કોઈપણ નગર કે ગામમાં વીજળી, પાણી, સ્વચ્છતા અને ગટરની લાઈનોની જોગવાઈ અને જાળવણી સ્થાનિક ગ્રામ પંચાયત અથવા નગર પંચાયત દ્વારા કરવાની હોય છે. ત્યારે મેઘરજ ગ્રામપંચાયતની બેદરકારીના કારણે ગંદા પાણીના ભરાવાના કારણે મચ્છરો અને રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે.
મેઘરજ રોડના રામનગર વિસ્તારમાં છેલ્લા છ માસથી ગટર લાઇનમાં ભારે લીકેજ છે. જેના કારણે જાહેર માર્ગ પર ગંદા પાણી ભરાઈ ગયા છે. સાર્વજનિક માર્ગ હોવાથી દરરોજ હજારો લોકો પસાર થાય છે, ગટરના ગંદા પાણીના કારણે મચ્છરોની ઉત્પત્તિ થાય છે. જેથી રોગચાળો ફેલાય તેવી શક્યતા છે. સ્થાનિક રહીશોએ ગ્રામ પંચાયતમાં અનેકવાર રજૂઆત કરી હતી પરંતુ તંત્ર રહીશોના મંતવ્યો પર ધ્યાન આપતું નથી. ત્યારે મેઘરજના રામનગર વિસ્તારમાં લીકેજ ગટર લાઇન સત્વરે રીપેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
મેઘરજ રોડના રામનગર વિસ્તારમાં છેલ્લા છ માસથી ગટર લાઇનમાં ભારે લીકેજ છે. જેના કારણે જાહેર માર્ગ પર ગંદા પાણી ભરાઈ ગયા છે. સાર્વજનિક માર્ગ હોવાથી દરરોજ હજારો લોકો પસાર થાય છે, ગટરના ગંદા પાણીના કારણે મચ્છરોની ઉત્પત્તિ થાય છે. જેથી રોગચાળો ફેલાય તેવી શક્યતા છે. સ્થાનિક રહીશોએ ગ્રામ પંચાયતમાં અનેકવાર રજૂઆત કરી હતી પરંતુ તંત્ર રહીશોના મંતવ્યો પર ધ્યાન આપતું નથી. ત્યારે મેઘરજના રામનગર વિસ્તારમાં લીકેજ ગટર લાઇન સત્વરે રીપેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.