લોકલ ડેસ્કઃ તાજેતરમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી તા.7ને રવિવારના રોજ તલાટી કમ મંત્રી માટેની સ્પર્ધાત્મક પરીક્ષા લેવાનાર છે. જેના કારણે પશ્ચિમ રેલવેએ બે વિશેષ પરીક્ષા ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે.
ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશુક અહેમદના જણાવ્યા મુજબ, તલાટી કમ મંત્રીની પરીક્ષા દરમિયાન બે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી ટ્રેનમાં કોઈ ભીડ ન રહે અને ઉમેદવારો સરળતાથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે. જેમાં અમરેલી-જૂનાગઢ અને ભાવનગર રાજકોટ વચ્ચે માત્ર એક દિવસ માટે ખાસ ભાડામાં એક ટ્રેન દોડાવવામાં આવશે.પશ્ચિમ રેલવેએ ઉમેદવારોની સુવિધા વધારવાનો નિર્ણય કર્યો છે.