છત્તીસગઢ સરકારે રાયપુરના યુવાનોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની સૂચના પર શાળા શિક્ષણ વિભાગે એક જાહેરાત બહાર પાડી છે. જેમાં 12 હજાર 489 શિક્ષકોની સીધી ભરતી કરવામાં આવશે. જેમાં 6,285 મદદનીશ શિક્ષકો, 5,772 શિક્ષકો અને 432 લેક્ચરરની જગ્યાઓ પર સીધી ભરતી થશે. 6 મેથી ઓનલાઈન અરજીઓ ભરી શકાશે. વ્યાપમ દ્વારા ભરતી માટે પરીક્ષા લેવામાં આવશે.