રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. ત્યારે ગુજરાતમાં હાર્ટ એટેકના કારણે વધુ એક મોતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ જિલ્લાના એક પોલીસ કર્મચારીનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. અમદાવાદમાં ફરજ પરના પોલીસકર્મીના મોતથી પોલીસ સ્ટેશનમાં શોકનો માહોલ છવાયો હતો.
મળતી માહિતી મુજબ વિરમગામમાં PSIની પોસ્ટ પર કાર્યરત કલ્પેશ કલાલને આજે સવારે હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પીએસઆઈ કલ્પેશ કલાલના મોતથી પરિવાર પણ શોકમાં ગરકાવ છે. આ સાથે પોલીસ સ્ટેશનમાં પણ શોકનો માહોલ છે.
15મી જૂને જાખો મરીન પોલીસ સ્ટેશનના એએસઆઈ અનિલ જોશીનું પણ હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. જ્યારે ચક્રવાત બિપોરજોય કચ્છમાં લેન્ડફોલ કરી રહ્યું હતું, ત્યારે જાખો મરીન પોલીસ સ્ટેશનના એએસઆઈ અનિલ જોષી તોફાનના પગલે ફરજ પર હતા. આ દરમિયાન મોડી રાત્રે 1 વાગ્યે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. પોલીસકર્મીનું હૃદયરોગના હુમલાથી મોત થયું હતું. હાર્ટ એટેકના કારણે પોલીસકર્મીનું મોત નિપજતાં પોલીસ સ્ટેશનમાં શોકનો માહોલ છવાયો હતો.