ચોમાસામાં કરંટ લાગવાના બનાવો સતત વધી રહ્યા છે. અમદાવાદ રાજકોટ હાઇવે ચોટીલા ગામ પાસે વીજ વાયરને અડકતા બે લોકોના મોત થયા છે. રાજસ્થાનથી ટ્રકને રાજકોટ તરફ લઈ જતી વખતે વરસાદી માહોલને કારણે ટ્રક પર દોરડા બાંધવામાં આવ્યા હતા અને માલને નુકસાન ન થાય તે માટે કવરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.કોલટારની ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. થયું છે. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
રાજસ્થાનથી રાજકોટ માલ લઈ જતા ડ્રાઈવર અને ક્લીનરે ટ્રકમાં દોરડું બાંધ્યું હતું જેથી વરસાદની સીઝનમાં ટ્રકમાં રાખેલો માલ ભીનો ન થાય. દરમિયાન, તે ટ્રક પર ચઢી ગયો હતો અને ઉપરથી પસાર થતી હાઇ ટેન્શન પાવર લાઇનને અડી જતાં વીજ કરંટ લાગ્યો હતો. બંને વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા.પ્રાથમિક તપાસમાં બંને મૃતકો રાજસ્થાનના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. બંનેના મૃતદેહને પીએમ માટે ચોટીલા સિવિલ હોસ્પિટલમાં લવાયા છે, જ્યારે પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ મૃતકના પરિજનોને શોધી રહી છે.