હવે વિસ્કોસ ફિલામેન્ટ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટીની ભલામણથી વિવર્સમાં ચિંતા -આયાતી નાયલોન યાર્ન પર કિલોએ રૂ.ર૩.પ થી ૭૮ સુધીની એન્ટી ડમ્પિંગ ડ્યુટી
સરકાર ક્યારે એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લગાવે છે?
સુરત, ડાયરેકટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમીડીઝ દ્વારા નાયલોન યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટીની લાદવામાં આવી છે. હજારો વિવર્સ વિરુદ્ધ બાયસ માઈન્ડથી શંકાસ્પદ ચુકાદો આપવામાં આવ્યો હોવાનું નાયલોન વિવર્સ કહી રહ્યા છે.
ડીજીટીઆરના અંતિમ ચુકાદામાં આયાતી નાયલોન યાર્ન પર કિલોને રૂ.ર૩.પ થી ૭પ સુધીની વિવિધ એન્ટી ડમ્પિંગ ડયુટી લાદવામાં આવી છે. આયાતી નાયલોન યાર્ન બાદ વિસ્કોસ ફિલામેન્ટ પર પણ એન્ટી ડમ્પિંગ ડયુટીની ડીજીટીઆરની ભલામણથી વિવર્સ આલમમાં ચિંતા વ્યાપી છે.
સુરતનો ટેકસટાઈલ ઉદ્યોગ વિસ્કોસ યાર્ન આધારિત છે. શહેરમાં દર વર્ષે અંદાજે રપ હજારથી ૩૦ હજાર મેટ્રીક ટન વિસ્કોસની માગ રહે છે. ભારતીય બજારમાં ચીનનું સસ્તુ વિસ્કોસ યાર્ન મળી રહે છે. સ્થાનિક ઉત્પાદકોને ભારે તકલીફ પડતી હોવાથી ડયુટી લાદવાનો પ્રસ્તાવ કરાયો હતો.
ડીજીટીઆર દ્વારા સ્થાનિક અભ્યાસ કરી એન્ટી ડમ્પિંગ ડયુટી લાદવાની ભલામણ કરાઈ છે. ડીજીટીઆરની નવી ભલામણથી વિવિંગ ઉદ્યોગ પર તેની કેવી અસર પડશે તેનો અભ્યાસ વિવર્સ અને સમગ્ર કાપડ ઉદ્યોગ કરવા લાગ્યો છે. આ તરફ ગત સપ્તાહે આયાતી નાયલોન યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદવામાં આવી છે.
અગ્રણી વિવર મયુર ગોળવાલા કહે છે કે, હાલમાં નાયલોન એફડીવાય અને મધરયાર્નની એક માસની માગમાં ૭૦૦૦ ટનથી વધુની ગંભીર અછત છે. આમ સ્પીનર્સનો નફો અને માગની સામે ઉત્પાદનની ઘટ જોતા ડીજીટીઆરએ હજારો વિવર્સ વિરુધ્ધ બાયર્સ માઈન્ડથી ચુકાદો આપ્યો હોય તેવું સ્પષ્ટ લાગી આવે છે. આગામી દિવસોમાં આ મામલે નાણામંત્રાલય, ટેકસટાઈલ મંત્રાલય, સાંસદને રજૂઆત કરવામાં આવશે.
તેમણે ઉમેર્યું હતું કે, વિવર્સ, નીટર્સ અને જરી ઉદ્યોગે ડીજીટીઆરના ચુકાદાથી પેનીક થવું નહી. ડીજીટીઆરનો આ ચુકાદો ફાઈનલ નથી અને નાણામંત્રાલય આ અંગે ૯૦ દિવસમાં નિર્ણય લેશે. જેથી ગભરાટમાં આડેધડ નાયલોન યાર્નની ખરીદી કરવી નહી.
ભૂતકાળમાં વર્ષ ર૦૧૮માં પણ ડીજીટીઆરએ આયાતી નાયલોન યાર્ન ઉપર એન્ટી ડમ્પિંગ ડયુટી લાદવા સ્પીનર્સોના પક્ષે ચુકાદો આપેલ પરંતુ સરકારે તે વખતે અંતિમ નિર્ણય વિવર્સના પક્ષમાં આપ્યો હતો. આ વખતે પણ વિવર્સના પક્ષમાં અંતિમ નિર્ણય આવશે તેવી આશા છે.
સરકાર ક્યારે એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લગાવે છે?
એન્ટી ડમ્પિંગ ડ્યૂટી (Anti-Dumping Duty) લગાવવાનો અધિકાર રાજ્ય સરકાર પાસે નથી, પરંતુ ભારત સરકાર (કેન્દ્ર સરકાર) પાસે છે.

