(પ્રતિનિધિ) અંબાજી, લાલ દંડા સંઘે માં અંબાના ધામ અંબાજી પોહચી માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી અનેક સંઘો આવે છે, પરંતુ આ સંઘોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર અને ઐતિહાસિક મહત્વ ધરાવતો સંઘ છે લાલ ડંડા સંઘ.અમદાવાદથી નીકળતો આ સંઘ દસ દિવસની કઠિન પદયાત્રા બાદ અંબાજી પહોંચે છે. છેલ્લા ૧૯૧ વર્ષથી લાલ ડંડા સંઘની પદયાત્રા આજે પણ અવિરત ચાલુ છે.ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી આવતા સંઘોમાં લાલ દંડા સંઘ સૌથી જુના સંઘોમાં એક છે. ભાદરવા સુદ બીજના દિવસે અમદાવાદથી રવાના થઈ દસ દિવસની કઠિન પદયાત્રા બાદ બારસના દિવસે લાલ દંડા સંઘ માં અંબાના સાનિધ્યમાં અંબાજી પહોંચે છે.આ…
Author: gujarat
મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રની નમૂનારૂપ વ્યવસ્થાગાંધીનગર, ગાંધીનગર મહાનગર પાલીકા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તિ ભાવપૂર્વક બાપાના ચરણે ધરાવેલ પ્રસાદ, ફૂલો અને પૂજાની અન્ય સામગ્રીનો યોગ્ય નિકાલ કરી એક વિશિષ્ટ વર્મી કમ્પોસ્ટ તૈયાર કરવામાં આવશે બાપાના આશીર્વાદ ફરી પાછા આપણા સુધી પહોંચી શકશે બાપાની ફૂલ માળા અને પ્રસાદ વગેરે જેવી વસ્તુઓ બીજા દિવસે નકામી બની જાય છે, તેના ઉપયોગથી વર્મી કમ્પોસ્ટ બનાવાશે.ગાંધીનગર જિલ્લામાં ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ જ સ્થાપિત થાય તથા પર્યાવરણને નુકસાન પહોંચાડતી પીઓપીની મૂર્તિઓ સાથે દસ દિવસની પૂજા સામગ્રી જળાશયમાં પધરાવતા તે ન ઓગળવાને લીધે રઝળતી થવાથી કતોની આસ્થાને ઠેસ પહોંચવા સાથે પ્રકૃતિને…
(પ્રતિનિધિ) અંબાજી, શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળા ૨૦૨૫માં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ માઁ અંબેના દર્શેને ઉમટ્યું છે. પદયાત્રીઓને તંત્ર તરફથી વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે જેનો લાભ માઇભક્તો લઈ રહ્યા છે.બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે ત્રિશુળીયા ઘાટ ખાતે પધાર્યા હતા. અંબાજી તરફ પદયાત્રા કરતા યાત્રિકોને તેમણે મળીને તેમની શ્રદ્ધા અને ભક્તિને બિરદાવીને યાત્રિકોના પ્રતિભાવો વિશે માહિતી મેળવી હતી.કલેકટરશ્રીએ યાત્રિકોના ઉમળકાભેર ઉત્સાહને વધાવી તેમને યાત્રા દરમ્યાન જરૂરી સુવિધાઓ અને સુરક્ષાની વ્યવસ્થા અંગે તંત્ર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો અંગે યાત્રિકો પાસેથી રિવ્યૂ જાણ્યા હતા. તેમણે યાત્રિકોને સુરક્ષિત અને સુખદ યાત્રા માટે શુભકામનાઓ પાઠવતા સૌને આ…
કોમી એખલાસ અને સદ્દભાવનાનો સંદેશ(પ્રતિનિધિ)ભરૂચ, પયગંબર હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ના જન્મદિવસ જશ્ને ઇદે મિલાદુન્નબીની આજે ભરૂચ શહેરમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર અવસરે મુસ્લિમ સમાજ દ્વારા શહેરના બાયપાસથી મહમદપુરા સુધી એક ભવ્ય ઝુલૂસ કાઢવામાં આવ્યું હતું.આ ઝુલૂસમાં ભરૂચ અને આસપાસના વિસ્તારો માંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા, જેમનો ઉત્સાહ વરસાદી માહોલ પણ ઓછો કરી શક્યો ન હોતો.વહેલી સવારથી જ શરૂ થયેલા વરસાદ છતાં શ્રદ્ધાળુઓએ ઝુલૂસમાં જોડાવાનો ઉત્સાહ જાળવી રાખ્યો હતો.લોકો છત્રી અને રેઇનકોટ પહેરીને પણ પૂરી આસ્થા સાથે આગળ વધી રહ્યા હતા.સૌના ચહેરા પર ધાર્મિક શ્રદ્ધા અને આનંદ સ્પષ્ટપણે દેખાઈ આવતો હતો.ઝુલૂસ દરમિયાન, સૌએ…
Vadodara Navnirman Sangh: ગુજરાત છેલ્લા 30 વર્ષથી ભાજપનો અદમ્ય ગઢ રહ્યું છે. આનું કારણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નો પ્રભાવ છે, જે ભાજપનું હિન્દુત્વવાદી રાજકારણ છે, પરંતુ જો બંને પરિબળોમાં કોઈ મોટું કારણ હોય તો તે મુખ્યમંત્રી બનેલા પીએમ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા, તેમના પ્રત્યે લોકોનો અપાર પ્રેમ છે. હા, આ જ કારણ છે કે ગયા વર્ષે લોકસભા ચૂંટણીમાં વડોદરામાં જ્યારે તત્કાલીન ભાજપ સાંસદ રંજનબેન ભટ્ટ સામે રોષ સામે આવ્યો ત્યારે ભાજપે ટિકિટની જાહેરાત કર્યા પછી પણ ઉમેદવાર બદલી નાખ્યો હતો. આ પછી, એવું માનવામાં આવતું હતું કે ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની (વડોદરા) માં ‘બધું સારું’ થશે. લોકસભા ચૂંટણીમાં, વડોદરાના લોકોએ અજાણ્યા ઉમેદવાર…
ભરૂચ રેલ્વે સ્ટેશન પરથી ૨૦૦ કિમીની ઝડપે ટ્રેન દોડાવવા સ્ટેશન અને યાર્ડ મોડલિંગ કરાશે(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના સાંસદ દ્વારા પશ્ચિમ રેલવેના સિનિયર અધિકારીઓ સાથે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. ભરૂચ સહિતના ભરૂચ જિલ્લામાં આવતા અંકલેશ્વર,પાલેજ, કરજણ વિગેરે રેલ્વે સ્ટેશનોના ચાલુ વિકાસ કામો,વંદેભારત, સૂર્ય નગરી વિગેરે ટ્રેનોને ભરૂચ ખાતે સ્ટોપેજ આપવા, નવા વિકાસ કામો વિગેરે મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવા યોજાયેલ બેઠકમાં વડોદરા રેલ્વે ડિવિઝનના ડીઆરએમ રાજુ ભઽકે, સિનિયર ડીસીએમ નરેન્દ્ર કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.હાલમાં ભરૂચ રેલ્વે સ્ટેશન પર ચાલતા એસ્કલેટર,પેસેન્જર લિફ્ટના કામોની પ્રગતિ વિષે ચર્ચા કરી તેમને ઝડપી પુર્ણ કરવા માટે સાંસદ મનસુખ વસાવા દ્વારા…
IPCL employees reinstatement case: ગુજરાત હાઈકોર્ટે ઈન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિ.(IPCL)માં સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS)નો વિકલ્પ વિકલ્પ પસંદ કરનારા 448 કર્મચારીઓને નોકરીમાં પુનઃસ્થાપિત કરવાનો ઈન્કાર કરી દીધો હતો. જસ્ટિસ એ.એસ.સુપહિયા અને જસ્ટિસ આર.ટી.વાચ્છાણીની ખંડપીઠે ઠરાવ્યું હતું કે, આ કર્મચારીઓએ પોતાની રીતે સ્વૈચ્છિક નિવૃર્તિને વિકલ્પ નિવૃત્તિનો વિકલ્પ પસંદ કર્યો હતો. આ દરમિયાન સ્વૈચ્છિક નિવૃત્તિ યોજનામાંથી તેઓને પાછા ખેંચ્યા ન હતા અને તેથી તે નોકરીમા પુનઃસ્થાપિત થવા અધિકારી નિવૃત્તિ યોજનામાથી તેઓન નથી. હાઈકોર્ટે અરજદાર કર્મચારીઓ દ્વારા કરાયેલી ઢગલાબંધ અપીલો ફગાવતાં આ હુકમ જાહેર કર્યો હતો. ગુજરાત હાઇકોર્ટે શું કહ્યુ…. હાઇકોર્ટે વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે, અરજદાર કર્મચારીઓએ તા. 20-3-2007 પછી સંબંધિત યોજનામાંથી પાછા ખેંચવા…
(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા શહેરમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના એક પછી એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ કરોડો રૂપિયાના ખર્ચે ભુરાવાવ વિસ્તારમાં નવનિર્માણ પામેલ રેલ્વે ઓવર બ્રિજનો રસ્તો ભારે વરસાદની અસરથી ધોવાઈ જવા પામ્યો છે.આ બ્રિજ ગોધરાના ભુરાવાવ વિસ્તારથી સીધા બસ સ્ટેશનને જોડે છે, જે ટ્રાફિકની દ્રષ્ટિએ અત્યંત મહત્વનો માર્ગ ગણાય છે.માત્ર છ માસ પહેલાં જ આ નવા બ્રિજનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે શહેરીજનોને અર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ થોડા જ મહિનામાં તેની હાલત બગડી જતાં તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે. નાગરિકોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે, કારણ કે કરોડો રૂપિયાની સરકારી રકમ ખર્ચીને બનેલા આ ઓવર બ્રિજનો રસ્તો…
Chandra Grahan temple timing: રવિવાર તા.7 સપ્ટેમ્બરે રાત્રે 8:58થી મધ્યરાત્રિના 2:25 વાગ્યા સુધી (દરેક શહેરનો સ્થાનિક સમયમાં નજીવો તફાવત) પૂર્ણ ચંદ્રગ્રહણ યોજાશે. આ ચંદ્રગ્રહણમાં ચંદ્ર રક્તવર્ણ (બ્લડ મૂન) થશે અને આ ગ્રહણ સમગ્ર ભારતમાં દેખાનાર હોવાથી અનેક ધર્મસ્થાનોએ, ઘરે ઘરે સૂતક પળાતું હોય છે ત્યારે સૌરાષ્ટ્રના મંદિરોમાં પણ ટાઈમીંગ વગેરે ફેરફાર કરાયા છે. પરંતુ, પ્રસિધ્ધ ચોટીલા ચામુંડા માતાજીના ધામમાં રોજના ક્રમ મૂજબ જ મંદિરમાં આરતી, દર્શન વગેરે યથાવત્ રહેશે જ્યારે સોમનાથ મંદિરમાં સવારે 11:19ના વેધ પ્રારંભથી રાત્રિના 2:05 વાગ્યે ગ્રહણ મોક્ષ સુધી પૂજન, અભિષેક, સાયં આરતી વગેરે બંધ રહેશે. ચોટીલા ચામુંડાધામ રાબેતા મુજબ ખુલ્લું ચોટીલા ડુંગર પર ચામુંડા માતાજીના ધામમાં…
પ્રતિનિધિ.મોડાસા, અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે શ્રી આંબેડકર ભવનમાં શિક્ષક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રિયંકા બેન ડામોરના અધ્યક્ષસ્થાને અને જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારિકની ઉપસ્થિતિમાં શિક્ષક સન્માન કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા.જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારિકે સંબોધન કરતાં જણાવ્યું કે, “શિક્ષકો રાષ્ટ્ર નિર્માણનો પાયો છે અને તેમનું યોગદાન અમૂલ્ય છે. શિક્ષકોની મહેનત અને સમર્પણથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડાય છે.” તેમણે શિક્ષકોને તેમની શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા સમાજને પ્રેરણા આપવા માટે પ્રોત્સાહિત કર્યા.શિક્ષક દિવસ ૨૦૨૫ નિમિત્તે અરવલ્લી જિલ્લામાં યોજાયેલા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહમાં જિલ્લા અને…
