Nal se Jal scam Mahisagar: મહીસાગર જિલ્લામાં ‘નલ સે જલ’ યોજના અંતર્ગત થયેલા આશરે 123 કરોડ રુપિયાના કૌભાંડમાં CID ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. આ કૌભાંડમાં 12 મુખ્ય આરોપીઓમાંથી અલ્પેશ પરમારને CID ક્રાઇમ બ્રાન્ચે સાઠંબા વિસ્તારમાંથી ધરપકડ કરી છે. માહિતી પ્રમાણે અલ્પેશ પરમાર વાસ્મો (WASMO) કચેરીમાં આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતો હતો અને કૌભાંડના મુખ્ય પાયાઓમાંનો એક માનવામાં આવે છે. કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા મહીસાગર જિલ્લામાં 123 કરોડ રુપિયાના નલ સે જલ કૌભાંડમાં લુણાવાડા સ્થિત વાસ્મો કચેરીના તત્કાલીન આસિસ્ટન્ટ મિકેનિકલ એન્જિનિયરને CID ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. આરોપી અલ્પેશ જયંતિસિંહ પરમારને સાઠંબા ખાતેથી ઝડપીને લુણાવાડા કોર્ટમાં હાજર કરવામાં…
Author: gujarat
માઓવાદી ગતિવિધિઓને કારણે સાંજ પછી પણ મુસાફરી કરવી મુશ્કેલ હતી-લાલટેન રાજ દરમિયાન આ વિસ્તારોમાં લાલ આતંક વ્યાપી ગયો હતો.પટના, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મેગધી વિશ્વવિધ્યાલય ઉત્પાદન પર આવેલા એક વિશાળ સભામાં આરજેડી પર જોરદાર પ્રહાર કર્યો. તેમણે જણાવ્યું કે, “લાલટન રાજ” (લાલુ અને રાબડીનો શાસન) દરમિયાન બિહાર અંધકારમાં ધકેલાઈ ગયેલું.પીએમ મોદીએ જણાવ્યું, “તમને યાદ છે, લાલટેન રાજ દરમિયાન આ વિસ્તારોમાં લાલ આતંક વ્યાપી ગયો હતો. માઓવાદી ગતિવિધિઓને કારણે સાંજ પછી પણ મુસાફરી કરવી મુશ્કેલ હતી. ગયા જેવા શહેરો અંધારીઓમાં ડૂબી રહેતા. હજારો ગામોમાં તો વીજળીના થાંભલા પણ નહોતા. નહીં શિક્ષણ, નહીં રોજગારી… આ લોકો પેઢીને બિહાર છોડવા માટે મજબૂર કર્યા.”“NDA…
દીનદયાલ ઉપાધ્યાય – ગ્રામીણ કૌશલ્ય યોજના (DDU-GKY)અંતર્ગત ૩૫૦ લાભાર્થીઓને રોજગાર નિમણૂંક પત્ર એનાયતગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે DDU-GKYઅંતર્ગત “જોબમેળો અને એલ્યુમની મીટ” કાર્યક્રમ યોજાયોDDU-GKYના લાભાર્થીઓ,તેમના વાલીઓ અને રોજગાર પૂરી પાડતી સંસ્થાના પ્રતિનિધિઓએ યોજના અંગે પોતાના અનુભવો વર્ણવ્યાગાંધીનગર ખાતે ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને દીનદયાલ ઉપાધ્યાય – ગ્રામીણ કૌશલ્ય યોજના (DDU-GKY)અંતર્ગત “જોબમેળો અને એલ્યુમની મીટ” કાર્યક્રમ યોજાયો હતો. ગ્રામ વિકાસ વિભાગ હેઠળની ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની દ્વારા આયોજિત આ જોબમેળાને ગ્રામ વિકાસ મંત્રીશ્રીએ ખુલ્લો મૂક્યો હતો અને સમારોહ દરમિયાન મહાનુભાવોના હસ્તેDDU-GKYહેઠળ તાલીમ પ્રાપ્ત કરીને રોજગારી મેળવેલ ૩૫૦ લાભાર્થીઓને રોજગાર નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યા…
અત્યારસુધીમાં રાજ્યમાં સરેરાશ ૭૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો : દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૭૮ ટકા વરસાદ વરસ્યો*રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૭૫ ટકાથી વધુ જળસંગ્રહ*રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૨૧ ઓગસ્ટ ૨૦૨૫ની સ્થિતિએ સરેરાશ ૭૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ૭૮.૯૯ ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં,કચ્છમાં ૭૮.૮૧ ટકા,સૌરાષ્ટ્રમાં ૭૬.૩૬ ટકા,ઉત્તર ગુજરાતમાં ૭૪.૬૭ ટકા જ્યારે પૂર્વ-મધ્યમાં ૭૧.૯૭ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે તેમ,સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC,ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.યાદીમાં વધુમાં જણાવાયું છે કે,સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ૭૯.૩૭ ટકા ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ ૨૦૬ ડેમમાંથી ૫૫ ડેમ ૧૦૦ ટકા…
અમરેલી, અમરેલીમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદને કારણે દરિયામાં કરંટ વધી ગયો છે. આ દરમિયાન અમરેલીના દરિયામાં ગુમ થયેલી બે બોટનો સંપર્ક થઈ ગયો છે. આ બંને બોટમાં સવાર ૧૭ ખલાસીઓ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.આ બોટ જાફરાબાદના શિયાળબેટની ‘લક્ષ્મીપ્રસાદ’ અને ‘ધન્વંતિ’ નામની હતી. બંને બોટમાં સવાર કુલ ૧૯ ખલાસીઓ કિનારા તરફ પરત આવી રહ્યા છે. જોકે, બે દિવસ પહેલાં એટલે કે ૧૯ આૅગસ્ટના રોજ ગુમ થયેલા ૧૧ માછીમારોનો હજુ પતો લાગ્યો નથી.જાફરાબાદથી ૧૮ નોટિકલ માઈલ દૂર ‘જયશ્રી તાત્કાલિક’, ‘દેવકી’ અને રાજપરાની ‘મુરલીધર’ નામની ત્રણ બોટ ડૂબી ગઈ હતી. આ ત્રણેય બોટમાં કુલ ૨૮ માછીમારો સવાર હતા, જેમાંથી ૧૭ને બચાવી…
Ambalal Patel weather prediction: ગુજરાતના ‘બાબા વેંગા’ અંબાલાલ પટેલે નવરાત્રિ દરમિયાન ગરબા રમનારાઓ માટે તણાવ વધારનારી અગાહી (ચેતવણી) આપી છે. હવામાનની સચોટ આગાહી કરનારા અંબાલાલ પટેલે નવરાત્રિ દરમિયાન વરસાદની આગાહી કરી છે. આ વર્ષે નવરાત્રિ 22 સપ્ટેમ્બરથી શરૂ થશે. ગુજરાતમાં નવરાત્રિના નવ દિવસ દરમિયાન માતા શક્તિની પૂજા કરવામાં આવે છે. આ સમય દરમિયાન, રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં મોટા ગરબા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. હજારો લોકો આમાં ભાગ લે છે. આ કાર્યક્રમોની તૈયારીઓ ઘણા મહિનાઓ અગાઉથી શરૂ થઈ જાય છે. ગુજરાતમાં 5 સૌથી મોટા ગરબા કાર્યક્રમો: 1. યુનાઇટેડ વે વડોદરા 2. વડોદરા નવરાત્રી મહોત્સવ (VNF) 3. અમદાવાદ રાજપથ…
સુરત, હીરા ઉદ્યોગની મંદી ઉપરાંત મધ્યમ વર્ગની કથળતી જતી આર્થિક સ્થિતિને લીધે વધુ બે વ્યક્તિ સહિત ત્રણ વ્યક્તિન આપઘાતની ઘટના નોંધાઈ છે. મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના વતની અને હાલ વેડરોડની કેશવ પાર્ક સોસાયટીમાં રહેતા ૫૪ વર્ષીય હીરાલાલ ગંગારામ ગરાજણા રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. તેઓને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે.ગઈકાલે સાંજે સિંગણપોર કોઝ-વે રોડ પાસે હીરાલાલે ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ પરિવારને કરી હતી. જેથી પરિવારજનો તાત્કાલિક સ્થળ પર દોડી આવી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું ગઈકાલે રાત્રે મોત થયું હતું. પરિવારે આર્થિક તંગીમાં…
દાહોદ, દાહોદ તાલુકાના કઠલા ગામે સામૂહિત આત્મહત્યાની એક હૃદયદ્રાવક ઘટના આવી સામે છે, જ્યાં પિતાએ પોતાના બે પુત્ર સાથે ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવી લેતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી ગઈ છે.જેમાં દાહોદના ખંગેલા ગામમાં રહેતા અને ગુજરાતમાં મજુરી કામ કરતો અરવિંદ હિમલાભાઈ વહોનિયા દાહોદ તાલુકાના કઠલા ગામમાં રહેતો હતો તેને સંતાનમાં બે બાળકો અને એક બાળકી હતી, જેમાં અરવિંદ હિમલા વહોનિયા બે દિવસ પહેલા અન્ય જિલ્લામાંથી મજુરી કામ કરી પોતાના વતન ગામે આવ્યો હતો તેના પરિવાર સાથે અને બીજા દિવસે પોતાની બહેનને મળવા મધ્યપ્રદેશના માંડલી ગામે ગયો હતો.જ્યાં બહેન પાસેથી ૫૦૦ રુપિયા લઇને પરત આવવા રવાના થયો હતો.અરવિંદ બહેનના ઘરેથી પરત…
ગાંધીનગર, ગુજરાતમાં હૃદય સંબધિત સમસ્યાના કેસમાં દિવસેને દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે. આ વર્ષે જ ગુજરાતમાં હૃદય સંબધિત સમસ્યાના ૬૦ હજાર કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી સૌથી વધુ ૧૭૧૭૪ કેસ માત્ર અમદાવાદમાંથી સામે આવ્યા છે.ગુજરાતમાં ગયા વર્ષની સરખામણીએ હૃદયની સમસ્યા ધરાવતા દર્દીઓમાં ૧૮% જેટલો વધારો થયો છે, જેના પરથી જ ચિંતાજનક સ્થિતિનો તાગ મેળવી શકાય છે.ગુજરાતમાં આ વર્ષે ૧ જાન્યુઆરીથી ૧૮ ઓગસ્ટ સુધી હૃદય સંબધિત સમસ્યાના ૫૯,૯૩૧ કેસ સામે આવ્યા છે. ગયા વર્ષે આ સમયગાળામાં હૃદય સંબંધિત સમસ્યાના ૫૧,૪૫૩ કેસ નોંધાયા હતા.હાલની સ્થિતિએ સમગ્ર રાજ્યમાંથી પ્રતિદિવસે સરેરાશ ૨૬૨ જ્યારે પ્રતિ કલાકે ૧૦ વ્યક્તિને ઈમરજન્સી સેવા ‘૧૦૮’દ્વારા હૃદયની સમસ્યાને…
ગાંધીનગર, રાજ્યમાં હાલ જમીન-મિલકતની ખરીદી કે વેચાણ બાદ સૌથી મહત્ત્વની બાબત તે, પ્રોપર્ટીની રજિસ્ટ્રી છે. આ કામ માટે બંને પાર્ટીઓએ રજિસ્ટ્રી કરાવવા માટે સબ રજિસ્ટ્રારની ઓફિસે રૂબરૂ જવું પડ છે. જેમાં સમય સાથે અન્ય અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે.હવે જ્યારે ગુજરાત સરકાર ડિજિટલ ઈન્ડિયાને સથવારે તેની મોટાભાગના વિભાગોની સેવાઓને ઓનલાઈન કરી રહી છે ત્યારે ગુજરાત સરકાર આગામી દિવસોમાં પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન ઓનલાઈન કરવાની દિશામાં આગળ વધી રહી છે. જેના કારણે મિલકત ખરીદનાર કે વેચનાર પોતોના ઘર બેઠાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે.આ માટે તેમને જરૂરી દસ્તાવેજો અને નિયત કરાયેલી ફી ઓનલાઈન જ ભરવી પડી શકે છે. આ બાબત અત્યારે તો વિચારણાને…
