ડીસા શહેરના દક્ષિણ પોલીસ મથકના પટાંગણમાં મુસ્લિમ સમાજના મહોરમ તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં પોલીસ અધિકારીએ આગેવાનોને તાજિયા જુલુસ દરમિયાન હથિયારનો ઉપયોગ ન કરવા સૂચના આપી હતી. મોહરમનો તહેવાર મુસ્લિમ સમુદાયના મુખ્ય તહેવારોમાંનો એક છે. ઈતિહાસ મુજબ મોહરમ મહિનામાં પયગંબર હઝરત મોહમ્મદના પૌત્ર હઝરત ઈમામ હુસૈન કરબલાના યુદ્ધમાં શહીદ થયા હતા. તેણે ઈસ્લામના રક્ષણ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું. આ યુદ્ધમાં તેમની સાથે તેમના 72 સાથીઓ પણ શહીદ થયા હતા. મોહરમના દિવસે, જ્યારે ઇસ્લામ ધર્મના શિયા સમુદાયના સભ્યો તાજિયા તોડીને શોક વ્યક્ત કરે છે, ત્યારે તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં પસાર થાય તે માટે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં હિન્દુ સંગઠનો અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકના પીઆઈ શક્તિસિંહ ગોહિલે મહોરમ દરમિયાન કોઈપણ પ્રકારના હથિયારનો ઉપયોગ ન કરવા મૌખિક સૂચના આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મોહરમના તહેવારને લઈને શહેરના દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના સંગઠનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહોરમના તહેવારને લઈને પોલીસ સહિત તમામ બંદોબસ્ત ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી કરવા માટે પોલીસે આગેવાનોને અપીલ કરી છે અને આગેવાનોએ પણ તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવાની ખાતરી આપી છે.