પ્લોટ અને પ્રમાણપત્રોની ફાળવણીઃ થરાદના 6 ગામના 45 લાભાર્થીઓને ટીડીઓના હસ્તે પ્લોટના પ્રમાણપત્રોની ફાળવણી કરવામાં આવી હતી. તાલુકા વિકાસની અધ્યક્ષતામાં તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકાના 45 લાભાર્થીઓ, થરાદ તાલુકાના 6 ગામના પરિવારોને પ્લોટ અને પ્રમાણપત્રો ફાળવવામાં આવ્યા હતા. વિચરતી વિમુક્ત જાતિઓને અધિકારીઓ અને કરિયાણાની કીટ આપવામાં આવી હતી.
થરાદ તાલુકા પંચાયત કચેરી ખાતે આજે તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં તાલુકાના ઘરવિહોણા લોકોને પ્લોટ ફાળવણી અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, 6 માર્ચના રોજ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં જમીન સમિતિની બેઠક મળી હતી. જેમાં છ તાલુકામાંથી લાભાર્થીઓની અરજીઓ આવી હતી. જેમાંથી અરજીઓને ધ્યાને લઇ છ ગામના 45 લાભાર્થીઓના પ્લોટ મંજૂર કરી પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું છે. પ્લોટ વિતરણ કાર્યક્રમ બાદ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત તાલુકા પંચાયતમાં મળેલ દાનમાંથી વિચરતી વિમુક્ત જ્ઞાતિના લોકોને કરિયાણાની કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
થરાદ તાલુકા પંચાયત કચેરી ખાતે આજે તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં તાલુકાના ઘરવિહોણા લોકોને પ્લોટ ફાળવણી અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, 6 માર્ચના રોજ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં જમીન સમિતિની બેઠક મળી હતી. જેમાં છ તાલુકામાંથી લાભાર્થીઓની અરજીઓ આવી હતી. જેમાંથી અરજીઓને ધ્યાને લઇ છ ગામના 45 લાભાર્થીઓના પ્લોટ મંજૂર કરી પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું છે. પ્લોટ વિતરણ કાર્યક્રમ બાદ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત તાલુકા પંચાયતમાં મળેલ દાનમાંથી વિચરતી વિમુક્ત જ્ઞાતિના લોકોને કરિયાણાની કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.