તેહરાન. પૂર્વી ઈરાનમાં શુક્રવારે એક નશા મુક્તિ કેન્દ્રમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 27 લોકોના મોત થયા છે અને અન્ય 17 લોકો ઘાયલ થયા છે. ઈરાનના સરકારી મીડિયાએ આ જાણકારી આપી છે. 17 ઘાયલોને તેહરાનથી લગભગ 200 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં આવેલા લેન્ગ્રાઉડ શહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શુક્રવારે વહેલી સવારે એક ખાનગી વ્યસન મુક્તિ કેન્દ્રમાં આગ ફાટી નીકળી હતી, જેમાં ઓછામાં ઓછા 27 લોકોના મોત થયા હતા.
મીડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવેલા વીડિયોમાં જ્વાળાઓ ઉછળતી જોવા મળી રહી છે. મીડિયાએ અહેવાલ આપ્યો છે કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. ઈરાનમાં સલામતી ધોરણોનું પાલન ન કરવા, જૂની ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અપૂરતી ઈમરજન્સી સેવાઓને કારણે આવા અકસ્માતો સામાન્ય છે.