12 કલાક કરવામાં આવશે. આ બિલ ભાજપના સમર્થનથી પસાર થયું હતું, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) એ તેનો વિરોધ કર્યો હતો. આ નવા કાયદા અનુસાર, મહિલાઓ રાત્રે 7 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ શિફ્ટમાં કામ કરી શકે છે, જો પૂરતી સુરક્ષા વ્યવસ્થા હોય. આ બિલ જુલાઈમાં લાગુ કરાયેલા વટહુકમનું સ્થાન લઈ રહ્યું છે. ઉદ્યોગ મંત્રી બલવંત સિંહ રાજપૂતે કહ્યું કે તેનો હેતુ રોકાણ વધારવા અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવાનો છે. ઉપરાંત, તેમણે સ્પષ્ટતા કરી…
