ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ ગુરુવારે કહ્યું હતું કે દેશ આગામી સમયમાં કોંગ્રેસ અને તેના સાથી પક્ષોનો બહિષ્કાર કરશે, વિરોધ પક્ષોએ જાહેરાત કરી કે તેઓ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનમાં હાજરી નહીં આપે.
ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા ધામીએ કહ્યું કે, “દેશ આવનારા સમયમાં કોંગ્રેસ અને તેના સહયોગીઓનો બહિષ્કાર કરશે.”
કોંગ્રેસ સહિત કુલ 20 વિપક્ષી દળોએ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિના બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવાનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો નિર્ણય “રાષ્ટ્રપતિના ઉચ્ચ કાર્યાલયનું અપમાન કરે છે, અને બંધારણના અક્ષર અને ભાવનાનું ઉલ્લંઘન કરે છે”.
ધામીએ ઉત્તરાખંડ જતી વંદે ભારત એક્સપ્રેસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.
દિલ્હી-દહેરાદૂન વંદે ભારત એક્સપ્રેસના ઉદ્ઘાટન પહેલા ધામીએ કહ્યું, “વંદે ભારત એક્સપ્રેસ માટે હું પીએમનો આભાર માનું છું. રાજ્યમાં આવતા તમામ યાત્રાળુઓ અને પ્રવાસીઓને આનો લાભ મળશે.”