Sasan Jungle Safari online booking rules: સાસણગીર અભયારણ્યમાં ગીર જંગલ સફારી માટે નાતાલથી થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર સુધીની સિંહ દર્શન માટે ઓનલાઈન 900 પરમીટ માત્ર 18 થી 20 મિનીટમાં ઓનલાઈન બુકિંગ થઈ જતાં ગીર જંગલ સફારી પાર્ક માટેની પાંચ દિવસની ઓનલાઈન પરમીટ બુકીંગમાં ફ્રોડ થયાની શંકા વ્યક્ત કરી સાસણગીર હોટલ એસોસિએશને સાયબર ક્રાઇમ-ગાંધીનગરમાં લેખીત ફરીયાદ કરી તપાસની માંગણી કરી હતી ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સાસણગીર સફારી બુકિંગ કૌભાંડ: તપાસ શરૂ, એડવાન્સ બુકિંગની ખરાઈ થશે સાસણગીર હોટલ એસોસિએશનનાં પ્રમુખ વિનોદભાઈ જીવાણી તથા હોદેદારોએ વનવિભાગના અધિકારીઓને રૂબરૂ મળી તપાસની માંગણી કરી હતી, ત્યારબાદ સાસણગીર જંગલ સફારી માટે ઓનલાઈન કેન્સલ પોલીસી બંધ…
Author: gujarat
એસડીઓએફ IV વર્ષ 2017માં લોંચ કરવામાં આવેલ યુટીઆઈ ઓલ્ટરનેટીવના શિસ્તબદ્ધ પર્ફોમિંગ પ્રાઈવેટ ક્રેડિટ પ્લેટફોર્મની કન્સીસ્ટન્સીને દર્શાવે છે.મુંબઈ, 1 ઓક્ટોબર 2025: યુટીઆઈ એસેટ મેનેજમેન્ટ કંપની (યુટીઆઈ એએમસી)ના પ્રાઈવેટ માર્કેટ્સ પ્લેટફોર્મ, યુટીઆઈ ઓલ્ટરનેટિવ્સે યુટીઆઈ સ્ટ્રક્ચર્ડ ડેટ ઓપર્ચ્યુનિટીઝ ફંડ IV (એસડીઓએફ IV)ની જાહેરાત કરી છે, તે મુખ્ય પ્રાઈવેટ ક્રેડિટ સિરીઝમાં લેટેસ્ટ છે અને તે ભારતના મિડ-માર્કેટ બિઝનેસની આર્થિક જરૂરિયાતોને પૂરી કરે છે.સેબી રજિસ્ટર્ડ કેટેગરી II એઆઈએફ અંતર્ગત આ સ્કીમ એસડીઓએફ IVને રૂપિયો 1,500 કરોડના ફંડ તરીકે યોજના ધરાવે છે, જેનો ઉદ્દેશ મુખ્યત્વે આવકનું સમયાંતરે વિતરણ કરવા અને મધ્યમથી ઉચ્ચ ટીન રિટર્નના લક્ષ્યાંક સાથે પર્ફોમિંગ ક્રેડિટ એક્સપોઝર સાથે પોર્ટફોલિયોનું સર્જન કરવાનો છે.“એસડીઓએફ IV એવા…
AAP MLA power show Gujarat BJP tension: ગુજરાતમાં, ભાજપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માને પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરીને એક મોટું પગલું ભર્યું છે. તેઓ સીઆર પાટીલ કરતા નાના છે અને ઓબીસી સમુદાયના છે. વિશ્વકર્માના રાજ્યાભિષેક બાદ, એવું માનવામાં આવે છે કે દિવાળી પહેલા સંગઠનાત્મક ટીમની જાહેરાત કરવામાં આવશે, ત્યારબાદ મંત્રીમંડળમાં ફેરબદલ અને વિસ્તરણ કરવામાં આવશે. મધ્ય ગુજરાતના વતની વિશ્વકર્માને સૌરાષ્ટ્રને પ્રાથમિકતા આપવાનું દબાણનો સામનો કરવો પડે છે, જ્યારે આદિવાસી સમુદાયોમાં લોકપ્રિયતાના શિખરે રહેલા ચૈતર વસાવાને મોટો પડકારનો સામનો કરવો પડે છે. જેલમાંથી મુક્ત થયા પછી, ચૈતર વસાવાએ રાજ્યમાં “ગુસ્સે ભરાયેલા યુવાન” ની છબી કેળવી છે. રાજ્યની…
મંગળવારે વહેલી સવારે અમદાવાદથી આઈ.ટીના ૨૦૦થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ ૭૦ ગાડીઓના કાફલા સાથે મોડાસા આવી પહોંચ્યા હતા.અરવલ્લી, અરવલ્લીના મોડાસામાં આયકર વિભાગની રેડ ગઈકાલે પડી હતી જેમાં છેલ્લા ૨૮ કલાકથી પણ વધુ સમયથી ચાલી રહી છે આ કામગીરી, બીજા દિવસે પણ આઇટીનું સર્ચ યથાવત રહ્યું છે, આઇટીના અધિકારીઓ કડક તપાસ ચલાવી રહ્યાં છે, સર્ચ ઓપરેશનને લઈ અન્ય વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે, મોડાસામાંથી મોટી કરચોરી ઝડપાવાની શક્્યતા રહેલી છે.દિવાળીના તહેવારો પહેલાં ઈન્કમટેક્સ વિભાગે મોડાસામાં સપાટો બોલાવ્યો હતો અને ૪૦થી વધુ જગ્યાએ સર્ચ હાથ ધરવામાં આવ્યુ હતું. કેટલાક બિલ્ડર્સ અને તેઓની સાથે સંકળાયેલા વ્યકિતઓ, ડૉક્ટર અને વેપારીઓના અમદાવાદ આઈ.ટી.ના અધિકારીઓએ ધામા…
Bahiyal bulldozer action illegal encroachments: આજે વહેલી સવારથી જ ગાંધીનગરના બહિયલમાં દાદાની બૂલડૉઝર કાર્યવાહી શરૂ થઇ ગઇ હતી, નવરાત્રીમાં કાંકરિચાળો કરાનારા તોફાની તત્વો વિરૂદ્ધ ફરી એકવાર દબાણ હટાવ કામગીરીમાં લગભગ 186 ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, એક સોશ્યલ મીડિયા પૉસ્ટને લઇને નવરાત્રીમાં ગાંધીનગરના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં કેટલાક તોફાની તત્વો દ્વારા હિંસા ફેલાવવામાં આવી હતી, બહિયલમાં ગરબા દરમિયાન પથ્થરમારો, પોલીસ પર હુમલો અને દુકાનો પર આગ ચાંપવાના ગંભીર બનાવો બન્યા હતા. આજે વહેલી સવારથી જ વહીવટી તંત્ર દ્વારા ગામના મુખ્ય માર્ગ પરના ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા દબાણો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આજે સવારથી…
(પ્રતિનિધિ) ગોધરા, અસત્ય ઉપર સત્યનો અને આસુરી શક્તિ ઉપર દૈવી શક્તિનો વિજય દર્શાવતું પર્વ એટલે વિજયા દશમી, જેને આપણે દશેરા તરીકે ઉજવીએ છીએ. નવરાત્રિના નવ દિવસ સુધી માતાજીની આરાધના અને ગરબા-ડાંડીયાની રમઝટ બાદ દસમા દિવસે વિજયાદશમીનો પાવન ઉત્સવ આખા દેશમાં જ નહીં પરંતુ ગોધરા સહિત સમગ્ર પંચમહાલ જિલ્લામાં ભારે ધામધુમથી મનાવવામાં આવ્યો હતો.શહેર અને જિલ્લામાં અનેક સ્થળોએ રાવણદહન, શસ્ત્રપૂજન, ભવાઈ તેમજ ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. લોકો ભક્તિભાવથી ઉમટી પડ્યા હતા અને દરેક સ્થળે પર્વની ઉજવણીનો વિશેષ માહોલ સર્જાયો હતો.પર્વ દરમિયાન શાંતિ અને સુવ્યવસ્થાને જાળવી રાખવા માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં કડક પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. મોટા…
Veraval building collapse: ગીર સોમનાથના વેરાવળ શહેરના ખારવાવાડ વિસ્તારમાં ગત મોડી રાતે મોટી દુર્ઘટના સર્જાઈ છે. જ્યાં અંદાજે 80 વર્ષ જૂનું અને જર્જરિત ત્રણ માળનું રહેણાંક મકાન અચાનક ધરાશાયી થતાં ત્રણ લોકોનાં મોત નિપજ્યાં હતા, જ્યારે બે વ્યક્તિઓને કાટમાળમાંથી જીવતા બચાવી લેવાયા છે. મકાન નીચે ઉભેલા બાઈકસવાર મોત મળતી માહિતી અનુસાર, અચાનક મકાન ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં દેવકીબેન સૂયાની અને જશોદાબેન સૂયાની સહિતી મકાન નીચે ઉભેલા એક બાઈકસવાર 34 વર્ષીય દિનેશ જુંગીનું પણ કાટમાળ હેઠળ દબાઈ જવાથી ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટના બાદ તરત જ ફાયર ફાઈટર, પોલીસ, નગરપાલિકાની ટીમ, તેમજ ખારવા સમાજના…
મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત સિંધુ ભવન રોડ પર આવેલા ખાદી ઇન્ડિયાના યુનીટ ઓમ ખાદીમાંથી પણ સ્વદેશીના પ્રતીક સમાન ખાદીની ખરીદી કરીને ‘વોકલ ફોર લોકલ ‘ અને ‘આત્મનિર્ભર ભારત’ના ધ્યેયને સાકાર કરવાની દિશામાં પોતાનું યોગદાન અર્પણ કર્યું હતું.
SVP Hospital Ahmedabad fire: અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી SVP હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં સોમવારે (છઠ્ઠી ઓક્ટોબર) સવારે ઈલેક્ટ્રિક ડકમાં આગ લગતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તત્કાળ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગની ત્રણ ગાડીઓને ઘટનાસ્થળે પહોંચી હતી મળતી માહિતી અનુસાર, આજે સવારે અમદાવાદ ફાયર વિભાગના કંટ્રોલરૂમને એસવીપી હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં આગ લાગ્યાનો મેસેજ મળ્યો હતો. મેસેજ મળતાની સાથે જ નવરંગપુરા ફાયર સ્ટેશનની ત્રણ ફાયર ગાડીઓને ઘટનાસ્થળે રવાના થઈ હતી. ઘટનાસ્થળે પહોંચીને ફાયર વિભાગની ટીમે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ઈલેક્ટ્રિક ડક જ્યાંથી પસાર થતી હતી ત્યાંથી આગ લાગી…
અમદાવાદના નિકોલના ધારાસભ્ય અને મંત્રી જગદીશ વિશ્વકર્મા પંચાલનું નામ આ યાદીમાં મોખરે છે.ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયોગાંધીનગર, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત આગામી ૪ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ નવા પ્રમુખની જાહેરાત થઈ શકે છે. કમલમ ખાતે આ ચૂંટણી પ્રક્રિયાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.પ્રદેશ ભાજપે પ્રમુખની ચૂંટણી માટે વિગતવાર કાર્યક્રમની જાહેરાત કરી છે, જેમાં મુખ્યત્વે બે દિવસની કાર્યવાહીનો સમાવેશ થાય છેઃ ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા ૦૩-૧૦-૨૦૨૫ ફોર્મ ચકાસણી પ્રક્રિયા ૦૩-૧૦-૨૦૨૫ ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા ૦૩-૧૦-૨૦૨૫ મતદાન પ્રક્રિયા ૦૪-૧૦-૨૦૨૫ મત ગણતરી અને જાહેરાત ૦૪-૧૦-૨૦૨૫ચૂંટણી કાર્યક્રમને સફળ બનાવવા માટે…
