બનાસકાંઠા જિલ્લાના બાલુન્દ્રા અને ઈકબાલગઢ પાસે આવેલા સુપ્રસિદ્ધ મંદિર વિશ્વેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં કીર માળી સમાજ દ્વારા ધર્મશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત, રાજસ્થાન મારવાડ ગોડવડના કીર માળી સમાજના લોકો મોટી સંખ્યામાં પધાર્યા હતા.
બનાસકાંઠા જિલ્લામાં સૌપ્રથમવાર માળી સમાજ દ્વારા સંયુક્ત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવ યુગલોએ પ્રભુત્વ જમાવ્યું હતું. જ્યારે તેમને આશીર્વાદ આપવા ભાજપ અને કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં દાંતા વિધાનસભાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સમાજના આગેવાન શામળભાઈ માળી મહાદેવિયા ગોવિંદ ચૌહાણ તેમજ મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.