India 12-hour work bill: ગુજરાત વિધાનસભાએ બુધવારે એક બિલ પસાર કર્યું છે. આ અંતર્ગત, ફેક્ટરીઓ અને ઉદ્યોગોમાં કામના કલાકો હવે 9 કલાકથી વધારીને 12 કલાક કરવામાં આવશે. આ બિલ ભાજપના સમર્થનથી પસાર થયું હતું, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) એ તેનો વિરોધ કર્યો હતો. આ નવા કાયદા અનુસાર, મહિલાઓ રાત્રે 7 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ શિફ્ટમાં કામ કરી શકે છે, જો પૂરતી સુરક્ષા વ્યવસ્થા હોય. આ બિલ જુલાઈમાં લાગુ કરાયેલા વટહુકમનું સ્થાન લઈ રહ્યું છે. ઉદ્યોગ મંત્રી બલવંત સિંહ રાજપૂતે કહ્યું કે તેનો હેતુ રોકાણ વધારવા અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવાનો છે. ઉપરાંત, તેમણે સ્પષ્ટતા કરી…
Author: gujarat
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC): ઉત્તર ગુજરાતમાં બટાકા,મસાલાઓ અને ડેરી મૂલ્ય શૃંખલામાં રોકાણની તકોને પ્રદર્શિત કરશેVGRCઉત્તર ગુજરાતમાં કૃષિ,ફૂડ પ્રોસેસિંગ અને ડેરી ક્ષેત્રને વેગ આપશેમહેસાણા, ગુજરાત કૃષિ અર્થતંત્ર માટે એક સંકલિત સહકારી કેન્દ્ર રહ્યું છે. ઉલ્લેખનીય છે કે,આગામી9અને10ઓક્ટોબર, 2025ના રોજ ઉત્તર ગુજરાતમાં મહેસાણા ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)યોજાશે,જેમાં કૃષિ,ડેરી અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે ઉત્તર ગુજરાતની ક્ષમતાઓને પ્રદર્શિત કરવામાં આવશે.આ બે દિવસીય કોન્ફરન્સમાં વિવિધ સેમિનારો આયોજિત થશે અને નેટવર્કિંગ તકોને સમાવિષ્ટ કરવામાં આવશે.9ઓક્ટોબર, 2025ના રોજ ગુજરાત સરકારના કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા‘સોઇલ ટુ શેલ્ફ: ઇન્ટિગ્રેટિંગ સસ્ટેનેબિલિટી એન્ડ પ્રોફિટેબિલિટી એક્રોસ ધ વેલ્યુ ચેઇન‘ (બીજથી બજાર સુધી: મૂલ્યશૃંખલામાં ટકાઉપણા અને નફાકારકતાનું સંકલન)…
(એજન્સી)નવી દિલ્હી, દરેક ઘરમાં વપરાતા દૂધના ભાવ ટૂંક સમયમાં ઘટવાના છે. સરકારે તાજેતરમાં જીએસટી કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લીધો છે કે પેકેજ્ડ દૂધને ૫% ય્જી્માંથી મુક્તિ આપવામાં આવશે. આ નિર્ણય લાગુ થતાં જ દેશની સૌથી મોટી દૂધ ઉત્પાદક બ્રાન્ડ અમૂલ અને મધર ડેરીના દૂધના ભાવમાં તાત્કાલિક રાહત મળશે.જીએસટીની આ મુક્તિનો સીધો ફાયદો સામાન્ય ગ્રાહકોને થશે કારણ કે દૂધ પરનો ૫% કર દૂર કરવામાં આવશે. આ પગલાનો ઉદ્દેશ્ય વધતી જતી મોંઘવારી વચ્ચે દૂધ જેવી આવશ્યક વસ્તુને વધુ સસ્તું બનાવવાનો છે જેથી દરેક પરિવારને સસ્તું અને ગુણવત્તાયુક્ત દૂધ મળી શકે.અમૂલ ઉત્પાદનોમાં ફુલ ક્રીમ દૂધ અમૂલ ગોલ્ડ ની કિંમત લગભગ રૂપિયા ૬૯ પ્રતિ લિટર…
નવ નિયુકત કમિશનરે સાબરમતી પ્રદુષણ મામલે હજી સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરી હોય તેમ લાગી રહયું નથી (દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ છેલ્લા કેટલાક સમયથી ભારે તણાવ અને કોઈ ગુનો કર્યો હોય તેવા ભાવથી કામ કરી રહયા છે. મોટાભાગના અધિકારીઓની બોડી લેંગ્વેજ પણ નેગેટિવ થઈ ગઈ છેજેના માટે એમ કહેવાય છે કે મ્યુનિ. કમિશનર એમ બંછાનિધીપાની તરફથી અવારનવાર તેમજ વ્યાજબી કારણ વિના થતા મોખિક ફાયરીંગ જવાબદાર છે. જયારે મ્યુનિ. ભવનમાં થતી કાનાકૂસીને સાચી માનીએ તો બે આઈએસ અધિકારીઓના અહમનો ભોગ મ્યુનિ. અધિકારીઓ બની રહયા છે.અમદાવાદ મ્યુનિ. કમિશનર તરીકે એમ થેન્નારસનની બદલી થયા બાદ IAS બંછાનિધી પાનીની નિયુક્તિ…
કેટલાક ગાર્ડનોમાં સીસીટીવી બંધ હાલતમાં હોવાનું પણ સામે આવ્યું છે-કેટલીક લાઇટો ટાઈમર પ્રમાણે રાત્રે ગાર્ડન બંધ થાય એટલે બંધ થઈ જાય છે(પ્રતિનિધિ)અમદાવાદ, શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ગાર્ડનો માં સુરક્ષા ને લઈને હવે સવાલો ઊભા થઈ રહ્યા છે શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા ગાર્ડનમાં અસામાજિક તત્વો નો ત્રાસ હોવા અંગેની ફરિયાદો સ્થાનિક નાગરિક દ્વારા કરવામાં આવી છેજેના કારણે હવે ગાર્ડનની દીવાલો ઉપર ફેન્સીંગ લગાવવા માટેની સુચના અધિકારીઓને આપવામાં આવી છે. અમુક ગાર્ડનોમાં સીસીટીવી લગાવવામાં આવ્યા છે જેમાં કેટલાક ગાર્ડનોમાં સીસીટીવી બંધ હાલતમાં હોવાનું પણ સામે આવ્યું છે જેને ફરી ચાલુ કરવા માટેની સૂચના પણ ઈ ગવર્નન્સ વિભાગ સાથે સંકલન કરવા જણાવવામાં આવ્યું…
કચ્છમાં ભારે વરસાદને કારણે મેવાસાનો ડેમ તૂટ્યોભુજ, ગુજરાતમાં કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદે તારાજી સર્જી છે. કચ્છમાં ભારે વરસાદને કારણે મેવાસાનો ડેમ તૂટ્યો છે. ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી વહેતુ થયું છે. જેના કારણે ગાગોદર નદીની આસપાસ રહેતા લોકોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. લોકોને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવા સૂચના આપવામાં આવી છે. ડેમમાંથી વહેતા પાણીનો પ્રવાહ ખૂબજ ભયાનક હોવાથી લોકોને સ્થળ છોડી દેવા સૂચના અપાઈ છે.કચ્છના રાપરમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાથી 20 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. માનગઢ ગામના શેલ્ટર હોમમાં લોકોનું સ્થળાંતર કરાયું છે. વરસાદને કારણે ચિત્રોડ, રાપર અને બાલાસર હાઈવે બંધ કરી દેવાયો છે.પૂર્વ કચ્છમાં…
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયેલા નેક્સ્ટ જેનGSTરિફોર્મ્સ માટે રાજ્યના ઉદ્યોગ એસોસિએશનના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને મળીને આભાર વ્યક્ત કર્યોGandhinagar, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તાજેતરમાં થયેલા નેક્સ્ટ જેન જી.એસ.ટી. સુધારાઓને ગુજરાતના વ્યાપારી સંગઠનોએ હકારાત્મક પ્રતિસાદ સાથે આવકાર્યા છે.આ સંદર્ભે વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને ભારત સરકારની આ પહેલ અંગે રાજ્યના વિવિધ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રતિનિધિઓએ ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળીને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતોઉદ્યોગ એસોસિએશનના પ્રતિનિધિઓએ કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી માળખામાં કરાયેલા આ નવા સુધારાઓને ઉદ્યોગોના વિકાસ માટે સકારાત્મક અને પ્રેરણાદાયી પગલું ગણાવ્યું હતું. તેમણે નવાGSTફ્રેમવર્કથી રોજિંદા વ્યવસાયિક કાર્યને સરળ બનાવવા તથા લોજિસ્ટિક…
(પ્રતિનિધિ) નડિયાદ, બિહારમાં વડાપ્રધાનના માતા વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં ખેડા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા નડિયાદ ખાતે ધરણા પ્રદર્શન કર્યા હતા અને બાદ માં આવેદનપત્ર આપવાના આવ્યું હતું.આ કાર્યક્રમ પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ ડો. દીપિકાબેન સરવડાના સૂચન મુજબ, તેમજ જિલ્લા સંગઠન પ્રમુખ નયનાબેન પટેલ અને મધ્ય ઝોન મોરચા પ્રભારી સીમાબેન મોહિલે તથા જિલ્લા પ્રભારી અરુણાબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ નડીયાદ માં સરદારની પ્રતિમા પાસે મહિલા મોરચાની કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા.ત્યારબાદ ત્યાંથી કોર્પોરેશનના ગેટ સુધી રેલી સ્વરૂપે અને તે પછી તમામ કાર્યકર્તાઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. કલેક્ટર કચેરીએ પહોંચીને તેમણે આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા…
ગોધરાના સામલી ગામે બનેલો લૂંટનો ગુનો ઉકેલાયોઃ ત્રણ આરોપીઓ સુરતમાંથી ઝડપાયા(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા તાલુકાના સામલી ગામે બે વ્યક્તિઓને ધાકધમકી આપી બળજબરીથી રોકડ રૂપિયા તથા UPI મારફતે ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યાનો ગુનો ઉકેલવામાં આવ્યો છે. ગોધરા એલ.સી.બી., એસ.ઓ.જી. અને ગોધરા તાલુકા પોલીસની સંયુક્ત ટીમે ઝડપી કાર્યવાહી કરતા સુરતમાંથી ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે.આ કાર્યવાહી પંચમહાલ-ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી. અસારી તથા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી. એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એન.એલ. દેસાઈ અને એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. પટેલના નેતૃત્વમાં ટીમે ટેકનિકલ સર્વેલન્સ, નેત્રમ કમાન્ડ કંટ્રોલના CCTV ફૂટેજ અને હ્યુમન સોર્સીસના આધારે આરોપીઓની ઓળખ કરી સુરતમાંથી ઝડપી પાડ્યા હતા૧રાહુલ…
હાઈવે બંધ થતાં વાહનવ્યવહાર ખોરવાયો(પ્રતિનિધિ) નડિયાદ, ઉપરવાસમાં ભારે વરસાદ અને ડેમમાંથી પાણી છોડાતા ખેડા જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નદી કિનારે આવેલા અનેક ગામોમાં પૂરના પાણી ઘૂસી જતાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.રસીકપુરા, નાની કલોલી, અને પથાપુરા જેવા ગામોમાં તો છાતી સમા પાણી ભરાયા છે, જેના કારણે લોકોની હાલત દયનીય બની છે. પાણીના પ્રવાહને કારણે ખેડા-ધોળકા સ્ટેટ હાઈવે પણ બંધ કરી દેવાયો છે, જેના પગલે વાહનવ્યવહાર થંભી ગયો છે અને અનેક વાહનો અટવાયા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા ગઈકાલે અંદાજે ૧૫૦૦ જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.ખેડા જિલ્લામાં સાબરમતી નદીના વધતા…
