ધાનેરાના શાંતિબજારમાં 3 જેટલા મકાનો અને મહાલક્ષ્મી માતાજીના મંદિરના તાળા તૂટ્યા હતા. જેમાં અજાણ્યા હુમલાખોરોએ મંદિરના મુખ્ય દરવાજા અને અન્ય મકાનોના તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેઓએ બંધ મકાનો અને મંદિરોના તાળા તોડી મંદિરમાં લગાવેલા સીસી કેમેરાના ડીવીઆરની પણ ચોરી કરી હતી. જેમાં તસ્કરોએ ત્રણ મકાનોના તાળા તોડી અંદર રાખેલો સામાન વેરવિખેર કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારે ઘરમાં પડેલ તિજોરીઓ પણ વેરવિખેર થઈ ગઈ હતી. આ ઉપરાંત મંદિરના ભંડારોમાંથી પણ મોટી ચોરી થઈ છે. આ બંધ મકાનોના માલિકો શહેરની બહાર હોવાથી કેટલાની ચોરી થઈ છે તેની માહિતી હજુ મળી શકી નથી. આ બાબત ધાનેરા પોલીસના ધ્યાને આવતાં પોલીસે ચોરાયેલા મકાનો અને મંદિરોની હકીકતો એકત્ર કરી વધુ તપાસ હાથ ધરી હતી.