દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનનું ચલણ વધવાની સાથે લોકો સામે ઓનલાઈન છેતરપિંડીના કેસોમાં પણ વધારો થયો છે. એક નાની ભૂલ તમારું બેંક ખાતું ખાલી કરી શકે છે. ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં લોકોને સાયબર ક્રાઈમથી બચાવવા માટે એક મોટું પગલું ભરવાની તૈયારી કરી રહી છે.
સેન્ટ્રલ બેંકે હવે આ સિસ્ટમ બદલવાનો નિર્ણય લીધો છે. OTP દ્વારા લોકો સૌથી વધુ ઓનલાઈન છેતરપિંડીનો સામનો કરી રહ્યા છે. સાયબર ફ્રોડ કરનારાઓ OTP લઈને લોકોને છેતરે છે. તેને જોતા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા OTPની સમસ્યાને ખતમ કરવાની તૈયારી કરી રહી છે.
અહેવાલો અનુસાર, RBI OTP સિસ્ટમને નવી સુરક્ષા સિસ્ટમ સાથે બદલવાની તૈયારી કરી રહી છે. આ અંતર્ગત તમામ ડિજિટલ પેમેન્ટ માટે OTP સિસ્ટમ બદલવામાં આવશે. OTP વેરિફિકેશન સિસ્ટમમાં ફેરફાર કરીને, RBI હવે પેમેન્ટ વેરિફિકેશન માટે ઓથેન્ટિકેશન એપ અથવા તમારા ફોનની સિક્યુરિટી સિસ્ટમને મંજૂરી આપવાની તૈયારી કરી રહ્યું છે.