Surat News: સુરતમાં કિન્નર સમાજ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કિન્નર સમાજના લોકોએ ભાગ લીધો હતો, આ ઉપરાંત સુરતના વિવિધ વિસ્તારોમાં ભારત માતા કી જયના નારા સાથે લોકોને બ્રૂચ અને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આઝાદી અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે, રાજ્યવ્યાપી ‘મારી માટી મારો દેશ’ અભિયાનને પ્રોત્સાહન આપવા માટે સુરત શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે કિન્નર સમાજે પણ સુરતમાં તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું. સુરતમાં નવોદય ટ્રસ્ટના નેજા હેઠળ કિન્નર સમાજ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તિરંગા યાત્રામાં કિન્નર સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભારત માતા કી જય, વંદે માતરમના નારા સાથે કિન્નર સમાજે શહેરના વિવિધ વિસ્તારોમાં તિરંગા યાત્રા કાઢી હતી. કિન્નર સમાજ દ્વારા સુરતના વિવિધ વિસ્તારોમાં લોકોને તિરંગા અને બ્રૂચનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
સુરતમાં પણ કિન્નર સમાજ દ્વારા આવી જ કામગીરી કરવામાં આવી રહી છે, હાલમાં હર-હર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી અને શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતા લોકોને તિરંગા અને બ્રૂચનું વિતરણ કરવામાં આવ્યું હતું.