પુરવઠા સચિવ મોના ખંધારે કહ્યુંઃ તમામ એજન્સી કનેક્શનના ડેટાને વેરિફાઈ કરી રહી છે
(એજન્સી)ગાંધીનગર, એલપીજી અને પીએનજી કનેક્શન ધરાવનારા લોકો માટે મોટા સમાચાર આવ્યા છે. એલપીજી અને પીએનજી કનેક્શન ધરાવનાર માટે મોટા સમાચાર આવ્યા છે. પુરવઠા સચિવ મોના ખંધારે કહ્યું હતું કે એલપીજી અને પીએનજી એમ બંન્ને કનેક્શન ધરાવનારાઓએ એલપીજી સિલિન્ડર બુધવાર સુધી જમા કરાવવાનો રહેશે.
તમામ એજન્સી પીએનજી, એલપીજી કનેક્શનના ડેટાને વેરિફાઈ કરી રહી છે. બુધવાર સુધી બંને કનેક્શન ધરાવનારાઓને એલપીજી જમા કરાવી દેવું પડશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોમર્શિયલ એલપીજી લાયસન્સ ધારકો માટે મહત્વનો નિર્ણય લીધો છે. કોમર્શિયલ એલપીજી લાયસન્સ ધારકો પીએનજીનું કનેક્શન પ્રાપ્ત કરી શકે છે. કેન્દ્ર સરકારે સૂચના આપી છે પીએનજી નેટવર્કમાં પ્રાધાન્ય આપવામાં આવે. જિલ્લા કલેક્ટરોને પીએનજી કનેક્શન સાથે સંકલન કરી એલપીજીમાં કન્વર્ટ કરવા સૂચના આપી છે.
એલપીજીનો વધારાનો ૨૦ ટકા સપ્લાય કરવામાં આવી રહ્યો છે. ૨૦ ટકાની મર્યાદામાં કોમર્શિયલ એલપીજી આપવાનો નિર્ણય કર્યો છે. વૃદ્ધાશ્રમ સહિતની જગ્યાઓ પર કોમર્શિયલ ગેસ આપી રહ્યા છીએ. ફાર્મા ડેરી એરલાઈન રેલ્વે કેન્ટિનને ૭૦ ટકાની મર્યાદામાં એલપીજી આપવામાં આવી રહ્યો છે. રેસ્ટોરન્ટ, ધાબા હોટલ ઈન્ડસ્ટ્રીઝને ૧૦ ટકાની મર્યાદામાં એલપીજી આપવામાં આવી રહ્યો છે.
ધાર્મિક સંસ્થાઓ એક વર્ષથી ભોજન આપી રહી છે તેમને ૧૦ ટકાની મર્યાદામાં એલપીજી આપી રહ્યા છે. કેન્દ્ર સરકારની અગત્યની સૂચના છે પીએનજી અને એલપીજી બંન્ને સાથે કનેક્શન રાખી શકાશે નહીં. એલપીજી સિલિન્ડર સરેન્ડર કરવા સૂચના આપવામાં આવી છે. બુધવાર સુધી ગેસ સિલિન્ડર સરેન્ડર કરવા પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના અપાઈ છે.
પીએનજી અને ગેસ સિલિન્ડરના ડેટા મેચ કરાઈ રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં એલપીજી ઉપરાંત વધારાના વિકલ્પ તરીકે કેન્દ્ર સરકારે તમામ રાજ્યને કેરોસીનની ફાળવણી કરી છે. ભારત સરકારના પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા ગુજરાતને વધારાનો ૧૪૫૨ કેએલ કેરોસીનનો જથ્થો ફાળવવામાં આવ્યો છે.
જેમાં રાજ્યના દરેક જિલ્લાને કલેક્ટર હસ્તક ગ્રામ્ય વિસ્તારો માટે ૩૬,૦૦૦ લીટર કેરોસીન ફાળવવામાં આવ્યું છે. નવી માર્ગદર્શિકા મુજબ, કલેક્ટરો દ્વારા જરૂરિયાત મુજબ આ જથ્થો મંગાવી શકશે. જેમાં સામાન્ય પરિવાર દીઠ ૫ લીટર અને સેવાકીય સંસ્થાઓને ૨૫ લીટર સુધી કેરોસીન મળી શકશે.

