ર૦૩૦ સુધીમાં અકસ્માતની સંખ્યા અડધી કરવાનો લક્ષ્યાંક -ગુજરાતમાં વાહનો વધ્યા પણ અકસ્માતમાં ૩ ટકાનો ઘટાડો
ગાંધીનગર, ગુજરાતમાં અકસ્માત માટે ર૦થી વધારે અસુરક્ષિત રોડની ઓળખ કરવામાં આવી છે. તેમાં વડોદરા- ભરૂચ હાઈવેને સૌથી વધુ જોખમી તરીકે ગણાવાયો છે. આ રોડ પર ર૦રર થી ર૦ર૪ દરમિયાન બે વર્ષમાં ર૮૧ મોત થયા છે.
વડોદરાના વરેડિયા અને વેમાળી વચ્ચે નેશનલ હાઈવે-૪૮ પર રપ૩ જીવલેણ અકસ્માત થયા છે અને તેમાં જ ર૮૧નાં મોત થતાં તે રાજયનો સૌથી જોખમી માર્ગ સાબિત થયો છે. આ અકસ્માતોમાં સૌથી ગંભીર બાબત એ ધ્યાન પર આવી છે કે, આ હાઈવે ડિવાઈડેડ ફોર લેન હોવા છતાં રોંગ સાઈડમાં વાહનો ચલાવવાને કારણે સામસામેની ટકકર થાય છે.
ગુજરાત રોડ સેફટી ઓથોરિટીના વર્ષ ર૦ર૪-રપના અહેવાલ પ્રમાણે જૂન- ર૦રપની સ્થિતિએ રાજયમાં ર.૬૬ કરોડ વાહનોની નોંધણી છે. જેની સામે અકસ્માતનો આંકડો ૧પ,૩૦૦ છે. વર્ષ ર૦ર૩માં નોંધાયેલા અકસ્માતોમાં ૦.ર૧ ટકાના વધારાની સામે ર૦રપમાં ૩ ટકાનો ઘટાડો થયો છે.
ર૦ર૩માં ગુજરાતમાં ર.૬૪ કરોડ વાહનોની સંખ્યા સામે ૧પ,૭૮પ અકસ્માત થયા હતા. અહેવાલમાં જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં વાહનોની સંખ્યા વધારે છે પણ સરકારે રોડની માળખાકીય સુવિધા, ટ્રાફિક વ્યવસ્થા અને જાગૃતિ ફેલાવવાના કામ કરીને વર્ષ ર૦૩૦ સુધીમાં અકસ્માતમાં પ૦ ટકા ઘટાડો કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
દેશમાં અકસ્માતમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. પ થી ર૯ વર્ષના બાળકો અને યુવાનોના મૃત્યુનું મુખ્ય કારણ માર્ગ અકસ્માત હોવાનું બહાર આવ્યું છે. અહેવાલમાં જણાવ્યા પ્રમાણે ટ્રાફિકના નિયમોના ભંગ બદલ વર્ષ ર૦ર૪-રપ દરમિયાન ઓવરલોડ વાહનો સામે ૪૩.૦૮ર કેસ અને માલવાહક વાહનોમાં ગેરકાયદે મુસાફરો બેસાડવા બદલ ૮પ,૦૦૮ કેસ અને વીમા વગરના વાહનો ચલાવવાના ગુનામાં ટ્રાફિક પોલીસ દ્વારા ર૪,૮૯૦ કેસ દાખલ કરવામાં આવ્યા છે.

