ડીસાના બનાસપૂલમાં મોડી રાત્રે અકસ્માતનો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. બે ટ્રક વચ્ચે સામસામે અથડાતા ચાર લોકો ગંભીર રીતે ઘવાયા હતા. જેમાં પંજાબના રહેવાસી ટ્રક ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ડીસાના બનાસપુલ પાસે મોડી રાત્રે બે ટ્રક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો અને બંને ટ્રક વચ્ચેના કાટમાળમાં બંને ટ્રકના ચાલકો ખરાબ રીતે ફસાઈ ગયા હતા. ઘટના બાદ ટ્રાફિક પોલીસની એક ટીમ, 108 એમ્બ્યુલન્સ વાન અને સ્થાનિક લોકો તાત્કાલિક આવી રાહત કામગીરી શરૂ કરવા પહોંચ્યા હતા. બે કલાકની જહેમત બાદ ફસાયેલા બંને ટ્રક ચાલકોને કટર મશીન અને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં બે ટ્રક ચાલક અને ક્લીનર સહિત ચાર લોકોને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સરકારી દવાખાને રીફર કરાયા હતા.
ગંભીર રીતે ઘવાયેલા હોવાથી ડીસાની સરકારી હોસ્પિટલમાં સારવાર બાદ વધુ સારવાર માટે પાલનપુર લઇ જવાનો પ્રયાસ કરાયો હતો. જ્યાં પંજાબના રહેવાસી ટ્રક ચાલકનું રસ્તામાં જ દર્દનાક મોત નીપજ્યું હતું. આથી પોલીસે મૃતદેહને પીએમ અર્થે લઇ તેના માતા-પિતાને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ડીસામાં બનાસકુઈ પર બનેલો જૂનો બ્રિજ જર્જરિત અને જોખમી હોવાના કારણે છેલ્લા દોઢ વર્ષથી આ બ્રિજ પરનો વાહનવ્યવહાર વન-વે કરવામાં આવ્યો છે. જેના કારણે દરરોજ નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. લોકોની માંગ છે કે નવનિર્મિત પુલનું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે. તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, વાહનચાલકો પણ બ્રિજ પર સાવધાનીથી વાહન ચલાવે.
ડીસામાં બનાસકુઈ પર બનેલો જૂનો બ્રિજ જર્જરિત અને જોખમી હોવાના કારણે છેલ્લા દોઢ વર્ષથી આ બ્રિજ પરનો વાહનવ્યવહાર વન-વે કરવામાં આવ્યો છે. જેના કારણે દરરોજ નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. લોકોની માંગ છે કે નવનિર્મિત પુલનું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે. તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, વાહનચાલકો પણ બ્રિજ પર સાવધાનીથી વાહન ચલાવે.