Gambira bridge collapse: ગુજરાત સરકારે સોમવારે (8 સપ્ટેમ્બર) વિધાનસભાનું સત્ર શરૂ થયું હતું. વિધાનસભાના પહેલાં જ દિવસે વિપક્ષના નેતાઓએ સરકારની કામગીરી વિશે અનેક મહત્ત્વના પ્રશ્નો કર્યા હતા. આ સવાલોમાં અનેક ધારાસભ્યોએ ગંભીરા બ્રિજને લઈને સવાલ કર્યા હતા. આવા જ એક સવાલના જવાબમાં સરકારે જવાબ આપ્યો હતો કે, 9 જુલાઈએ સર્જાયેલી ગંભીરા બ્રિજની દુર્ઘટનામાં 22 લોકોના મોત નિપજ્યા હતા. આ બ્રિજનું નિરીક્ષણ બે મહિના પહેલાં 15 મે, 2025ના દિવસે જ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાએ કર્યો સવાલ કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડા અને ઈમરાન ખેડાવાલ દ્વારા આ મુદ્દે લેખિત સવાલ કરવામાં આવ્યા હતા. જેના જવાબમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે,…
Author: gujarat
‘અભય યાત્રી‘ પ્રોજેક્ટનો પ્રારંભ: ઓટો રિક્ષા મુસાફરોની સલામતી માટે વિરમગામ પોલીસની નવીન પહેલજિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઓમપ્રકાશ જાટ અને વિરમગામના ધારાસભ્યશ્રી હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં ‘અભય યાત્રી‘ પ્રોજેક્ટને ખુલ્લો મુકાયોવિરમગામ, અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રીની કચેરીના માર્ગદર્શન હેઠળ, વિરમગામ ટાઉન પોલીસે મુસાફરોની સલામતી અને સુરક્ષાને પ્રાધાન્ય આપવા માટે ‘અભય યાત્રી’ પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો છે. આ પ્રોજેક્ટને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઓમપ્રકાશ જાટ અને વિરમગામના ધારાસભ્યશ્રી હાર્દિક પટેલ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ઓટો રિક્ષા મુસાફરો અને ડ્રાઈવરો વચ્ચે વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવાનો છે. આ પહેલ અંતર્ગત, દરેક રજિસ્ટર્ડ ઓટો રિક્ષા અને તેના ડ્રાઈવરની તમામ વિગતો સરળતાથી ઉપલબ્ધ કરાવીને ગુનાઓને…
Gujarat bridge inspection: મહીસાગર નદી પર ગંભીરા બ્રિજ તૂટી પડ્યા પછી રાજ્ય સરકારને પુલોની સ્થિતિની ચકાસણી કરવાનું સુઝ્યું હતું. માર્ગ મકાન વિભાગે તપાસ કરતાં જાણ થઈ કે, ગુજરાતમાં 166 બ્રિજ પડુ-પડુ અવસ્થામાં છે. તેમાંય નાના કરતાં મોટા પુલો વધુ ભયજનક અને જર્જરિત છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ કરાઇ પુલની તપાસ ગંભીરા બ્રિજ તૂટતાં 22 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બાદ રાજ્ય સરકારને તમામ પુલોની ચકાસણી કરવા આદેશ કર્યાં હતાં, જેમાં એવું જાણવા મળ્યું કે, અમદાવાદ, નડિયાદ, કચ્છ, મહેસાણા, બનાસકાંઠા, ભરુચ, રાજકોટ, ભાવનગર સહિત અન્ય જિલ્લામાં 1054 મેજર બ્રિજ, 5475 માઇનોર બ્રિજની તપાસ કરવામાં આવી હતી તે પૈકી 74…
અમદાવાદ, ભારતને ટ્યુબરક્યુલોસિસ (ટીબી) મુક્ત કરવાના દાવા અને વાસ્તવિક્તા વચ્ચે મોટો તફાવત હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. ગુજરાતની જ વાત કરવામાં આવે તો આ વર્ષે ટીબીના ૮૭૩૯૭ કેસ નોંધાઈ ચૂક્યા છે.આમ, પ્રતિ દિવસે ટીબીના સરેરાશ ૩૫૮ નવા કેસ નોંધાય છે. આ વર્ષે ટીબીના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને છે.ટીબીના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ ૪.૭૬ લાખ સાથે મોખરે, મહારાષ્ટ્ર ૧.૪૩ લાખ સાથે બીજા, બિહાર ૧.૩૮ લાખ સાથે ત્રીજા સ્થાને છે.ગુજરાતમાં વર્ષ ૨૦૨૪માં ટીબીના ૧.૩૭ લાખ જ્યારે આ વર્ષે ૯ મહિનામાં ૮૭૩૯૭ કેસ નોંધાયા છે. આમ, બે વર્ષમાં બે લાખથી…
આણંદ, બોરસદ તાલુકાના કણભા ગામે એકતરફી પ્રેમમાં પાગલ સગીરે સગીરાને મંદિરે મળવા બોલાવ્યા બાદ લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. સગીરાએ ફગાવી દેતા ઉશ્કેરાયેલા સગીરે ચપ્પાના ઘા ગળા અને ગાલ પર મારી દીધા હતા.જેને પગલે સગીરાને ગંભીર ઈજા પહોંચી હતી. બાદમા સગીરે પણ પોતાના હાથ પર ચપ્પુના ઘા માર્યા હતા. જેના પગલે તેને પણ હોસ્પિટલમાં ખસેડાયો છે.વિરસદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. બોરસદ તાલુકાના કણભા ગામે ૧૭ વર્ષની એક સગીરાની સાથે અભ્યાસ કરતો અને ગામનો ભાણેજ સગીર તેને મળ્યો હતો. આ સગીરાને પસંદ કરતો હોવાનું જણાવીલગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ સગીરાએ ઈન્કાર કર્યાે હતો. ઝેર પી મરી જવા…
પાલનપુર, આરાસુરી મા અંબાના ભાદરવી પૂનમના મહામેળામાં ચોથા દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. જેમાં ચોથા દિવસે ૭.૪૩ લાખ શ્રદ્ધાળુઓએ માનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જ્યારે અંબાજી તરફના માર્ગાે ઉપર મોટી સંખ્યામાં પદયાત્રિકો હરખભેર અને જય અંબે.. બોલ મારી અંબે… ના નારા સાથે અંબાજી તરફ પ્રયાણ કરતા નજરે ચડ્યા હતા.આસાસુરી મા અંબાના ભાદરવી પૂનમના મહામેળાના ચોથા દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું હોય તેમ જોવા મળી રહ્યું. માના ભક્તોની સેવામાં લાગેલા સેવા કેમ્પો દ્વારા માઈભક્તોને કોઇપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે પદયાત્રિકોની રાત દિવસ સેવામાં લાગી રહ્યા છે.અંબાજીને જોડતા દરેક માર્ગે મોટી સંખ્યામાં પદયાત્રિકો જોવા મળી રહ્યા છે.પદયાત્રિકો જુસ્સો…
પાલનપુર, બનાસકાંઠાના ડીસા તાલુકાના મહાદેવિયા ગામેથી એલસીબીએ મોડી રાત્રે એક મોટી કાર્યવાહી હાથ ધરીને ડુપ્લિકેટ ભારતીય ચલણી નોટો છાપતી ફેક્ટરીનો પર્દાફાશ કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. એલસીબીએ રૂ.૩૯ લાખની કિંમતની ૫૦૦ રૂપિયાની નકલી નોટો જપ્ત કરી કુલ ત્રણ જણા વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.મહાદેવિયા ગામે ડુપ્લિકેટ નોટો બનાવવામાં આવતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે ગુરુવારની મોડી રાત્રે એલસીબીની ટીમે ગામમાં દરોડો પાડ્યો હતો તેમજ દરોડા દરમિયાન ઘરમાંથી પોલીસે રૂ.૫૦૦ની ડુપ્લિકેટ નોટ છાપતા બે જણાને રંગેહાથ ઝડપી લીધા હતા. તેમજ ફરાર માલિકને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી.બનાસકાંઠા એલસીબી પોલીસને બાતમી મળતાં પોલીસે રાત્રિના સમયે…
મહેસાણા, મહેસાણા તાલુકાના આખજ ગામે દીકરીને લેવા ગયેલા સસરા સાથે જમાઈએ તકરાર કરી હતી અને વેવાણે અપશબ્દો બોલ્યા હતા. ઉશ્કેરાઈ ગયેલા જમાઈએ સસરા પર પેટ્રોલ છાંટ્યા બાદ તેના ભાગીદારે દિવાસળી ચાંપી સળગાવતાં ત્રણેય સામે લાંઘણજ પોલીસ મથકે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે.બનાસકાંઠાના વડગામ તાલુકાના કોદરામ ખાતે રહેતા દિનેશભાઈ મફતલાલ વાઘેલા (ઉં. ૫૫) ડ્રાઈવિંગનો વ્યવસાય કરે છે અને તેમની મોટી પુત્રી સંગીતાબેનને ચારેક વર્ષ અગાઉ મહેસાણા તાલુકાના આખજ ગામે રહેતા દંતાણી સંજયકુમાર પોપટલાલ સાથે પરણાવેલી છે.ગત મંગળવારે બપોરે ત્રણેક વાગ્યે દિનેશભાઈ તથા તેમનો ભાણો ઉમંગભાઈ તેમની કાર લઈને આખજ રહેતી તેમની પુત્રી સંગીતાને લેવા ગયા હતા. સંગીતાબેનના ખબરઅંતર પૂછીને દિનેશભાઈએ તેને…
(એજન્સી)અમદાવાદ, આવતીકાલે ૬ સપ્ટેમ્બરના રોજ અમદાવાદ શહેરમાં ગણેશ વિસર્જન છે. આ દરમ્યાન વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન અંગેનું અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગણેશ વિસર્જન હોઈ અમદાવાદમાં કેટલાક રસ્તા બંધ કરવામાં આવ્યા છે, કેટલાક ડાયવર્ટ કરાયા છે, તો એએમટીએસ બસ માટે રુટ ડાયવર્ટ કરાયા છેઅમદાવાદ શહેરમાં આગામી તારીખ ૬ સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન નિમિત્તે તમામ પ્રકારના વાહનો (શ્રી ગણેશ વિસર્જન પ્રોસેશન સિવાયના) બપોર કલાક ૧૩.૦૦ વાગ્યાથી નીચે મુજબ પ્રતિબંધિત કરેલ માર્ગ/વિસ્તારના રસ્તા પર અવર-જવર કરી શકશે નહીં પરંતુ તેની સામે જણાવેલ વૈકલ્પિક રુટ પરથી અવર-જવર કરી શકાશે. જાહેરનામામાં જણાવ્યું કે,હું જી.એસ.મલિક, આઈપીએસ, પોલીસ કમિશનર, અમદાવાદ શહેર,…
(એજન્સી)અમદાવાદ, ગુજરાતના સૌથી મોટા ૨૨૦૦ કરોડથી વધુનો ક્રિકેટ સટ્ટાકાંડમાં સ્ટેટ મોનિટરિંગ સેલને મોટી સફળતા મળી છે. એસએમસીની ટીમે આ સટ્ટાકાંડના મુખ્ય સૂત્રધાર હર્ષિત જૈનને દુબઈથી પકડી પાડ્યો છે. એસએમસી દ્વારા હર્ષિત જૈન સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી, ત્યાર બાદ દુબઈ પોલીસ હર્ષિતને લોકેટ કરી લીધો અને સ્ટેટ મોનિટરિંગ સેલ સાથે સંકલન સાધી તેને ડિપોર્ટ કરવામાં આવ્યો હતો.નોંધનીય છે કે, આરોપી છેલ્લાં એક વર્ષથી ફરાર હતો. જોકે, હવે દુબઈથી તેની ધરપકડ કરવામાં આવી છે. હર્ષિતની ઓફિસમાંથી ૨૩૦૦ કરોડનો સટ્ટો પણ ઝડપાયો છે. હવે આ કેસમાં ૩૫થી વધુ આરોપીઓ ઝડપાઇ ચુક્યા છે. હર્ષિતના પકડાયા બાદ હવે સકંજો સૌરભ અને અમિત મજેઠિયા…
