અનેક આચાર્યને ફોન કર્યા, ૩થી૪ આચાર્યએ વિશ્વાસ કરી રૂપિયા આપ્યાઃ પોલીસમાં ફરિયાદ
(એજન્સી)અમદાવાદ, શિક્ષક કે આચાર્ય માટે વિધાર્થી પૂર્વ હોય તોપણ વિધાથી રહે છે. અને તે તકલીફમાં હોય તો તેને મદદ કરવાની ફરજ સમજતા કેટલાક આચાર્યો ના વિશ્વાસ સાથે એક યુવકે પુર્વ વિધાર્થી બનીને વિશ્વાસઘાત કર્યો હોવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે.
આ બાબતે એક આચાર્યએ પોલીસમાં ફરીયાદ પણ કરી હતી. અને પોલીસે તપાસ કરીને યુવકને બોલાવી મેથીપાક પણ આપ્યો હતો.
અમદાવાદના એક યુવકે થોડા દિવસ પહેલા શહેરની ઘણી કોલેજોના આચાર્યોને ફોન કરી રૂપિયા પડાવવા હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ એક યુવક પુર્વ આચાર્યોને ફોન કરતો અને વિધાર્થી બોલું છું. અને મારા પિતા હોસ્પિટલમાં દાખલ છે અને રૂપિયાની મદદ કરો તેવું કહીને રૂપિયા માંગતો હતો.
આ યુવકે અંદાજે ર૦થી પણ વધુ કોલેજોના આચાર્યોને ફોન કર્યા હશે અને અસંખ્યા ફોન કર્યા બાદ કેટલાક આચાર્યએ પુર્વ વિધાર્થી છે અને તકલીફમાં છે તેવું માની વિશ્વાસ કરીને માનવતાના ધોરણે આ યુવકને રૂપિયા આપી પણ દીધા હતા. એક આચાર્યએ ૭ હજાર રૂપિયા આપ્યો તો એક આચાર્યએ ૧પ હજાર રૂપિયા આપ્યા તો એકથીબે આચાર્યએ ચારથીપાંચ હજાર રૂપિયા આપ્યા.
આમ આ યુવકે અનેક આચાર્યો પાસેથી ૩૭ હજાર રૂપિયા પડાવી લીધા હતા. પરંતુ એક આચાર્યને શંકા જતા અને તેણે ફરીથી ફોન કરતા ફોન બંધ આવતા પોલીસમાં ફરીયાદ કરી હતી. ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. અને અંતે યુવકનો પતો મળતો તેને પોલાસ સ્ટેશને બોલાવી મેથીપાક પણ આપ્યો હતો. અંતે આ યુવકે ડરીને કહયું કે તે સારી કંપનીમાં નોકરી કરે છે. અને પિતા મજુરીકામ કરે છે.પરંતુ શેરબજારમાં નુકશાન જતા રૂપિયા મેળવવા આ કિમીયો કર્યો હતો.

