૭,૬૧૫ સ્ક્વેર મીટર વિસ્તારમાં પુરાણ અને સમારકામ કરી રોડ પરથી ૪૭૭ ખાડા દૂર કરાયા – ૯૪% કાર્ય પૂર્ણ અઢી કિલોમીટર લંબાઈ જેટલા રોડને રિસર્ફેસ કરાયા, બાકીનું કામ આગામી ચાર દિવસમાં પૂરું થઈ જશે (જી.એન.એસ) તા. 14 સુરત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રોડ – રસ્તાઓના ઝડપી સમારકામ માટે સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા બાદ રાજ્યભરમાં રોડ-રસ્તા સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં ગ્રામીણ અને શહેરી રોડ તેમજ સ્ટેટ હાઇવે તથા નેશનલ હાઇવેનું સમારકામ પણ ઝડપભેર થઈ રહ્યું છે. રાજ્યના અન્ય શહેરોની જેમ સુરત શહેરમાં પણ વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ-રસ્તાના રિપેરિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સુરતમાં…
Author: gujarat
(જી.એન.એસ) તા. 1 ગાંધીનગર, ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા જિલ્લા કક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા – ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અમદાવાદ દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા : ૨૦૨૫- ૨૬ માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૨૮ જુલાઇ ૨૦૨૫ રાખવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રાચીન ગરબા તથા અર્વાચીન ગરબા સ્પર્ધામાં ૧૪ થી ૩૫ વર્ષના બહેનો ભાગ લઈ શકશે. જ્યારે રાસની સ્પર્ધામાં ભાગ લેનાર બહેનો તથા ભાઈઓની વય મર્યાદા ૧૪ થી ૪૦ વર્ષ સુધીની રહેશે. પ્રાચીન, અર્વાચીન ગરબા તેમજ રાસની…
નશામુક્ત સમાજ પ્રાપ્ત કરવા માટે રાષ્ટ્રીય રોડમેપ બનાવતા ઐતિહાસિક કાશી ઘોષણાપત્રની જાહેરાત કરવામાં આવશે (જી.એન.એસ) તા. 14 નવી દિલ્હી/લખનૌ, યુવા બાબતો અને રમતગમત તેમજ શ્રમ અને રોજગાર કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં ‘વિકસિત ભારત માટે નશા મુક્ત યુવા’ થીમ પર ‘યુવા આધ્યાત્મિક સંમેલન’ બોલાવવાની જાહેરાત કરી, જે ભારતની યુવા શક્તિને સશક્ત બનાવવા અને ડ્રગ મુક્ત સમાજને પ્રોત્સાહન આપવાના હેતુથી એક પરિવર્તનશીલ પહેલ છે. પત્રકાર પરિષદમાં બોલતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, “યુવાનો અમૃતકાળ – એક વિકસિત ભારતનો માર્ગ”ના મશાલવાહક છે, તેમણે ભાર મૂક્યો હતો કે ભારતની 65 ટકાથી વધુ વસ્તી 35 વર્ષથી ઓછી ઉંમરની છે, જેની સરેરાશ ઉંમર માત્ર 28 વર્ષની છે, જે આપણા યુવાનોને રાષ્ટ્રીય વિકાસનું પ્રેરક બળ બનાવે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના 2047 સુધીમાં વિકસિત ભારત માટેના…
મેષ આજે સાંજે પરી અથવા મિત્રો સાથે થોડીક હળવાશ માણો. આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે, કેમ કે તમારા માતા-પિતા તમને સહકાર આપશે. બાળકો વધુ ધ્યાનની માગ કરશે-પણ તેઓ સહાયક અને દેખભાળભર્યું વર્તન કરશે. એકતરફી આકર્ષણ તમારી માટે માથાનો દુખાવો જ લાવશે. તમારો પ્રેમ સંબંધ જાદુઈ થઈ રહ્યો છે, બસ તેની અનુભૂતિને માણો. પાર્ક માં ચાલતી વખતે, આજે તમે એવી વ્યક્તિ ને મળી શકો છો જેની સાથે ભૂતકાળ માં તમારી સાથે મતભેદ હતા. લગ્નજીવન કેટલી આડઅસરો સાથે આવે છે, તમે તેમાંની કેટલીક આજે અનુભવશો. વૃષભ ખુશ થાવ કેમ કે સારો સમય આવી રહ્યો છે અને તમારામાં વધારાની ઊર્જાનો…
(જી.એન.એસ) તા. 14 નવી દિલ્હી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે દેશભરની વિવિધ હાઈકોર્ટમાં ઘણા નવા મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક કરી. આ નવી નિમણૂકો ન્યાયિક નેતૃત્વને સુવ્યવસ્થિત કરવા અને અદાલતોની કાર્યક્ષમ કામગીરી સુનિશ્ચિત કરવાના પ્રયાસના ભાગરૂપે કરવામાં આવી છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપતા ન્યાયાધીશ સંજીવ સચદેવાને ઔપચારિક રીતે મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ વિભુ બાખરુ હવે કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની ભૂમિકા સંભાળશે. પટણા હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ આશુતોષ કુમારને ગૌહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે હાલમાં પટણા હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ વિપુલ મનુભાઈ પંચોલીને પટણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૪.૦૭.૨૦૨૫ ના રોજ.. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૫૦૦ સામે ૮૨૫૩૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૨૦૧૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૨૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૪૭ પોઈન્ટના ઘટાડા સાથે ૮૨૨૫૩ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૨૨૩ સામે ૨૫૨૩૪ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૦૭૬ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૫૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…
(જી.એન.એસ) તા. 14 ઢાકા, એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં, વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ સોમવારે શેખ હસીનાની પુત્રી, દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્ર માટે પ્રાદેશિક નિયામક, સૈમા વાઝેદને બાંગ્લાદેશ સરકાર સામે ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે રજા પર મોકલી દીધી છે. મીડિયા સૂત્રોને આપેલા જવાબમાં, WHO એ જણાવ્યું હતું કે, “WHO ના પ્રાદેશિક નિયામક, SEARO, સૈમા વાઝેદ હાલમાં રજા પર છે.” WHO એ એમ પણ કહ્યું કે ડૉ. કેથરીના બોહેમ આ સમયગાળા દરમિયાન ઓફિસર-ઇન-ચાર્જ તરીકે સેવા આપશે. જ્યારે સાયમા વાઝેદને રજા પર કેમ મોકલવામાં આવ્યા તે અંગે વધુ પૂછવામાં આવ્યું ત્યારે WHO એ કહ્યું, “અમારી પાસે હાલમાં કોઈ વધુ ટિપ્પણી નથી.” અહેવાલો અનુસાર, બાંગ્લાદેશના ભ્રષ્ટાચાર વિરોધી…
(જી.એન.એસ) તા. 14 વોશિંગ્ટન, અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકા યુક્રેનને પેટ્રિઅટ એર-ડિફેન્સ સિસ્ટમ મોકલશે જેનો ખર્ચ યુરોપિયન યુનિયન દ્વારા ચૂકવવામાં આવશે, અને તેમણે ફરીથી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ટીકા કરી. “આ અમારા માટે વ્યવસાય હશે, અને અમે તેમને પેટ્રિયોટ્સ મોકલીશું, જેની તેમને ખૂબ જરૂર છે, કારણ કે પુતિને ખરેખર ઘણા લોકોને આશ્ચર્યચકિત કર્યા હતા,” ટ્રમ્પે કહ્યું. “તે સારી વાત કરે છે, અને પછી સાંજે બધા પર બોમ્બ ફેંકે છે,” તેમણે ન્યુ જર્સીથી વ્હાઇટ હાઉસ પાછા ફરતી વખતે ઉમેર્યું. “ત્યાં થોડી સમસ્યા છે, અને મને તે ગમતું નથી.” તેમજ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે તેમણે હજુ સુધી નક્કી…
(જી.એન.એસ) તા. 13 બનાસકાંઠા, બનાસકાંઠામાં જિલ્લામાં મોડી રાત્રીથી વરસાદી માહોલ જામ્યો છે. દાંતીવાડા પંથકમાં ધોધમાર વરસાદને પગલે ખેતરો જળબમ્બાકાર થયા છે. ભારે વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાતા ખેતરો તળાવ બન્યા છે. ખેતરોમાં ઉભેલા ખેડૂતોના પાકને નુકશાનની ભીતિ જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠા, પાલનપુર અને ડીસામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ દાંતિવાડામાં 6.30 ઈંચ, પાલનપુરમાં 4.56 ઈંચ, ડીસામાં 3.66 ઈંચ, દાંતામાં 3.07 ઈંચ અને વડગામમાં 2.52 ઈંચ વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાયું હતું જેને કારણે વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાલનપુર-આબુરોડ હાઈવે પર ઘૂંટણસમા પાણી…
ફિટ ઇન્ડિયા મુવમેન્ટને આગળ વધારવા માટે ‘સન્ડે ઓન સાયકલ’ દેશમાં એક ક્રમ બની ગયો છે: ડૉ. મનસુખ માંડવિયા સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા, ગાંધીનગર દ્વારા આયોજિત રેલીમાં ભારત સરકારના વિવિધ જાહેર ક્ષેત્રોના ઉપક્રમો જોડાયા (જી.એન.એસ) તા. 13 ગાંધીનગર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ‘ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ’ અને સન્ડે ઓન સાયકલ’ અભિયાન હેઠળ કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખભાઈ માંડવિયાની આગેવાનીમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા, ગાંધીનગર ખાતે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સ્વાસ્થ્ય અને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનો હતો. જેને કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખભાઈ માંડવિયા અને પેરા પાવરલિફ્ટિંગમાં અર્જુન એવોર્ડ વિજેતા શ્રી રાજીન્દર રહેલુ દ્વારા હરી ઝંડી બતાવીને પ્રારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય મંત્રીએ રેલીને સંબોધતા જણાવ્યું હતું કે ફિટ ઇન્ડિયા મુવમેન્ટને આગળ વધારવા માટે ‘સન્ડે ઓન સાયકલ’ આખા દેશની અંદર એક ક્રમ બની ચૂક્યો છે. એક અભિયાનના રૂપમાં દેશના યુવાઓ આ ચલાવી રહ્યા છે. આજે સમગ્ર દેશમાં 7000થી અધિક સ્થાનો પર ‘સન્ડે ઓન સાયકલ’ રેલી કાઢીને દેશના યુવાનોએ ફિટ ઇન્ડિયાનો સંદેશ આપ્યો છે. સાયક્લિંગ એ બેસ્ટ એક્સરસાઇઝ છે. સાયક્લિંગ ‘પોલ્યુશનનું સોલ્યુશન’ છે. સાયક્લિંગ ટ્રાફિકનું સમાધાન છે. સાયક્લિંગ એ ફિટ રહેવાનો મંત્ર છે. આ અભિયાન વિશે વધુ જણાવવા તેમણે કહ્યું હતું કે, આપણા ઘરથી કામકાજનું સ્થાન દૂર ન હોય તો સાયકલ લઈને જઈએ. ફિટ રહીએ, સ્વસ્થ રહીએ. પોતાનો અનુભવ શેર કરતા તેમણે ઉમેર્યું હતું કે, “મેં સાયકલિંગને 13 વર્ષથી મારો શોખ અને રુચિ બનાવી છે. હું પાર્લામેન્ટ પણ લગાતાર ત્રણ વર્ષ સુધી સાયકલ પર જ ગયો હતો. અત્યારે પણ અને જ્યારે જ્યારે સમય મળે, ત્યારે હું સાયકલિંગ કરી લઉં છું.” આ રેલી મહાત્મા મંદિરથી શરૂ થઈને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. રેલીના પ્રારંભ પૂર્વે યોગ નિદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ ગાંધીનગર ખાતે કોચિંગ કેમ્પમાં ભાગ લેવા આવેલી ભારતીય યુથ વુમન હેન્ડબોલ ટીમ સાથે મંત્રી શ્રી માંડવિયાએ વાર્તાલાપ પણ કર્યો હતો. આ રેલીમાં LIC, BSNL, Indian Oil, Bharat Petroleum, Hindustan Petroleum, ONGC, NPCC, GAIL, WAPCOS જેવા ભારત સરકારના તેમજ ગુજરાત મેટ્રો અને iNDEXTb જેવા રાજ્ય સરકારના જાહેર ક્ષેત્રોના ઉપક્રમો સાથે ધારાસભ્ય, શહેરના મેયર, કલેક્ટર, પોલીસ અધિક્ષકની સાથે NYKs અને NSS તેમજ શાળા-કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
