અનુસૂચિત જાતિ અનામત બચાવો મંચ, ગુજરાત દ્વારા દલિતમાંથી ખિશ્તી અને ઈસ્લામમાં ધર્માંતર પામેલા અનુસૂચિત જાતિના લોકો ધર્મ પરિવર્તન બાદ પણ અનામતનો લાભ ઉઠાવી રહ્યા છે, જેના કારણે અનુસૂચિત જાતિના લોકો પાસેથી અનામતનો લાભ છીનવાઈ રહ્યો છે. ત્યારે હિંદુ ધર્મ છોડી અન્ય ધર્મ અંગીકાર કરનાર લોકોને અનામતનો લાભ મળતો અટકાવવા પાલનપુર જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અનુસૂચિત જાતિ અનામત બચાવો મંચ, ગુજરાતના મંત્રી ડો.વિજય ઝાલાએ જણાવ્યું હતું કે 25મી મેના રોજ અમારી સંસ્થાની બેઠક મળી હતી. જેમાં અનુસૂચિત જાતિમાંથી ખ્રિસ્તી અને મુસ્લિમમાં ધર્મ પરિવર્તન કરનારાઓને અનામતનો લાભ નહીં આપવાનો સામૂહિક ઠરાવ કરવામાં આવ્યો હતો. જો કે, છેલ્લા 17 વર્ષથી અનુસૂચિત જાતિમાંથી ધર્મ પરિવર્તન કરનારા લોકોને અનામતનો લાભ આપવા માટે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ડો.બાબા રામદેવ આંબેડકરે કહ્યું કે સમાજમાં અસ્પૃશ્યતા છે, સામાજિક ભેદભાવ છે અને તેમના માટે અનામતની વ્યવસ્થા થવી જોઈએ. પરંતુ જેઓએ હિંદુ ધર્મ છોડીને અન્ય ધર્મ અપનાવ્યો છે. તેમને અનામતનો લાભ આપવો એ બંધારણનું અપમાન કરવા સમાન છે, આમ અનુસૂચિત જાતિઓને અનામતના લાભોથી વંચિત રાખવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા સમાન છે. અનુસૂચિત જાતિમાંથી ધર્માંતરણ કરનારા ખ્રિસ્તીઓ અને મુસ્લિમોને અનામતનો લાભ બંધ કરવા પાલનપુરના જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.