Author: gujarat

Ahmedabad, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (એએમએ) દ્રારા “મેનેજીંગ બ્રાન્ડસ – યસ્ટર્ડે, ટુડે એન્ડ ટુમોરો” થીમ પર બ્રાન્ડ સમિટ ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં ‘સુપરનોવા’ સપોર્ટ પાર્ટનર તરીકે અને ‘બ્રાન્ડ ક્લબ ગુજરાત’ આઉટરીચ પાર્ટનર તરીકે જોડાયા હતા. એએમએના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી ઉન્મેષ દીક્ષિતે સ્વાગત પ્રવચન આપ્યું હતું. શ્રી સોનાલ ડબરાલે (એવોર્ડ વિજેતા ક્રિએટિવ કન્સલ્ટન્ટ, પટકથા લેખક અને ફિલ્મ દિગ્દર્શક) મુખ્ય સંબોધન રજૂ કરતા બ્રાન્ડ બિલ્ડિંગમાં સ્ટોરીટેલિંગના મહત્વ પર ભાર મૂક્યો હતો. એએમએની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય ડૉ. જૈનિલ શાહે આ સત્રનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું.Industry Experts Converge at AMA’s Brand Summit 2026 to explore the Evolution of Brand Management“બ્રાન્ડ્સ: પેઢી દર પેઢી”વિષય…

Read More

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું બજેટ છેઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ::મુખ્યમંત્રીશ્રી ::Øકર્તવ્ય ભવનમાં તૈયાર થયેલું બજેટ ત્રણ કર્તવ્યો પર ઝોંક આપે છેØસમાજના બધાં જ ક્ષેત્રોને અને દરેક વર્ગને “સૌના સાથ,સૌના વિકાસના” મંત્રથી આવરી લેવાનો સરાહનીય અભિગમØલોથલ અને ધોળાવીરાનો પુરાતત્વીય વિરાસત ક્લસ્ટર ટુરીઝમ ડેવલોપમેન્ટમાં સમાવેશ થવાથી પ્રવાસન દ્વારા ગુજરાતમાં ‘વિરાસત ભી,વિકાસ ભી’નો અભિગમ સાકાર થશેØ5લાખથી વધુ વસ્તીવાળા ટીયર-ટુ અને ટીયર-થ્રી શહેરોને સિટી ઇકોનોમિક રિજીયન બનાવવાની જાહેરાતથી રાજ્યના નાના શહેરોનો સુગ્રથિત વિકાસ વેગવંતો બનશેØMSMEથી લઈને મોટા ઊદ્યોગ,સૌને માટે પ્રોત્સાહક બજેટ છેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાણાંમંત્રી શ્રીમતિ નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલું2026-27ના વર્ષનું…

Read More

વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને પોરબંદરમાં રાજ્યકક્ષાના ૮મા આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર‘નો ઉદ્ઘાટન સમારોહ યોજાયોવેટલેન્ડ્સ એ માત્ર જળાશયો નથી,પણ પૃથ્વીની જીવનરેખા છે; તેને બચાવવા એ આપણી નૈતિક ફરજ છે. – મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાપોરબંદરએ કુદરતી વેટલેન્ડ્સનો ખજાનો છે;આ પક્ષી અભયારણ્યો અને જળાશયોનું જતન જરૂરી છે – મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાવેટલેન્ડ અને અભયારણ્ય સંદર્ભે વિવિધ રિસર્ચ રિપોર્ટ તેમજ ડોક્યુમેન્ટ્રીનું મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં લોકાર્પણગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER)ફાઉન્ડેશન દ્વારા સાંદિપની આશ્રમ,પોરબંદર ખાતે ‘વિશ્વ વેટલેન્ડ દિવસ’ ના પૂર્વે દિને ‘વેટલેન્ડ્સ એન્ડ ટ્રેડિશનલ નોલેજ: સેલિબ્રેટિંગ કલ્ચરલ હેરીટેજ’ વિષય પર બે દિવસીય‘૮માં આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર‘નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ ઉદ્ઘાટન સેમીનારના અધ્યક્ષ સ્થાને વન…

Read More

(એજન્સી)અમદાવાદ, શહેરમાંથી એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીએ ગત મોડી રાત્રે પોતાના નિવાસસ્થાને લાયસન્સવાળી રિવોલ્વરથી ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો છે. દીકરીના લગ્નની તૈયારીઓ વચ્ચે બનેલી આ ઘટનાથી પરિવાર અને બિલ્ડર લોબીમાં ભારે શોક અને સન્નાટો વ્યાપી ગયો છેસુરતમાં જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીએ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. બિલ્ડર તુષાર ઘેલાણીએ મોડી રાત્રે પોતાના નિવાસસ્થાને ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે પરિવાર સહિત બિલ્ડર લોબીમાં શોકનો માહોલ ફેલાયો છે. દુખદ વાત એ છે કે, દીકરીના લગ્ન પહેલા જ પરિવાર પર આભ તૂટ્યું.મોડી રાત્રે આશરે ૨ઃ૦૦ વાગ્યાના અરસામાં આ ઘટના બની…

Read More

અગાઉથી મળેલા ઇનપુટ્‌સ અને મુસાફરના હાવભાવ પરથી શંકા ગઈ હતી.-એરપોર્ટ પર બેંગકોકથી આવેલા મુસાફરના મોંઢામાં છુપાવેલું રૂ.૧૭ લાખનું સોનું ઝડપાયું(એજન્સી)અમદાવાદ, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટએ સોનાની તસ્કરીના એક અનોખી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે. બેંગકોકથી આવેલો એક મુસાફર કસ્ટમ્સ ચેકિંગથી બચવા માટે સોનાની ચાર કેપ્સ્યુલ પોતાના મોઢામાં છુપાવીને લાવ્યો હતો. અધિકારીઓએ આ મુસાફર પાસેથી ૧૦૮.૦૭ ગ્રામ ૨૪ કેરેટ સોનું જપ્ત કર્યું છે, જેની બજાર કિંમત આશરે ૧૭.૩૯ લાખ રૂપિયા થાય છે.કસ્ટમ્સ વિભાગના જણાવ્યા અનુસાર, ૩૧ જાન્યુઆરીની મોડી રાત્રે બેંગકોકથી વિયેતજેટ એરની ફ્‌લાઈટ નંબર વીઝેડ ૭૫૦ અમદાવાદ એરપોર્ટ પર ઉતરી હતી. અધિકારીઓને શંકાસ્પદ મુસાફરો…

Read More

પૃથ્વીની ‘કિડની’ સમાન જળપ્લાવિત વિસ્તારોના સંરક્ષણમાં ગુજરાતનું વૈશ્વિક અંકનઅમૃતકાળમાં ભારતની પર્યાવરણીય ક્રાંતિ: ૯૮ રામસર સાઇટ્સ સાથે ભારત દક્ષિણ એશિયાનું પર્યાવરણ લીડર બન્યુંકચ્છથી ઉત્તર પ્રદેશ સુધી વિસ્તાર: છારી-ઢંઢ અને પટના પક્ષી અભયારણ્યનો રામસર સાઇટ્સમાં સમાવેશ,૧૩.૮૪ લાખ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું સુરક્ષિત કુદરતી કવચપંચરત્ન રામસર સાઇટ્સ: નળ સરોવર,થોળ,વઢવાણા, ખીજડીયા અને હવે છારી-ઢંઢ ગુજરાતની પર્યાવરણીય ઓળખ*”રેલાય છે જ્યાં કુદરતની હેલી,એ જ છે આપણી વેટલેન્ડની શૈલી;જળ છે તો જીવન છે,અને વેટલેન્ડ છે તો પૃથ્વીનું સંતુલન છે.”* દર વર્ષે ૨ ફેબ્રુઆરીના રોજ સમગ્ર વિશ્વમાં‘વિશ્વ વેટલેન્ડ દિવસ‘ની ઉજવણી કરવામાં આવે છે. વેટલેન્ડ્સ એટલે કે જળપ્લાવિત વિસ્તારો પૃથ્વીની ઇકોસિસ્ટમનો એક અનિવાર્ય હિસ્સો છે,જે જૈવવિવિધતા જાળવવામાં અને પર્યાવરણના સંતુલનમાં…

Read More

કોંગ્રેસના વિવાદીત નેતા ભરતસિંહ માધવસિંહ સોલંકીએ એક જાહેર નિવેદનમાં કેમેરા સામે એવું જણાવ્યું છે કે વડાપ્રધાન “નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની રાજકીય કુનેહ બેનમૂન છે.આટલું કહીને નરેન્દ્ર મોદીના શબ્દો ટાંકતા ભરતસિંહ એ એવું પણ ઉચ્ચાર્યું કે ‘નરેન્દ્ર મોદીએ એવું કહ્યું હતું કે કોંગ્રેસને ૧૫ વર્ષ સુધી ઉંચી નહીં આવવા દઉં’ એ વાત સાચી ઠરી છે. વધુમાં ભરતસિંહે એવું પણ કહ્યું કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ માટે સૌથી મોટી બાધા છે તેને કોંગ્રેસમાં ભેળવી દેવી જોઈએઅને જરૂર પડ્‌યે આપણે(મૂળ કોંગ્રેસીઓએ)હોદ્દા જતાં કરી એ પક્ષના નેતાઓને હોદ્દા આપી આપણામાં સમાવી લેવા જોઈએ.” ભરતસિંહ સોલંકીનું આ વિધાન ચર્ચાસ્પદ છે અને ગુજરાતના રાજકારણમાં…

Read More

વડોદરા રાજ્યમાં ન્યાય ખાતામાં સેવા આપી તેમજ સયાજીરાવ ગાયકવાડના અંગત મિત્ર બન્યા.અહિંસા અને અસહકાર આંદોલન પ્રત્યેના તેમના અતૂટ સમર્પણને કારણે લોકો તેમને પ્રેમથી “છોટા ગાંધી” તરીકે પણ ઓળખાતા હતા.સ્વાતંત્ર્ય સેનાની શ્રી અબ્બાસ તૈયબજીની ૧૭૨મી જન્મ જયંતી નિમિત્તે વિધાનસભા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈશ્રી અબ્બાસ શમશુદ્દીન તૈયબજીનો પરિચય:ધર્મપ્રેમી,પ્રામાણિક,ન્યાયી અને ખુદાની બંદગી કરનાર શ્રી તૈયબજીનો જન્મ તા.૦૧ ફેબ્રુઆરી ૧૮૫૪ના રોજ વડોદરામાં થયો હતો. તેઓએ વર્ષ ૧૮૭૯-૧૯૧૩ દરમિયાન ૩૪ વર્ષ સુધી મહારાજા સયાજીરાવ ગાયકવાડના વડોદરા રાજ્યમાં ન્યાય ખાતામાં સેવા આપી તેમજ સયાજીરાવ ગાયકવાડના અંગત મિત્ર બન્યા. વર્ષ ૧૯૧૯માં જલિયાંવાલા બાગ હત્યાકાંડની તપાસ સમિતિમાં ગાંધીજી દ્વારા તેમની પસંદગી કરવામાં આવી હતી.વર્ષ ૧૯૨૧માં‘ટિળક સ્વરાજ ફાળો‘ઉઘરાવવામાં ખેડા…

Read More

કેડી હોસ્પિટલમાં સમયસર નિદાન સારવાર બાદ યુવક સંપૂર્ણ સ્વસ્થ(એજન્સી)અમદાવાદ, ગાંધીનગરના ર૬ વર્ષીય યુવક ક્રિમીનલ-કોગો હેમરેજીગક ફીવર સીસીએચએફ નામના જીવલેણ બની શકે એવા વાયરજન્ય રોગમાંથી કેડી હોસ્પિટલમાં સમયસર નિદાન અને તાત્કાલીક સારવારથી સ્વસ્થ થયો છે.ગાંધીનગરમાં રવી પટેલ નામ બદલ્યું છે કેને તીવ્ર તાવ, અતીશય નબળાઈ મુંઝવણ અને ઝડપથી બગડતી તબીયત સાથે કેડી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આવા લક્ષણો ઘણીવાર સામાન્ય વાયરસજન્ય તાવ જેવા લાગે છે. પરંતુ ડોકટરોને પ્લેટલેટસમાં ઝડપી ઘટાડો લીવરકાર્યમાં અસમાન્યતા અને લોહી જામવાની પ્રક્રિયામાં ખલેલ જેવા ગંભીર સંકેતો દેખાતા સીસીએચએફઅંગે શંકા ઉભી થઈ હતી.ક્રિમીનલ-કોગો હેમરીજીક લીવર એક દુર્લભ વાયરજન્ય રોગ છે. જેમાં મૃત્યુદર ખુબ ઉંચો હોય છે. સમયસર ઓળખ…

Read More

(એજન્સી)અમદાવાદ, શહેરના ઈસનપુર વિસ્તારમાં આવેલા મિલ્લતનગરમાં માનવતા અને કોમી એકતાની હૃદયસ્પર્શી મિસાલ સામે આવી છે. મુસ્લીમ બહુમતીવાળા આ મહોલ્લામાં છેલ્લા ૪પ વર્ષથી હળીમળી ને રહેતા એકમાત્ર હિન્દુ પરીવારના વયોવૃદધ સભ્ય ૭૦ વર્ષીય રાજારામ શાહનું નિધન થતા સમગ્ર વિસ્તારમાં શોકની માહોલ છવાઈ ગયો હતો.મુળ બિહારના વતની અને કર્મભુમી અમદાવાદ બનાવનાર રાજારામ શાહ કડીયા કામના કુશળ કારીગર હતા છેલ્લા કેટલાંક સમયથી શરીર સાથ ન આપતા તેઓ ગંભીર બીમારીમાં સપડાયા હતા.તેમની સાથે તેમની ૬પ વર્ષીય ધર્મપત્ની પણ આ જ મહોલ્લામાં રહેતા હતા. નિધન બાદ તેમના કોઈ નજીક સગા સંબંધીઓ હાજર ન હોઈ અંતિમવિધિ કેવી રીતે થશે તેની ચિંતા પત્નીને સતાવી રહી હતી. પરંતુ…

Read More