Author: gujarat

પૂનમના દિવસે આખો દિવસ વરસાદ ચાલુ હોવા છતાં પણ એક લાખથી વધુ સંખ્યામાં માઇ ભક્તોએ આવી દર્શન કર્યા હતા.ભાદરવી પૂનમે ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, સુપ્રસિદ્ધ ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે ભાદરવી પૂનમે લાખો માઈ ભક્તોએ કમળ પર બિરાજમાન મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.ખેડબ્રહ્મા અંબિકા મંદિરે ભાદરવી પૂનમ ના મહા મેળા માટે ઘણા દિવસો પહેલાથી સંપૂર્ણ તૈયારીઓ કરી દેવાઈ હતી. મંદિર અને પરિસરમાં સ્વચ્છતા કરાઈ હતી તથા રંગબેરંગી પુષ્પોથી મંદિરને શણગારવામાં આવ્યું હતું. ખૂબ જ મોટી સંખ્યામાં આવનાર માઈભક્તોને દર્શન માટે પ્રસાદ માટે જમવા માટે કે મેળામાં ફરવા માટે કે અન્ય કોઈપણ જાતની તકલીફ ન પડે…

Read More

ગત તાલુકા જિલ્લા પંચાયતની ચુંટણી અગાઉ BTP સાથે છેડો ફાડીને સેંકડો કાર્યકરો સાથે પ્રકાશ દેસાઇએ ભાજપાનો ખેસ ધારણ કર્યો હતો.(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ નર્મદા જિલ્લામાં વિસ્તરેલી ભરૂચ દુધધારા ડેરીના શાસનમાં વર્ષોથી પ્રમુખપદનો તાજ ઘનશ્યામ પટેલના શિર પર રહ્યો છે. હાલમાં દુધધારા ડેરીની ચુંટણી યોજાઈ રહી છે.ત્યારે ભરૂચ નર્મદા જિલ્લાના સહકારી માળખામાં અગ્રક્રમે રહેનાર ભરૂચ દુધધારા ડેરીની ચુંટણીમાં ભાજપાના જ બે મહારથીઓ આમને સામને થતાં જિલ્લામાં સહકારી ક્ષેત્રે ગરમાવો જોવા મળ્યો હતો.ડેરીની ઝઘડિયા તાલુકાની ઉમલ્લા બેઠક પર અરૂણસિંહ રણાની પેનલના ઉમેદવાર પ્રકાશ દેસાઈ સામેના ઉમેદવાર દિપક પાદરીયાએ આજે ઉમેદવારી પત્ર પાછું ખેંચતા ઉમલ્લા બેઠક બિનહરીફ થઈ હતી. કુલ ૧૫ બેઠકોમાં ભાજપા દ્વારા…

Read More

બનાસકાંઠા જિલ્લા વન્યજીવ વિભાગ દ્વારા અંબાજી ખાતે ધજા ચડાવવામાં આવીઅંબાજી, અંબાજી ખાતે તા. ૧ થી ૭ સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મા અંબાની કૃપાથી મેળો સુખરૂપ સંપન્ન થતાં આજે વિવિધ વિભાગોએ માઁ અંબાને ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યા હતા. મેળા દરમિયાન બનાસકાંઠા વન્યજીવ વિભાગ તમામ સ્ટાફ દ્વારા માઁ અંબાને ધજા ચડાવવામાં આવી હતી.બાલારામ-અંબાજી વન્યજીવ અભયારણ્ય ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલ અભયારણ્ય છે. અહીં રીંછ, નીલ ગાય અને ઝરખ જેવા પ્રાણીઓ જોવા મળે છે. આ અભયારણ્ય અંબાજીથી દાંતા થઇને પાલનપુર જવા ના રસ્તા પર, અંબાજીથી બાલારામ જવાના રસ્તા આસપાસ, તથા અંબાજીની આસપાસ આવેલ છે.બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય અંબાજી ખાતે…

Read More

બનાસકાંઠામાં ભારે વરસાદઃ કલેકટર મિહિર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરની બેઠક યોજાઈ૫૦૦થી વધુ લોકોનું સ્થળાંતર, રસ્તા ધોવાણથી ૧૩ જેટલા ગામડા સંપર્ક વિહોણાઃ(પ્રતિનિધિ) અંબાજી, છેલ્લા ૨૮ કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. પવન સાથે ભારે વરસાદમાં ચારે તરફ વરસાદી પાણી જોવા મળી રહ્યું છે. સરહદી સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે.બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલની અધ્યક્ષતામાં આજરોજ પ્રાંત કચેરી, થરાદ ખાતે ડિઝાસ્ટરની ઉચ્ચ લેવલની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટરશ્રીએ સબંધિત અધિકારીઓને ભારે વરસાદ દરમિયાન જરૂરી તમામ પગલા લેવા સૂચનાઓ આપી હતી.કલેકટર મિહિર પટેલે જણાવ્યું કે, છેલ્લા ૨૮ કલાક દરમિયાન વાવ અને થરાદ તાલુકામાં ૧૩…

Read More

Nepal violence Indian students: નેપાળમાં પ્રદર્શનકારીઓએ પૂર્વ વડાપ્રધાન નિવાસસ્થાન સહિત સંસદને નિશાન બનાવી હિંસક હુમલા કર્યા છે. નેપાળ ભડકે બળ્યુ છે ત્યારે ગુજરાતી વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ અટકાઈ પડ્યાં છે. આ બધાયને સુરક્ષિત પરત લાવવા ગુજરાત સરકાર વિદેશ મંત્રાલયના સંપર્કમાં છે. નેપાળમાં ગુજરાતી વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ ફસાયા નેપાળની રાજધાની કાઠમંડુમાં હિંસા અને અરાજકતોનો માહોલ છે. વડાપ્રધાન અને રાષ્ટ્રપતિએ રાજીનામુ ધરી દીધુ છે. આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાનના નિવાસસ્થાનમાં તોડફોડ કરી આગ લગાવી દેવાઇ છે, જેમાં વડાપ્રધાનના પત્નિનું મોત થયું છે. આ હિંસક સ્થિતીમાં નેપાળમાં અભ્યાસ કરતાં ગુજરાતી વિદ્યાર્થીઓ અટવાયા છે. સાથે સાથે નેપાળ પ્રવાસે ગયેલાં ગુજરાતી પ્રવાસીઓ ફસાયા હોવાનું જાણવા મળ્યુ છે.…

Read More

(પ્રતિનિધિ) ભરૂચ, વાગરા તાલુકામાં એક હૃદયદ્રાવક ઘટનામાં એક નવ મહિનાના બાળકના ગળામાં રમતા રમતા નાની મચ્છી ફસાઈ જતાં તેના જીવન પર જોખમ તોળાઈ રહ્યું હતું.આ ગંભીર પરિસ્થિતિમાં ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમના ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન સોનલ માલીવાડની સમયસૂચકતા અને કુશળ કામગીરીને કારણે બાળકનો જીવ બચી ગયો હતો અને તેને નવજીવન મળ્યું હતું.ઘટનાની વિગતો મુજબ વાગરામાં એક નવ મહિનાનું બાળક રમતા રમતા અચાનક ગંભીર સ્થિતિમાં મુકાયું હતું.તેના ગળામાં મચ્છી ફસાઈ જતાં તેને લોહીની ઉલટી થવા લાગી હતી અને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી રહી હતી. પરિવારે તાત્કાલિક બાળકને વાગરાની ઝ્રૐઝ્ર ખાતે દાખલ કર્યો હતો.જ્યાંથી તેને વધુ સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ…

Read More

ગોધરા, સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે શનિવારે ગણેશ વિસર્જનના દિવસે બપોરના સુમારે એક માલ વાહક રોપ-વે એટલે કે ગુડ્‌સ રોપ-વની ટ્રોલી તુટી પડવાની ઘટના સર્જાતા૬ લોકોના ઘટનાસ્થળે કરૂણમોત થયા હતા.આ ઘટનાના મામલે સરકારમાંથી થયેલા તપાસના આદેશના પગલે જિલ્લા કલેકટર અજય દહિયા સહિત ટેકનિકલ તપાસ સમિતિએ તપાસનો આરંભ કરી દીધો છે. રવિવારે ઘટનાસ્થળની લીધેલી મુલાકાત દરમિયાન જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, ઘટનામાં જે કોઈ જવાબદાર હશે તેની સામે કાર્યવાહી થશે.બનાવની જાણ થતા જિલ્લા કલેકટર અજય દહીયા જિલ્લા પોલીસ વડા ડો. હરેશ દુધાત તેમજ સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર સહિત સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓલાગતા વળગતા તંત્રના અધિકારીઓ સહિતના લોકો ઘનટા સ્થળે તેમજ હાલોલની રેફરલ…

Read More

2700 શિક્ષકોની ઘટ ધરાવતા દાહોદ જિલ્લામાં બનાવાશે 100 લાઈબ્રેરીદાહોદ, ગુજરાતમાં ૨૭૦૦ જેટલા શિક્ષકોની ઘટ ધરાવતાં દાહોદ જિલ્લામાં શિક્ષણને વધુ મજબૂત બનાવવા માટે જિલ્લા પંચાયત દ્વારા મહત્ત્વની કાર્યવાહી હાથ ધરાઈ છે. જેમાં જિલ્લા પંચાયત કચેરી દાહોદથી તમામ તાલુકા વિકાસ અધિકારીઓને એક પત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં દરેક ગામડે આધુનિક લાયબ્રેરી બનાવવા માટે જમીન માહિતી માંગવામાં આવી છે.આદિવાસી વસ્તી ધરાવતાં દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતમાં લાયબ્રેરી સ્થાપિત કરવા માટે ૨૦૦ ચોરસ ફૂટ સરકારી પડતર અથવા ગામતળની જમીનની માહિતી મોકલવા કહ્યું છે. જેના પ્રાથમિક આયોજનમાં ૧૦૦ જેટલા ગામડાઓમાં લાયબ્રેરી બનાવવામાં આવશે.આ માહિતીમાં વિગતવાર જોઈએ તો જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં, સરકારી પડતર અથવા ગામતળની ૨૦૦૦…

Read More

દવાખાનામાંથી દવાઓનો જથ્થો અને મેડિકલ સાધનો મળ્યાવડોદરા, ઓપરેશન પરાક્રમ અંતર્ગત વડોદરા ગ્રામ્ય એસોજીએ કરજણ તાલુકાના સનીયાદ ગામે ડિગ્રી વગર ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસ કરનાર નકલી ડોકટરને ઝડપી પાડ્યો હતો. નકલી દવાખાનું ચલાવતા આ ફર્જી ડોકટરના કલીનિકમાંથી એલોપેથી દવાઓ, બીપી માપવાનું મશીન તેમજ મેડિકલ પ્રેક્ટિસને લગતો સામાન કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.વડોદરા ગ્રામ્ય એસપી સુશીલ અગ્રવાલે ઓપરેશન પરાક્રમ હઠળ ગેરકાયદે પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ ઈસમો વિરૂધ્ધ કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જે આધારે એસોજી પો.ઈન્સ. જે.એમ.ચાવડાએ સૂચના અને માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતુંતે દરમિયાન કરજણ ખાતે એસોજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમીદાર પાસેથી માહિતી મળી…

Read More

અમદાવાદ, અમદાવાદ શહેરમાં ચોમાસાની ઋતુ દરમિયાન રસ્તાઓ તૂટવાની સમસ્યા નવી નથી પરંતુ એ રસ્તાઓને દુરસ્ત કરવા માટેની જવાબદારી વહીવટી તંત્રની છે કેટલેક અંશે આ જવાબદારી ઝડપથી નિભાવવામાં આવી રહી છેપરંતુ મહદ અંશે એવા વિસ્તારો છે કે જ્યાં હજુ પણ રસ્તાઓ ઉબડખાબડ છે તેના ઉપર વિશેષ ધ્યાન આપવું આવશ્યક છે ઉદાહરણ તરીકે હાથીજણ સર્કલ નો નેશનલ હાઈવે ખૂબ જ સુંદર અને મેન્ટેનન્સ સાથે સરળતાથી ચાલી રહ્યો છે હવે ત્યાં ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ થઈ છે વળી ચોમાસાના સમયગાળા દરમિયાન સર્કલ ઉપર ખોદકામ કર્યું હતું જેને માટી થી વાળીને પુરાણ કરીને પુનઃ રસ્તો બનાવી દેવામાં આવ્યો છેપરંતુ સાઈડમાં હજુ પણ રસ્તો ખાડા…

Read More