9અને10 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા આ એક્સપોમાં 150જેટલાં સ્ટોલ અને અંદાજે2500જેટલાં એક્ઝિબિટર્સ સહભાગી થયામુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશન(AGCA)એક્સપો-૨૦૨૫ને ખુલ્લો મૂક્યો હતો.આ એક્સપોમાં150જેટલાં સ્ટોલ અને અંદાજે2500જેટલાં એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે. તારીખ9અને10સપ્ટેમ્બર એમ બે દિવસ યોજાનારા આ એક્સપોમાં વિવિધ દેશોની ભોજન સામગ્રી અને રસોઈકળાનું પ્રદર્શન થશે.આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વિવિધ કેટરર્સ સ્ટોલ્સની મુલાકાત લઈ કેટરર્સ એસોસિએશનના અગ્રણીઓને જણાવ્યું કે,રાજ્ય સરકાર દ્વારા‘મેદસ્વિતા મુક્ત ગુજરાત‘નું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આપણે પણ હેલ્થ કોન્શિયસ બની કેટરર્સ દ્વારા બનાવવામાં આવતા ખોરાકમાં તેલનો વપરાશ ઓછો કરી લોકોના સ્વાસ્થ્ય સુધારના કામમાં સહભાગી બનીએ.ખાદ્ય,પાકકળા અને પેય ઉદ્યોગોના150થી વધુ સ્ટોલ્સમાં કેટરર્સના ઉત્પાદનોનું પ્રદર્શન આ કેટરિંગ…
Author: gujarat
રાજ્યમાં વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ-જળસંચય થાય તે માટે સરકાર સંકલ્પબદ્ધ -જળ સંપત્તિ રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં વરસાદના પાણીનો મહત્તમ સંગ્રહ-જળ સંચય થાય તે માટે અનેકવિધ નવા ચેકડેમ,ખેત તલાવડી, વિવિધ નદીઓ પર બેરેજ-વિયર, રિચાર્જ વેલ અને તળાવો ઊંડા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.આ અભિયાનના ભાગરૂપે જામનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૧૨ તેમજ દેવભૂમિ દ્વારકામાં ૧૩ નવા ચેકડેમ મંજૂર કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ ૫૮૬ નવા ચેકડેમ બનાવવામાં આવ્યા છે તેમ,આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય શ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતા જળ સંપત્તિ રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલે જણાવ્યું હતું.મંત્રીશ્રી પટેલે પેટા પ્રશ્નનો…
પોલિટિકલ વિલ અને નેશનલ સિક્યુરિટીની પ્રાયોરીટી હોય તો દેશ વિરુદ્ધની નાપાક હરકતોનો સજ્જડ જવાબ આપી શકાય તે ઓપરેશન સિંદૂરથી પુરવાર થયું છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ::મુખ્યમંત્રીશ્રી::ભારતીય સેનાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વમાં 7મી મે, 2025ના દિવસે ઓપરેશન સિંદૂરને અંજામ આપીને રાષ્ટ્ર વિરોધી તત્વોની નાપાક હરકતોનો જડબાતોડ જવાબ આપ્યો છે. આ ઓપરેશનની સફળતાથી દેશના જન-જનની સુરક્ષા અને રાષ્ટ્ર રક્ષાનો મંત્ર પાર પડ્યો છે.ઓપરેશન સિંદૂરની આ સફળતા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશની સેનાને અભિનંદન આપતો પ્રસ્તાવ મુખ્યમંત્રીશ્રી અને ગુજરાતના વિધાનસભા ગૃહના નેતા શ્રી ભૂપેન્દ્ર પટેલે 15મી ગુજરાત વિધાનસભાના સાતમા સત્રના બીજા દિવસે વિધાનસભા ગૃહમાં રજૂ કર્યો હતો.તેમણે આ પ્રસ્તાવ…
દિવ્યાંગો માટે ૦૭ ભરતીમેળા થકી ૨૭૮ દિવ્યાંગોને તથા મહિલાઓ માટે ૦૨ ભરતીમેળા યોજી ૭૮૪ મહિલાઓને રોજગારી અપાઈગાંધીનગર, રાજ્યમાં રોજગાર મેળા વિશે વિધાનસભા ગૃહમાં માહિતી આપતા શ્રમ, કૌશલ્ય, વિકાસ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કુલ ૧૧૯ રોજગાર મેળાઓનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર મેળાઓ થકી ૨૦,૧૯૫ યુવાઓને રોજગારી મળી છે.વધુમાં રોજગાર મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યના રોજગારવાંચ્છુઓ માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે અનુબંધમ વેબપોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ પર ઉમેદવારો પોતાના ઘરે બેઠા નોંધણી કરી શકે છે અને નોકરીદાતા તેમની…
ગુજરાત માહિતી આયોગ,ગાંધીનગર ચોક્ક્સ નાગરિકના કિસ્સામાં આયોગ દ્વારા કરવામાં આવેલ હુકમોનું અયોગ્ય અર્થઘટન કરી,અન્ય નાગરિકોને માહિતી નહીં આપવાના સંબંધમાં આયોગની સ્પષ્ટતા અને ચેતવણીગાંધીનગર, માહિતી અધિકાર અધિનિયમ,૨૦૦૫ એ જાહેર વહીવટમાં પારદર્શિતા તથા જવાબદેહિતા લાવવા માટેનું અમોઘ શસ્ત્ર છે. પરંતુ ગુજરાત માહિતી આયોગને અનુભવે જણાવેલ છે કે,કેટલાક અરજદારો દ્વારા માહિતી અધિકાર અધિનિયમ હેઠળ બહોળા પ્રમાણમાં અરજીઓ કરી માહિતી અધિકાર અધિનિયમ હેઠળ પ્રાપ્ત થયેલ “માહિતીનો અધિકાર” નો અતિ/અપ્રમાણસર ઉપયોગ કરવામાં આવે છે,જેથી જાહેર માહિતી અધિકારીઓ,પ્રથમ અપીલ અધિકારીઓ અને ગુજરાત માહિતી આયોગનો સમય બિનજરૂરી અને અપ્રમાણસર રીતે વપરાય છે અને માહિતી અધિકાર અધિનિયમ,૨૦૦૫ની કલમ-૭(ક)ની જોગવાઇઓ અનુસાર જાહેર સત્તામંડળના સ્ત્રોતોનો અપ્રમાણસર ઉપયોગ થાય છે. આથીGenuineઅરજદારોને…
પક્ષ – વિપક્ષ જોયા વિના પ્રજાજનોના વિકાસને કેન્દ્રમાં રાખીને સરકાર કામ કરી રહી છે – ઋષિકેશ પટેલરાજ્યમાં નવનિર્મિત નગરપાલિકા, મહાનગરપાલિકાઓમાં પણ બાકી રહી જતા અને નવીન વિકાસ કાર્યો સત્વરે શરૂ કરાશે-આવનાર સમયમાં 506 જેટલી નવીન ટી.પી. મંજૂર કરાશે, જેને સમયમર્યાદામાં આખરી કરાશેગાંધીનગર, રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીશ્રીએ વિધાનસભામાં પૂછાયેલા ટી.પી. સ્કીમ સંદર્ભેના એક પ્રશ્નના ઉત્તરમાં સ્પષ્ટ પણે કહ્યું કે, રાજ્ય સરકાર પક્ષ-વિપક્ષ વિના રાજ્યની તમામ પ્રજાજનોના વિકાસ કાર્યોમાં અવિરત પણે કાર્ય કરી રહી છે.રાજ્યમાં વધતા જતા શહેરીકરણના પગલે સરકાર દ્વારા સુનોયિજીત પણે આયોજન હાથ ધરીને વિકાસ કાર્યો હાથ ધરાયા છે.રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 10 વર્ષમાં 776 જેટલી ટી.પી. સ્કીમ મંજૂર કરવામાં…
રાજ્યના ખેતરો સુધી કોઈપણ વિક્ષેપ વિના વીજ પુરવઠો પૂરો પાડવા ખેતીવાડી વીજ લાઈનના ખુલ્લા તારને યુદ્ધના ધોરણે અદ્યતન MVCC કેબલ સાથે રૂપાંતરિત કરવામાં આવી રહ્યા છે: ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઇમીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર કેબલ ઉપર ખાસ પ્રકારનું ઇન્સ્યુલેશન કવર હોવાથી, તે ખુલ્લા તાર કરતાં વધુ સુરક્ષિત અને ભરોસાપાત્રGandhinagar, ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહ ખાતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વીજ વિક્ષેપને ઘટાડીને ખેતરો સુધી અવિરત વીજ પુરવઠો પૂરો પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા ખેતીવાડી વીજ લાઈનના ખુલ્લા તારને અદ્યતન MVCC એટલે કે, મીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર કેબલ સાથે બદલીને કોટેડ કરવામાં આવી રહ્યા છે. MVCC કેબલ પર ખાસ પ્રકારનું…
Mount Abu tourist ban: ભારે વરસાદને કારણે માઉન્ટ આબુના સાત ગુમ નજીક રોડનો એક ભાગ ધરાશાયી થતાં તંત્રએ તાત્કાલિક અસરથી 3 દિવસ માટે પ્રવાસીઓ માટે પ્રવેશ બંધ કરવાનો નિર્ણય લીધો છે. માઉન્ટ આબુના સબ ડિવિઝન ઓફિસર દ્વારા આ આદેશ જારી કરવામાં આવ્યો છે, જેમાં જણાવાયું છે કે માર્ગનું સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી માઉન્ટ આબુ પ્રવાસીઓ માટે બંધ રહેશે. આ 5 આદેશોનું કરવું પડશે પાલન 1. આગામી 3 દિવસ સુધી કોઈ પણ પ્રવાસીને માઉન્ટ આબુમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. 2. રાત્રિના 8:30 થી સવારે 6:00 વાગ્યા સુધી તમામ પ્રકારના વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 3. ભારે…
અમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત રાજ્યકક્ષાના શિક્ષક પારિતોષિક સમારોહમાં શિક્ષકોને સંબોધન કરતાં વિદ્યાર્થીઓમાં બાળપણથી જ સ્વદેશીના સંસ્કારોનું સિંચન કરીને આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનશ્રીના સ્વપ્નને સાકાર કરવા માટે વિદ્યાર્થીઓના ખરા પથદર્શક બનવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે આજનું બાળક આવતીકાલનો નાગરિક છે. ત્યારે તેમનામાં આજથી જ સ્વદેશી અને રાષ્ટ્ર પ્રથમનો ભાવ કેળવાય તે જવાબદારી શિક્ષકોએ નિભાવવાની છે.આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યના ૩૦ શિક્ષકોનું ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’થી સન્માન કરાયું હતું અને પાંચ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પણ પ્રતીકરૂપે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીની વાત દોહરાવતાં કહ્યું કે માતા-પિતા પછી શિક્ષકો…
6સપ્ટેમ્બર: રાષ્ટ્રીય પુસ્તક વાંચો દિવસરાજ્યના મધ્યસ્થ પુસ્તકાલયો ખાતે પ્રતિદિન500થી વધુ વાચકો જ્યારે જિલ્લા પુસ્તકાલયો ખાતે પ્રતિદિન150થી વધુ વાચકો લે છે વાંચનનો લાભAhmedabad, ગુજરાતના નાગરિકો નિયમિત વાંચન માટે પ્રેરાય તેવા ઉદ્દેશથી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના પ્રવર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2010માં ‘વાંચે ગુજરાત’ અભિયાન ચલાવ્યું હતું. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ગુજરાતના તમામ પુસ્તકાલયોને ગ્રંથથી સમૃદ્ધ બનાવવાનું આયોજન કર્યું હતું. પુસ્તક વાંચનના મહત્વને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર રાજ્યભરમાં સરકારી પુસ્તકાલયોની સંખ્યા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.ગત વર્ષે રાજ્યના21જિલ્લાઓના50તાલુકાઓમાં તેમજ7આદિજાતિ જિલ્લા14તાલુકાઓમાં મળીને તાલુકા સ્તરે કુલ64સરકારી પુસ્તકાલયો શરૂ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો. આ64માંથી53સરકારી પુસ્તકાલયો…
