બ્લુક્રાફ્ટ ડિજિટલ ફાઉન્ડેશને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો શો ‘મન કી બાત’ના 100 એપિસોડનું સંકલન, ‘ઇગ્નાઇટીંગ કલેક્ટિવ ગુડનેસ: મનકીબાત@100’ પુસ્તકનું વિમોચન કરવાની જાહેરાત કર્યુ છે. આ પુસ્તક તમામ ઓફલાઈન અને ઓનલાઈન બુકસ્ટોર પર ઉપલબ્ધ થશે. આ પુસ્તકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સફર અને જનતા સાથેના નેતાના હૃદયથી હૃદયની વાતચીતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે રાષ્ટ્ર નિર્માણ, લોકશાહી વાર્તાલાપ, સામાજિક સુધારા અને બદલાતી માનસિકતા પર શોની સકારાત્મક અસરની શોધ કરે..
બ્લુક્રાફ્ટ ડિજિટલ ફાઉન્ડેશનના સીઇઓ અખિલેશ મિશ્રાએ જણાવ્યું હતું કે, “વડાપ્રધાનનો આઇકોનિક રેડિયો શો, મન કી બાત, કેવી રીતે સામૂહિક પ્રયાસો આપણા રાષ્ટ્રના પાયાને મજબૂત કરી શકે છે તેનું ઉદાહરણ આપે છે, જે આપણને જન ભાગીદારીની પરિવર્તનશીલ શક્તિને સમજવામાં મદદ કરે છે. તે ભારતના ભવિષ્યને ઘડવામાં સંવાદ અને લોકતાંત્રિક પ્રવચનની અપાર સંભાવનાના પુરાવા તરીકે કામ કરે છે. ઇગ્નીટિંગ કલેક્ટિવ ગુડનેસ: મનકીબાત@100માં, અમે માત્ર 100 એપિસોડ જ નહીં પરંતુ આ પરિવર્તનકારી કાર્યક્રમનો સાર પણ વર્ણવીએ છીએ. આ પુસ્તક એકતા, સર્વસમાવેશકતા અને નાગરિકોની સહભાગિતાની ભાવનાને સમાવે છે જે આપણા હૃદય અને દિમાગમાં પ્રજ્વલિત છે.