Made in India electric car global launch: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મારુતિ સુઝુકીની EV યુનિટનું ઉદ્ઘાટન કર્યું અને તેને ભારતની મેક ઇન ઈન્ડિયા યાત્રામાં એક નવા અધ્યાયની શરૂઆત જણાવી. તેમણે કહ્યું કે, ‘હવે ભારત મેક ઇન ઈન્ડિયાથી આગળ વધીને ‘મેક ફોર ધ વર્લ્ડ’ તરફ પગલું ભરી રહ્યું છે. તેમણે એ પણ કહ્યું કે, આપણે અહીંથી નથી અટકવાનું. ભારત સેમી કન્ડક્ટર વિસ્તારમાં આગળ વધી રહ્યું છે અને તેને હજુ વધુ ગતિ આપવાની છે.’ આ સિવાય તેમણે આવતા અઠવાડિયે પોતાની જાપાન યાત્રાની પણ જાહેરાત કરી. ભારત-જાપાનની મિત્રતા પર કરી વાત આ સિવાય વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘ગણેશોત્સવના ઉલ્લાસમાં આજે ભારત-જાપાનની મિત્રતાને નવા…
Author: gujarat
અમદાવાદની સેવન્થ ડે એડવેન્ટિસ્ટ હાઇ સેકન્ડરી સ્કૂલના પ્રિન્સિપાલ જી. ઇમેન્યુઅલ છે. (એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં એક હચમચાવી દેનારી ઘટના બની હતી, જ્યાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર ચાકુથી હુમલો કર્યો હતો. આ હુમલામાં ધોરણ ૧૦ના વિદ્યાર્થીનું મોત થઈ જતાં સમગ્ર શહેર અને દેશમાં પડઘાં પડ્યા છે. ઘટના બાદ સ્કૂલની બહાર હજારોની સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. મૃતકના પરિવારજનો, સિંધી સમાજના લોકો, અન્ય વાલીઓ અને હિન્દૂ સંગઠનોએ ભારે વિરોધ કર્યો અને ન્યાયની માગ કરી.ઘટના બાદ શિક્ષણ વિભાગ અને રાજ્યની શાળાઓ પણ ચિંતિત બની છે. આ વચ્ચે હવે સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા…
Ambaji Bhadarvi Poonam fair insurance : ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સલામતી માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષે ટ્રસ્ટે યાત્રાળુઓ માટે રૂપિયા 10 કરોડનો વીમો લીધો છે. જે ગત વર્ષના વીમા કવરેજ કરતાં ત્રણ ગણો વધુ છે. આ વીમા અંતર્ગત કોઈ પણ શ્રદ્ધાળુનો માર્ગ અકસ્માત થાય અથવા દુર્ઘટનામાં મૃત્યુ થાય તો તેમને આર્થિક સહાય મળી રહેશે. 50 કિમી સુધીનું કવરેજ, 7 જિલ્લાઓને આવરી લેવાયા આ વીમાની સૌથી મોટી વિશેષતા એ છે કે શક્તિપીઠ અંબાજીના 50 કિલોમીટરના વિસ્તારમાં થતા અકસ્માતોને આવરી લેવામાં આવ્યા છે. આ…
અમદાવાદના વસ્ત્રાલ અને લાંભામાં રખડતા કુતરાઓને રાખવા માટે શેલ્ટર તૈયાર કરાશે (પ્રતિનિધિ) અમદાવાદ, સુપ્રિમ કોર્ટ દ્વારા દિલ્હીમાં શેરી કુતરાઓ માટે શેલ્ટર બનાવવા માટે આદેશ કરવામાં આવ્યો હતો તેને રિવાઈઝ કરવામાં આવ્યો છે નવા હુકમ મુજબ દિલ્હીમાં પણ અમદાવાદની જેમ રખડતા કુતરાઓને ખસીકરણ કર્યા બાદ તેમને મુળ સ્થાને છોડવામાં આવશેઆ ઉપરાંત કુતરાઓના જાહેરમાં ફિડીંગ આપવામાં આવે છે તેની સામે કોર્ટ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે સુપ્રીમ કોર્ટના આ આદેશનું સીધી અસર અમદાવાદ શહેરમાં પણ થશે જ્યાં છેલ્લા ઘણા વર્ષોથી ખસીકરણ પ્રોગ્રામ ચાલી રહ્યો છે.અમદાવાદ શહેરમાં સૌ પ્રતમ ૨૦૦૫માં એનિમલ બર્થ કંટ્રોલ કાર્યક્રમ શરૃ કરવામાં આવ્યો પરંતુ આ પ્રોગ્રામના સાચા પરિણામ…
Fake medicines in India: તમે જોયું હશે કે તમારા પરિવારમાં કોઈને ખૂબ જ તાવ આવ્યો છે, તમે દવા પણ આપી હશે. પરંતુ તાવ જે ઝડપે ઓછો થવો જોઈએ તે રીતે ઓછો થયો નથી. શક્ય છે કે ઘણી વખત ઘણા લોકો નિયમિતપણે બ્લડ પ્રેશર અથવા ડાયાબિટીસની દવાઓ લે છે, તેમ છતાં, તપાસમાં જાણવા મળે છે કે બ્લડ પ્રેશર વધારે છે. ડાયાબિટીસ ઓછો થયો નથી. તમને લાગશે કે ડૉક્ટરે ખોટી દવાઓ લખી આપી છે. પરંતુ આવું નથી. આનું વાસ્તવિક કારણ નકલી દવાઓ પણ હોઈ શકે છે. દેશમાં એક સિન્ડિકેટ કાર્યરત છે જે નકલી દવાઓથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યું છે. તે…
રાજસ્થાની યુવાનની હત્યા કરનાર આરોપીઓને ફાંસી આપવાની પરિવારજનોની માંગકેટરર્સના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રકાશ માલીની હત્યાના ૬ દિવસ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર રહેતા પરિવારજનોમાં રોષ(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના નંદેલાવ ગામ નજીક આવેલી આશીર્વાદ સોસાયટીમાં અઠવાડિયા અગાઉ બનેલી એક દર્દનાક હત્યાની ઘટનાએ સમગ્ર જીલ્લામાં ચકચાર મચાવી હતી.જોકે આરોપીઓ એક અઠવાડિયાથી પોલીસ પકડથી હજુ રહેતા પરિવારજનોમાં રોષ જોવા મળ્યો છે અને પોલીસને રજૂઆત કરતા સમાજ સાથે પહોંચ્યો હતો.મૂળ રાજસ્થાનના અને હાલ ભરૂચના નંદેલાવ ગામની આશીર્વાદ સોસાયટીના બી-૧૩ મકાન નંબરમાં રહેતા અને વર્ષોથી ભરૂચમાં કેટરર્સનો ધંધો કરતા પ્રકાશ માલી ઉંમર અંદાજે ૪૦ વર્ષની અજાણ્યા ઈસમો દ્વારા હાથ પગ બાંધી નિર્દયતાથી હત્યા કરવામાં આવી…
Ankleshwar Ganesh Visarjan accident: ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ગણેશજીની આગમન યાત્રા દરમિયાન બે અલગ અલગ ઘટનાઓમાં એક બાળકીનું કરુણ મોત થયું છે, જ્યારે આઠથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાઓને પગલે સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાઇ ગયો છે. ડીજેના ટેમ્પોએ બાળકીનો ભોગ લીધો અંકલેશ્વરના ગડખોલ ગામ પાસે આવેલા હરિકૃપા સોસાયટીમાં ગણેશ સ્થાપના પહેલાં આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં ડીજેના ટેમ્પાની પાછળ પાછળ બાળકો નાચી રહ્યા હતા. આ દરમિયાન ડીજેનો ટેમ્પો અચાનક રિવર્સ આવતા પાંચ વર્ષની બાળકી નવ્યા પ્રવિણસિંગ સહિત અન્ય બાળકોને અડફેટે લીધા હતા. ગંભીર ઈજાઓને કારણે નવ્યાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે દિયાન, જનક…
ગોકુલધામમાં શ્રીકૃષ્ણે ઉપાડેલ ગોવર્ધન પર્વત અને નંદબાબાની કુટીરની સુંદર પ્રતિકૃતિ બનાવવામાં આવી છે.શ્રાવણ માસમાં માતા વિશ્વંભરી તીર્થયાત્રા ધામે ભક્તોની ભીડ ઉમટી(પ્રતિનિધિ) વલસાડ, વલસાડના રાબડા ગામે લીલીછમ વનરાઈ અને પ્રાકૃતિક સૌંદર્યના મધ્યમાં આવેલા માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામમાં શ્રાવણ મહિનાની શરૂઆતથી જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી હતી. ખાસ કરીને જન્માષ્ટમીના દિવસોમાં તો ખુબજ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામી હતી. અહિયાં પરાશક્તિ-મા વિશ્વંભરી માતાના દર્શન કરીને સૌ ભક્તોએ ધન્યતા અનુભવી હતી.આ ધામની મુલાકાતે આવતા દરેક દર્શનાર્થીઓને અહીંના શાંતિપૂર્ણ વાતાવરણમાં આધ્યાત્મિક શાંતિની અનુભૂતિ થાય છે. અહીંની અલૌકિક પાઠશાળામાં મા વિશ્વંભરીના ચૈતન્ય સ્વરૂપના દર્શન અને હિમાલયની ગુફામાં સ્થિત શિવલિંગના દર્શન કરીને શ્રદ્ધાળુઓ…
Navsari lift accident child death: નવસારીના વિજલપોર વિસ્તારમાં એક અત્યંત કરુણ ઘટના બની છે, નિરવ એપાર્ટમેન્ટમાં પાંચ વર્ષના બાળકનું લિફ્ટમાં ફસાઈ જવાથી કરૂણ મૃત્યુ થયું છે. આ ઘટના માતા-પિતા માટે લાલબત્તી સમાન છે અને બાળકોની સુરક્ષા પ્રત્યે સજાગ રહેવાની ગંભીર ચેતવણી આપે છે. લિફ્ટ અને દીવાલ વચ્ચે ફસાયો બાળક પ્રાપ્ત માહિતી અનુસાર આ દુર્ઘટના નવસારીના વિજલપોર વિસ્તારમાં આવેલા નિરવ એપાર્ટમેન્ટમાં બની હતી. મૃતક બાળકનું નામ સાર્થક વિપુલ બારીયા હતું અને તેની ઉંમર માત્ર પાંચ વર્ષ હતી. સાર્થક એપાર્ટમેન્ટના બીજા માળે લિફ્ટમાંથી નીચે ઉતરતી વખતે લિફ્ટ અને દીવાલ વચ્ચે ફસાઈ ગયો હતો. ફાયર બ્રિગેડે કર્યું રેસ્ક્યુ, પરંતુ બાળકને બચાવી ન શકાયો…
(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લામાં વોટ ચોરીના આક્ષેપોને લઈને ગોધરા શહેરમાં કોંગ્રેસ દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ગોધરાના સરદારનગર ખંડ પાસે જિલ્લા કોંગ્રેસ સમિતિના નેતૃત્વ હેઠળ ધરણા પ્રદર્શન યોજાયું, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.તેઓએ હાથમાં પ્લેકાર્ડ તથા તિરંગા લઈને “વોટ ચોર, ગાદી છોડ” જેવા સૂત્રોચ્ચાર સાથે ભાજપ સરકાર સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો.કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિઓ થઈ રહી છે અને લોકશાહી મૂલ્યો સાથે છેડછાડ થઈ રહી છે.જિલ્લા કોંગ્રેસ સમિતિએ ચેતવણી આપી હતી કે જો વોટ ચોરીના મુદ્દે તાત્કાલિક પગલાં નહીં લેવાય તો આવનારા દિવસોમાં વધુ તીવ્ર આંદોલન કરવામાં આવશે.આ વિરોધ કાર્યક્રમ…
