રાજસ્થાન સમાચાર: રાજસ્થાનના અલગ-અલગ જિલ્લામાં વીજળી પડવાથી ચાર લોકોના મોત થયાના સમાચાર છે. મળતી માહિતી મુજબ, સવાઈમાધોપુરના બૌનલીના નંટોડી ગામમાં વીજળી પડવાથી એક ભરવાડનું મોત થયું છે, આ સાથે જ જંગલમાં ચરવા ગયેલા 30 ઘેટાંના પણ મોત થયા છે.
સવાઈ માધોપુરના ચોથ કા બરવાડામાં વીજળી પડવાથી એક દંપતીના મોતની પણ માહિતી છે. ખેતરમાં કામ કરતી વખતે આ અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ, 35 વર્ષીય રાજેન્દ્ર મીણા અને તેમની પત્ની જલેબી ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમના પર વીજળી પડી હતી. બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
આવી જ રીતે દૌસાના લાલસોટમાં પણ વીજળી પડતાં એક બાઇક સવારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. લાલસોટમાં વીજળી પડવાથી એક વિદ્યાર્થિનીનું પણ મોત નીપજ્યું છે.અહેવાલ છે કે વિદ્યાર્થિની શાળાએથી ઘરે પરત ફરી રહી હતી.